Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : વાગડ પ્રદેશ વિવિધ રીતે પ્રખ્યાત છે જેમાં કચ્છ જિલ્લામાં ગુનાખોરીમાં જોવા જઈએ તો પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં વાગડ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ કાયમ ઊંચો જોવા મળે છે. આ કેસની વિગતો મુજબ ગત તા. 25મી ઓક્ટોબર 2021ના સાંજના સમયે શાળા છૂટ્યા બાદ બાળકો રમત-ગમતનો આનંદ લેતા હોય ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડા આહિર કાનજી રણછોડ ઢીલા આહીરના ઘર પાસે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને બ્રેક મારતા હોય મરણ જનારે ઠપકો આપતા આરોપી મોમાયા ઉર્ફે પપ્પુએ ગાળા ગાળી તથા ઝઘડો કરેલો અને મરણ કાનજીએ આપેલ ઠપકાને મનમાં રાખીને રાત્રિના સુમારે મરણ જનારના પુત્ર ઈશ્વર ઢીલા આહીરને ફોન…

Read More

લોકભાષા-ગાંધીધામ : પુર્વ કચ્છ જીલ્લાના બાઈક ચોરીના રિઢા ગુનેગા૨ને ચોરીના પાંચ બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તેની સાથે એક કાયદાના સંઘર્સમાં આવેલ કિશોરને પકડી મોટરસાયકલ ચોરીઓનો અંજાર પોલીસે ભેદ ઉકેલ્યો હતો. આ અંગેની પોલીસે આપેલી માહિતી મુજબ અંજાર પોલીસ સ્ટાફના કર્મચારીઓ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વરસામેડી સીમ વિસ્તારમાંથી એક નંબર પ્લેટ વગરનુ મોટરસાયકલ લઇ આવતા આરોપીની પુછપરછ કરતા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. અંજાર પોલીસે મોટરસાયકલ સાથે બે ઇસમોને પકડી પાડેલ અને તેઓએ પુછપરછ દરમિયાન બીજા ત્રણ મોટરસાયકલ આગળ બાવળોની ઝાડીઓમાં વરસામેડી સીમમા છુપાવ્ય હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે કબજે કરેલા બાઈક પૈકી ચાર બાઈક…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના કુકમાં ગામે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો સોમવારે બપોરે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહિતની ટીમે દબાણો દૂર કર્યા હતા આ સમયે સરપંચ સહિતનાઓએ વિરોધ કર્યો હતો. આ અંગે સરપંચ સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે ગામમાં નાના દબાણો દૂર કરાય છે ત્યારે મોટા યથાવત રહેવા પામે છે દબાણો દૂર કરવા હોય તો તમામના દૂર થવા જોઈએ નહીં કે નાના લોકોના દબાણો દૂર થવા જોઈએ આ બનાવને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. સ્થળ પર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો પણ પહોંચી આવ્યા હતા અને કામગીરીને લઈને વિરોધ પણ કર્યો હતો…

Read More

લોકભાષા-ગાંધીધામ : દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા વર્તમાન સમયમાં કાર્ગો હેન્ડલિંગમાં વધારો કરવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોર્ટ વપરાશકારોને મુશ્કેલ ન પડે અને પોર્ટ ઉપર સરળતાથી કામગીરી થઈ શકે તે માટે ચેરમેન દ્વારા તમામ વિભાગના વડાઓ સાથે સમયાંતરે ચર્ચા કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે ત્યારે વૈશ્વિક વેપારને મજબૂત બનાવવા માટે પણ કામગીરી કરી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે. દિનદયાળ પોર્ટ ઓથોરિટીના કંડલા પોર્ટ ખાતે ટીમ્બરનુ મોટા પ્રમાણમાં હેન્ડલિંગ થાય છે ત્યારે ટીમ્બર ઉદ્યોગના વિકાસ માટે પણ ડીપીએ પ્રયત્નશીલ છે અને તેના ભાગરૂપે ન્યુઝીલેન્ડ ફોરેસ્ટ સર્વિસના વડા સેમ કીનનએ દિનદયાળ પોર્ટની મુલાકાત લીધી હતી. દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર…

