Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીનગર :રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે . એલ. એન. રાવ દ્વારા સન્માનિત કરાયા હતા. ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલના…

Read More

પ્રદેશ ભાજપએ પદાધિકારીઓની નિમણૂક માટે કવાયત હાથ ધરી છે. આગામી ૧મે થી ૩મે જુદા જુદા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકામા નિરિક્ષકો આવશે અને આ અંગે પ્રક્રિયા હાથ ધરી નામો પાર્લામેન્ટરી બોર્ડમા આપશે ત્યારબાદ પદાધિકારીઓના નામ નિશ્ચિત થશે. આગામી તા. ૧૦મે પહેલા પ્રથમ બોર્ડ મિટિંગ મળે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું હોવાનુ મનાય છે.

Read More

લોકભાષા-ગાંધીનગર :મુખ્યમંત્રીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટ બેઠકમાં સૌથી વધુ વપરાતી ‘ટોપ-૨૦’ સરકારી સેવાઓ હવે ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલ પર ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.આ સેવાઓમાં આવકનો દાખલો (ગ્રામ પંચાયત), આવકનો દાખલો (શહેરી), આવકનો દાખલો (ગ્રામીણ), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (ગ્રામીણ), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – શહેરી, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ગુજરાત સરકાર) – ગ્રામીણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર (શહેરી), નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (ભારત સરકાર), અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર (પંચાયત), આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – ગ્રામીણ, આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેનું પ્રમાણપત્ર (આવક સાથે) – શહેરી, રેશનકાર્ડમાં નામ ઉમેરવા બાબત, રેશનકાર્ડમાંથી નામ કમી કરવા બાબત,…

Read More

તળાવમાં નાહવા ગયેલા ચાર બાળકો પૈકી એકનો પગ લપસતા ઉંડા પાણીમાં થયો હતો ગરકાવ ભચાઉ ફાયર ટીમ દ્વારા હાથ ધરી હતી શોધખોળ સતત ત્રણ કલાકની શોધખોળ બાદ બાળકનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ૧૫ વર્ષિય હરિ દજાભાઈ કોળીનુ મૃત્યુ

Read More

લોકભાષા-ગાંધીધામ :આડેસરમા બે પુત્રી સાથે માતા પાણીના ટાંકામા ડુબી જતા મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ બનાવની મળતી વિગતો મુજબ આડેસર ગામે પાણીના ટાંકામાં ડુબી જવાથી માતા અને બે પુત્રીના મોત નિપજ્યા હતા.વધુ મળતી વિગતો મુજબ રૈયાબેન રવાભાઈ મકવાણાની પુત્રી આરવી પાણીના ટાંકામાં પડી ગઈ હોય તેને બચાવવા ઉતરેલ રૈયાબેન આયુશી નામની ત્રણ મહિનાની બાળકી સાથે ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતા ત્રણેયને ટાંકામાથી બહાર કાઢી પલાંસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા તબીબે મૃત જાહેર કર્યા છે. ત્રણ જણના ડુબી જવાથી મૃત્યુના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.આ બનાવ અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળા દ્વારા અકસ્માત અંગે…

Read More

કચ્છથી બરેલી જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટનો બનાવ બનતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે ફાયર સેફ્ટીના સાધનો વડે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળતી માહિતી મુજબ ભચાઉ રેલવે સ્ટેશન પર બરેલી જતી ટ્રેનના એક કોચમાં ધુમાડા નીકળતા મુસાફરોમા ચિંતાની લાગણી ફેલાઈ હતી. શોર્ટ સર્કિટ ના કારણે ટ્રેનના કોચમાં ધુમાડા નીકળ્યા હતા. ધુમાડા નીકળતા ટ્રેનમાં નાસભાગ મચી જવા પામી હતી. ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો.

Read More

લોકભાષા-ભુજ :”વંદે માતરમ્” ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને…

Read More

લોકભાષા-ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વહીવટી સરળીકરણનો જે વિચાર આપ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વર્તમાન રાજ્ય સરકાર વેગવંતો બનાવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યના શાસનમાં વહિવટી વિકેન્દ્રીકરણથી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહે…

Read More

લોકભાષા-ગાંધીનગર : ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવતા મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સ કે જેમનું મૂલ્ય રૂ. ૫૦૦ કરોડથી…

Read More

લોકભાષા-ગાંધીનગર : ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે. ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ…

Read More