લોકભાષા-ભુજ :
દેશમાં ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને ઓળખવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના દિવસને નેવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
ભુજમાં નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન નેવીની કામગીરી વિશે લોકો જાગૃત થાય તેવા ઉદેશ સાથે રેલી અને નાટક સહિતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એનસીસીના વિધાર્થીઓ રેલીમાં જોડાયા હતા. વર્ષ 1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય નેવીએ તાકાત બનાવી ભારતે વિજય મેળવ્યો હતો. કચ્છના યુવકો ઇન્ડિયન નેવીમાં જોડાય તે માટે લોકોને જાગૃત કરવા માટે ભુજ ઇન્ડિયન નેવી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેવું સેકન્ડ ઓફિસર – ડૉ. ડી.એલ.ડાકી – ANO MSV હાઈસ્કૂલ માધાપરએ જણાવ્યું હતુ