Read More

લોકભાષા-ગાંધીધામ : કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, મદદનીશ કલેક્ટર સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીએ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી રામદાસ આઠવલેને આપી હતી. ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરે આપી હતી. અનુસૂચિત સહકારી મંડળીઓને જમીનના હક્કો અપાવવા, અનુસૂચિત જાતિની યોજનાઓનું કચ્છમાં અમલીકરણ, અનુસૂચિત જાતિની જિલ્લામાં વસ્તી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસે મળેલી બાતમીના આધારે ૪.૩૯ લાખનો દારૂ ઝડપી લીધો હતો જો કે આરોપી નાસી છુટયો હતો. રેડ દરમિયાન વાહનો સાથે ૧૯.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેશ દેવાભાઈ ભરવાડ રહે. યશોદાધામ નાની ચિરઈ તા. ભચાઉ વાળાએ યશોદાધામ ગામની પાછળ સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં વાહનોમાં ભા૨તીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે સંતાડી રાખેલ છે. અને હાલે સ્થળ ઉપર હાજર રહી ઈંગ્લીશદારૂ સગેવગે ક૨વાની પેરવીમાં છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં…

Read More

લોકભાષા-ભુજ : કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે છેલ્લા ઘણા સમયથી રીક્ષા તાલુકો મોંઘાભાડા લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે આરટીઓ અને પોલીસ તંત્ર ગંભીર બને તે જરૂરી બની રહે છે લોકોના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રીક્ષા ચાલકો બેફામભાડા લઈ રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે એક તરફ ભુજ શહેરમાં સીટી બસની વ્યવસ્થા નથી ત્યાં બીજી તરફ રિક્ષાચાલકો મન માની કરીને બેફામભાડા લઈ રહ્યા છે જે યોગ્ય બાબત ગણી શકાય નહીં એટલું જ નહીં રીક્ષા ચાલકો ક્યાંય પણ મીટર પણ લગાડતા નથી બેફામ રીતે ભાડા લઈ રહ્યા છે પરિણામે…

Read More

લોકભાષા-ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે. આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂપિયા 1646.44 કરોડ મંજૂર કર્યા છે. એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના નિરોના ગામમાં મોટેરા સાથે સગીરો પણ દેશી દારૂની લતે ચડી ગયા છે અને દારૂ વેંચાણ સામે પોલીસ વિભાગ આંખ આડા કાન કરી રહયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જોકે આ બાબતે પોલીસે નશાખોરી સામે કાર્યવાહી થતી રહેતી હોવાથી કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. આ મામલે ભુજના અનુસૂચિત સમાજ અગ્રણી લખન ધુવા સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ મથક બહાર પ્રતીક ધરણા યોજી દારૂ વેંચાણ અંગે નારાજગી દર્શાવી તેના સામે પગલાં લેવાની માગ કરતો વિડીયો સોસીયલ મીડિયા ઉપર જોવા મળ્યો હતો. જે અંગે ધુવા સાથે વાત કરતા તેમણે પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામકાજથી નીકળતા…

Read More

લોકભાષા-ભુજ : ભીરંડીયારામાં અદાણી કંપનનીના ઇલેકટ્રીક થાંભલા પર 16 વર્ષના સગીરએ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત આપઘાત કરી લીધો હતો. બીજીતરફ નખત્રાણાના નવા રસલીયા ગામની વાડીમાં વીજ કરંટ લાગવાથી પરિણિતાનું મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ મોટા બાંધા ગામના અને હાલ ભીરંડીયારા નજીક ભેંસના વાડા પાસે રહેતા જાફર ભચલ હિંગોરજા (ઉ.વ.16) નામના કિશોરે શુક્રવાર રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ભેંસના વાડાથી થોડે દુર અદાણી કંપનીની લાઇટના ઇલેકટ્રીક થાંભલા પર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ કરી છે. નખત્રાણાના નવા રસલીયામાં…

Read More