Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : આદિપુર સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણી લીલાશાહ મહારાજ ની ૫૧ મી પુણ્યતિથિ નિમિતે ૧૦, ૧૧, ૧૨ તારીખે ત્રિદિવસીય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેની આદિપુર ગાંધીધામ માં પરિક્રમા કરવામાં આવી હતી. બીજા દિવસે સમૂહ જનોઈ તથા ત્રીજા દિવસે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન, વિદ્યાદાન અને કન્યાદાન ના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજી ના સંકલ્પો ને સાકાર કરવાનું કાર્ય આજે પણ તેમના અનુયાયીઓ કરી રહ્યા છે. જય રામજી કી ના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળ માં ભોજન ની ચિંતા રામ પર મૂકી લોક…
લોકભાષા-ભુજ : ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે રંગેચંગે આજરોજ પ્રારંભ કરાયો હતો. પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેની ઝલક ટુરીસ્ટોના મન મોહી લેશે નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવનો આરંભ થાય છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજથી ધોરડો રણઉત્સવનો આરંભ થયો છે જોકે આજથી માત્ર ટેન્ટસિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ હવે ઉભી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફટ બજાર આગામી 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. આજથી ધોરડોમાં…
લોકભાષા-ભુજ : એક લાખના દોઢ લાખ આપવાની ઇન્સ્ટ્રાગ્રામ પર રીલ જોઇ નાસીકના કોન્ટ્રાક્ટર લાલચમાં આવી ગયા ધૂતારાઓએ ભુજ રૂપિયા આપવાનું કહી ભુજ બોલાવીને જ્યુબીલી સર્કલ પાસે ત્રણ લાખના બદલામાં સાડા ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને ત્રણ લાખ ભરેલી થેલી ઝુંટવીને ફરાર જઇ થઇ ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બે ઠગબાજ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. મુળ નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામના અને હાલ મહારાષ્ટ્રના નાસીક જિલ્લાના માડસાંગ્વી ખાતે રહીને સેન્ટ્રીંગનું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિશોરભાઇ અરવિંદભાઇ પટેલે વિવેક પંડ્યા અને એક અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ટ્રાગ્રામમાં વિવેક પંડ્યા નામની આઇડી પર…
લોકભાષા-ગાંધીધામ : અંજારમા થયેલી બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અંજાર શહેરી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન હ્યુમન સોર્સીસ આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ચોરાઉ બે બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા હતા અંજાર પોલીસે આરોપી જગદીશભાઈ જયરામભાઈ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.પ્રજાપતી છાત્રાલય અંજાર, નટવ૨ભાઈ વજાભાઈ બોરીચા ઉ.વ.30 રહે, જી.આઈ.ડી.સી.અંજાર અને નારણભાઈ પુજાભાઈ દાફડા ઉ.વ.૩૦ રહે, જી.આઈ.ડી.સી.અંજારને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએ-5912 કિંમત રૂપિયા ૩૦૦૦૦ અને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએલ-3145 જેની કિંમત રૂપિયા ૩૦૦૦૦…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ સહિત ચાર જીલ્લામાથી તડીપાર થયેલ શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ બે માસ અગાઉ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અંજારએ અશોકગીરી સુખગીરી ગૌસ્વામીને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાઓમાથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. આ આરોપી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર પ્રવેશ કરી ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે હોવાની ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરી તડીપાર કરવામાં આવેલા અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ઉ.વ.૩૩ રહે- જગદંબા સોસાયટી મ.નં.બી-૧૧૫ કિડાણા તા-ગાંધીધામને ઝડપી પાડી તેના વિરૂધ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ અંગે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે જી.પી.એક્ટ…
લોકભાષા-ભુજ : તાલુકાના માનકુવા ગામે આવેલ ભંગારનાં વાડામાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે આ બનાવ બનવા પામ્યો હતો ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગતા ભુજ નગપાલીકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બનાવમાં ભંગાર ખાખ થઇ ગયો હતો. આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ જાણી શકાયું નથી. પરંતુ એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ઘટનાને લઈને કોઈ જાન હાની થવા પામી ન હતી
લોકભાષા-ભુજ : ભુજ તાલુકા વિસ્તારમાં રેતી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક ટ્રક સહીત બે વાહનો કબ્જે કરાયા છે. મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ખાનગી વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન પ્રાથમીક દ્રષ્ટીએ પરમીટ વિસ્તાર બહાર સાદીરેતી ખનિજનું ખનન થતુ હોવાનું તપાસટીમને જણાઇ આવતા સાદીરેતી ખનિજનું ખનન/ વહન કરતા એક એક્સકેવેટર મશીન તથા એક ટ્રક ને સીઝ કરવામાં આવેલ છે. તથા તપાસટીમ દ્વારા જોવા મળેલ સાદીરેતી ખનિજના ખોદકામ વાળા વિસ્તારની માપણી કરવામાં આવેલ છે. જે મુજબ નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.
લોકભાષા-ગાંધીધામ : શહેરના મચ્છુનગર વિસ્તારમાં થયેલ રાત્રી ધરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૬,૬૪,૦૦૦ની ચોરી થઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણાને સોના ચાંદીના દાગીના સહીતના મુદામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈશમ દ્વારા રાત્રી દરમ્યાન દરવાજો તોડી…
લોકભાષા-ભુજ : સલામત સવારી એસટી અમારીની વાતો વચ્ચે આજે માંડવી નારાયણ સરોવર વાયા નલિયા બસનુ ટાયર નીકળી ગયુ હતુ આજે આ ઘટના બનવા પામી હતી ચાલુ બસમાં ટાયર નીકળી ગયુ હતુ. જોકે કોઈ જાન હાની થવા પામી ન હતી. અવારનવાર આવી સમસ્યા સર્જાય છે ત્યારે એસ.ટી તંત્રએ તમામ બસોમાં કોઈ તકલીફ છે કે કેમ તે જોવું જોઈએ તેમજ જ્યાં સમસ્યા હોય તેનું નિરાકરણ કરીને પછી જ બસ સેવામા મુકવી જોઈએ આજે જો કોઈ જાન હાની થઇ હોત તો નિર્દોષ લોકો ભોગ બન્યા હોત આ વાત ભૂલવી ન જોઈએ આજે કચ્છ એસ.ટી વિભાગની મોટાભાગની બસો ભંગાર છે કોઈના ટાયર બરાબર નથી…

