Author: Nidhiresh A Raval

સિમી નામનું જાહજ વીશ હજાર ટન એલપીજી લઈ કંડલા બંદરે આવ્યુ શનિવારે રાતે શીપને કંડલા પોર્ટની જેટી નંબર ૧ ઉપર લંગારવામા આવ્યુ હતું ભારતનુ વધુ એક જાહજ હોર્મુઝ પાર કરી કંડલા પોર્ટ પહોંચ્યું કંડલા ખાતે એલપીજી અનલોડિંગની કામગીરી શરૂ કરાશે યુદ્ધની સ્થિતિમા એલપીજી અને ક્રુડની આયાતમાં આવી રહ્યો છે અવરોધ સરકાર દ્વારા સંયમિત વપારશ કરવા કરી છે અપીલ એલપીજીનુ વધુ એક જાહજ કંડલા આવી પહોંચતા એલપીજી રાહત

Read More

મોડી રાત્રે એકા એક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી ભચાઉ ફાયર બ્રિગેડ સહિત ચાર ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે ચોપડવા પાસે આવેલી રઘુનંદન પલાયવુડ કંપનીમાં આગ

Read More

અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અંજારના હીરાપર, નવાગામ ભુજના મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા સાયક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભર ઉનાળે વરસાદ ભારે પવનની સાથે વરસાદ વરસ્યો અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો

Read More

લોકભાષા-ગાંધીનગર :ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે 4 મેના રોજ જાહેર થશે. તો ધોરણ-10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે.

Read More

લોકભાષા-અમદાવાદ : ગુજરાતમાં હવે ભીષણ ગરમી પડવાની છે. 147 વર્ષ બાદ ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તૂટવાનો છે તેવી ગુજરાતના અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ, ગુજરાતમાં ગરમી વર્ષો જૂના રેકોર્ડ તોડશે. 6 મે બાદ આકાશમાંથી અગનગોળા વરસશે.ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થવાનો છે. આગામી દિવસોમાં ગુજરાત ‘ભઠ્ઠી’ ની જેમ શેકાશે. અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ અનુસાર, આ વર્ષે ગરમી 147 વર્ષના તમામ રેકોર્ડ તોડી શકે છે. વર્ષ 1912 માં આવી ભયાનક ગરમી પડી હતી. આ વર્ષમાં ગરમીનો પારો 47 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે ફરી એકવાર એ જ દિવસો આવવાના છે.

Read More

લોકભાષા-ગાંધીધામ :સોશિયલ મીડિયા પર ઈસ્લામિક સ્ટેટ (ISIS) વિચારધારા ફેલાવનાર આરોપીને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છના ભુજ નજીક લોડાઇ ગામનો ફકિરમામદ ઇશા ગગડાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી લીધો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ-અલગ એકાઉન્ટ બનાવી ઉશ્કેરણીજનક પોસ્ટ મુકતો હતો. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિ ખિલાફત અને જીહાદ માટે લોકોને પ્રેરિત કરતો હોવાની આરોપી સામે ફરિયાદ છે.પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી ફકિરમામદ ઇશા ગગડાને ઝડપી લીધો છે.મોબાઇલ ચેકિંગમાં ગેરકાયદેસર સામગ્રી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છેઆ અંગે આરોપી વિરૂદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ :કચ્છના નાના રણમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો છે જેમા આદિપુરના 51 વર્ષીય કમલેશભાઈ આહિર અને તેમના 13 વર્ષીય પુત્ર ધર્મેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરિવારના અન્ય 6 સભ્યો ઇજાગ્રસ્ત, જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળે છે. આ પરિવાર આદિપુરથી વચ્છરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યો હતો વરણુંથી મેડક બેટ વચ્ચે ઇનોવા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. કાર બે થી ત્રણ ગુલાટ મારતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતિઆડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈઆ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે

Read More

લોકભાષા-ગાંધીનગર :ગુજરાત સ્થાપના દિવસે સાથે ગુજરાત માટે વધુ એક ગૌરવની ક્ષણ સામે આવી છે. સુરતમાં દેશનું પહેલું બેરિયરલેસ ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી તેનું ટ્રાયલ કરવામા આવતું હતું. આ સિસ્ટમથી હવે વાહનોને ટોલ બુથ પર વાહનો રોકવાની જરૂર નહિ પડે. ટોલ પ્લાઝા નીચેથી પસાર થતા જ ટોલ ટેકસ કપાઈ જશે. સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા દિલ્હી મુંબઈ હાઈવે (NH48) છે. કેન્દ્રીય રોડ રસ્તા પરિવહન મંત્રાલયનો આ એક પ્રયાસ છે, જેમાં આવનારા સમયમાં આ પ્રકારના ટોલ પ્લાઝા દેશમાં અન્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જેથી વાહનો રોકવા ન પડે. આ ટોલ પ્લાઝા સુરત અને ભરૂચની વચ્ચે છે.દેશનો પ્રથમ ‘બેરિયરલેસ ટોલિંગ’…

Read More

લોકભાષા-ગાંધીનગર :પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે.ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં; આ સેવા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશેપેન્શનરોને તા. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે, જેથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે; અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવાનો લાભ મળશે.જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે, બાદમાં પ્રમાણપત્રને…

Read More

લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ સ્પેશિયલ પોસ્કો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.આરોપી જયદીપ સુરેશભાઈ ચૌહાણને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી.આરોપીએ નાબાલિક કિશોરીને લગ્નની લાલચ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. મે 2024ની ગાંધીધામની ઘટનામાં કોર્ટે ચુકાદો આપ્યો ભોગવનાર ને 1 લાખ વળતર પેટે ચૂકવા સાથે 20 વર્ષ ની કેદ ની સજા ફટકારી હતી.

Read More