Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : નખત્રાણા ઓસીપી માર્કેટમાં લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેના કારણે થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી. ગેસ વેલ્ડીંગની ગેરેજ પાસે બસમાં આગ લાગી હતી જો કે આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી નથી બનાવને લઈને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવા પાછળના કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવમાં બસને નુકશાની થઈ હતી બનાવને લઈને દોડધામ મચી જવા પામી હતી સ્થળ પર રહેલા લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીએ ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાના જથ્થો ઝડપી પાડયો હતો. મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફને ખાનગી બાતમી હકીકત મળેક કે, અંજાર વિસ્તારમાં આવેલ આંબેડકરનગર તળાવની બાજુમાં સિનુગ્રા તા. અંજાર ખાતે મહમદહાજી મહમદહુસેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યુ છે. જેથી બાતમીના આધારે રેઇડ કરી હતી. રેડ દ૨મ્યાન તપાસ કરતા આરોપીના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલ૨ના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા, પાંદડા તથા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અંગ પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી વિપુલ વલ્લભભાઈ કાવેઠીયાનેઝડપી પાડ્યો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના આરોપી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા જે આરોપીઓ બાબતે ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીએ બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનનાં આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. બાલાસર પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ચૌધરી દ્વારા પ્રોહીબીશનના આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેને કલેકટર કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બીની ટીમ દ્વારા આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. ૨વ મોટી તા.રાપરને ઝડપી પાડ્યો હતો મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપ્યો હતો.

Read More

લોકભાષા-ભુજ : ગઢશીશા અને મોટી રાયણમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને વયસ્કના અકાળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકે મુળ ઉતરપ્રદેશના અને ગઢશીશા ગામે રહેતા રામસિંહ ઓમકારસિંહ ચૌહાણે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગુલ્લુસિંહ ઓમકારસિંહ ચૌહાણ (ઉ.વ.20) પોતાના કબ્જાની મોટર સાયકલથી સોમવારે સાંજે સાડા છ વાગ્યે ગઢશીશાથી શેરડી ગામ તરફ જતો હતો. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ મોટી રાયણ ગામે રહેતા ઉમરભાઇ જુણેજા…

Read More

લોકભાષા-ભુજ : ભુજના હમીરસર તળાવમાં લાશ મળી આવી હતી. મહિલાની લાશ તરતી જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી હતી.પોલીસે લાશ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર બનાવમાં મૃતદેહ કોનો છે તે અંગેની ઓળખ હાથ ધરવામાં આવી છે. આજે ફાયરની ટીમને જાણ થતાં લાસને બહાર કાઢી હતી. મહિલાએ આત્મહત્યા કરી છે કે કેમ તે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ રહસ્ય ઘૂંટાઈ રહ્યુ છે સત્ય કારણ પોસ્ટ મોર્ટમ બાદ ખુલવા પામશે.સમગ્ર કેસમાં અગાઉ ગુમ થયેલ મહિલાઓની જાણકારી મેળવવામાં આવી રહી છે જેની હકીકતો બાદ વિગતો બહાર આવશે

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના પાન્ધ્રોથી લૈયારી ગામ વચ્ચે ગોલાઇ પર ધડાકા સાથે બે કાર અથડાતાં મહિલા અને બાળકી સહિત આઠ લોકોને વતી ઓછી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નખત્રાણા અને ભુજ ખસેડવામાં આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. પોરબંદરના આદિત્યાણા ખાતે રહેતો પરિવાર માતાનામઢ દર્શન કરીને એક્સયુવી કારમાં નારાયણસરોવર જઇ રહ્યો હતો. ત્યારે પાન્ધ્રો અને લૈયારી વચ્ચે વારછાદાદાના મંદિરની ગોલાઇમાં સામેથી આવતી અચાનક વેગનઆર કાર આવી જતાં બન્ને કાર સામ-સામે ધડાકાભેર અથડાઇ પડી હતી. જેમાં એક્સયુવી કારમાં સવાર પોરબંબરના પરિવારના મહિલા અને બાળકી મળી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના કોડાય પાસેથી વધુ એક વખત એલસીબીએ ખનીજ ચોરી સબબ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત પશ્વિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો, જેમાં રેતી ભરેલા પાસ પરમીટ વગરના બે ટ્રેક્ટરને તેના ચાલકો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જપ્ત મુદ્દામાલને કોડાય પોલીસ મથકના હવાલે કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી એલસીબી પીઆઇ એસ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બીદડા – મોટા ભાડીયા રોડ બાજુ કેનાલ પાસે બે ટ્રેક્ટર આઇસર કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12…

Read More

લોકભાષા-ભુજ : પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે પોતાની માલિકીની કેટલી જમીન છે, તેની પણ જાણકારી નથી. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન ક્યાં ગામે છે. તેમની કોઈ માહિતી તેમની પાસે નથી, જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬ માં જમીન સંપાદન કરેલ છે, જેની રેવન્યુ રેકડમાં નોંધ પડી ગયેલ હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠા ના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે…

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડમા ટુંકા સમયમાં ફરી એક સાથે આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા આઠ મંદિરોમા ચોરીથી ભકતોમા આક્રોશની લાગણી વ્યાપી છે જાણે વાગડના મંદિરોને નિશાન બનાવી પોલીસને તસ્કર ટોળકીએ પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે વાગડમા તસ્કરોએ વધુ આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા જુદા જુદા વિસ્તારોમાં આઠ મંદિરોના તાળા તુટયા હતા. મંદિરમા ચોરીના બનાવથી ભક્તોમા રોષની લાગણી વ્યાપી છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. થોડા સમય પહેલાં જ વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી…

Read More