Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ.ગુજરાતના કંડલા ખાતે બંદર અને શિપિંગ કામગીરીમાંથી #GHG ઉત્સર્જન અને #વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સંશોધન અને કાર્યક્ષમ વ્યૂહરચનાઓને આગળ ધપાવવા માટે દિનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને ICCT ઇન્ડિયા સાથે એક વ્યૂહાત્મક MoU કરી હાથ મિલાવ્યા છે.આ સહયોગ જહાજો, સ્વચ્છ ઇંધણ, બંદર લોજિસ્ટિક્સ અને ઇન-બંદર સાધનોમાં સ્કેલેબલ માર્ગો ચાર્ટ કરશે – ઓછા કાર્બનવાળા દરિયાઇ ભવિષ્ય તરફ ભારતના સંક્રમણને મજબૂત બનાવશે.
Click on image for full letter….. લોકભાષા-ગાંધીધામ :કચ્છ કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 15 અગ્રણીઓને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છેઆ અંગે કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ દ્વારા તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન થાય તેવી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં યોગેશ પોકાર, કિરણબેન પોકાર, દશરથસિંહ ખગોરત, ઇકબાલ હાજીઅબ્દુલા મંધરા, આમદ હુશેન સંધાર, રમજાન હારુન નોડે (નલિયા), ઈશા આમદ કેર (ભદ્રવાંઢ), નવીન અબચુંગ, હાજીઅબ્દુલ હાજીહુશેન સંધાર, અસલમ લુહાર, ઓસમાણ ભચુ નોતિયાર (નલિયા), જુસબશા ઈસ્માઈલશા સૈયદ(મોથાળા), જુમાબેન મહેશ્વરી, શોકત હુશેન સુમરા (કોઠારા), લોધરા આદમ મુસાનો…
લોકભાષા-ગાંધીનગર :રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનુ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને રાહત આપતા શિક્ષણ વિભાગે 35 દિવસનું લાંબુ વેકેશન જાહેર કર્યું છે.આગામી તા. 04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશેનવું શૈક્ષણિક સત્ર 7 જૂનથીવેકેશન પૂર્ણ થયા બાદ 8 જૂન…
લોકભાષા-ગાંધીનગર :રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે . એલ. એન. રાવ દ્વારા સન્માનિત કરાયા હતા. ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલના…
પ્રદેશ ભાજપએ પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત હાથ ધરી છે. આગામી ૧મે થી ૩મે જુદા જુદા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકામા નિરિક્ષકો આવશે અને આ અંગે પ્રક્રિયા હાથ ધરી નામો પાર્લામેન્ટરી બોર્ડમા આપશે ત્યારબાદ પદાધિકારીઓના નામ નિશ્ચિત થશે. આગામી તા. ૧૦મે પહેલા પ્રથમ બોર્ડ મિટિંગ મળે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનુ મનાય છે.
લોકભાષા-ગાંધીનગર :મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટ બેઠકમાં સૌથી વધુ વપરાતી ‘ટોપ-૨૦’ સરકારી સેવાઓ હવે ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.આ સેવાઓમાં આવકનો દાખલો (ગ્રામ પંચાયત), આવકનો દાખલો (શહેરી), આવકનો દાખલો (ગ્રામીણ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (ગ્રામીણ), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – શહેરી, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – ગ્રામીણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (શહેરી), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ભારત સરકાર), અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (પંચાયત), આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – ગ્રામીણ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – શહેરી, રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબત, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત,…
તળાવમાં નાહવા ગયેલા ચાર બાળકો પૈકી એકનો પગ લપસતા ઉંડા પાણીમાં થયો હતો ગરકાવ ભચાઉ ફાયર ટીમ દ્વારા હાથ ધરી હતી શોધખોળ સતત ત્રણ કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ૧૫ વર્ષિય હરિ દજાભાઈ કોળીનુ મૃત્યુ
લોકભાષા-ગાંધીધામ :આડેસરમા બે પુત્રી સાથે માતા પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા અને બે પુત્રીના મોત નિપજ્યા હતા.વધુ મળતી વિગતો મુજબ રૈયાબેન રવાભાઈ મકવાણાની પુત્રી આરવી પાણીના ટાંકામાં પડી ગઈ હોય તેને બચાવવા ઉતરેલ રૈયાબેન આયુશી નામની ત્રણ મહિનાની બાળકી સાથે ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા ત્રણેયને ટાંકામાથી બહાર કાઢી પલાંસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા તબીબે મૃત જાહેર કર્યા છે. ત્રણ જણના ડુબી જવાથી મૃત્યુના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.આ બનાવ અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળા દ્વારા અકસ્માત અંગે…
કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ફાયર સેફ્ટીના સાધનો વડે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ ભચાઉ રેલવે સ્ટેશન પર બરેલી જતી ટ્રેનના એક કોચમાં ધુમાડા નીકળતા મુસાફરોમા ચિંતાની લાગણી ફેલાઈ હતી. શોર્ટ સર્કિટ ના કારણે ટ્રેનના કોચમાં ધુમાડા નીકળ્યા હતા. ધુમાડા નીકળતા ટ્રેનમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો.
લોકભાષા-ભુજ :”વંદે માતરમ્” ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને…

