Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોને ડામવા પશ્ચિમ કચ્છ પોલીસે જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને 42 આરોપીઓના રહેણાક અચાનક છાપો માર્યો હતો. જેમાં બે આરોપીઓને તલવાર, ધારિયા, છરી, નકલી બિસ્કિટો સાથે પકડયા હતા. દરમિયાન ભુજ શહેર પોલીસ મથકના છેતરપીંડી, અપહરણ અને ગેરકાદે હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા ભુજ રહિમનગરમાં રહેતા ચીટરના ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પિયો કાર મળી આવી હતી. જેમાંથી 24,31,342ની કિંમતના સોનાના દાગીના અને 6 લાખ 90 હજાર રોકડા રૂપિયા તથા ધારિયું, તલવાર, ભાલો અને લોખંડના પાઇપ સહિતનો મુદમાલ મળી આવ્યો હતો. જ્યારે રીઢો આરોપી હાથ લાગ્યો ન હતો. તો બીજીતરફ એરપોર્ટ…

Read More

લોકભાષા-ભુજ : કચ્છમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીયોલોજી-ભૂકંપને લઈ રિસર્ચ કરાશે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઈએસઆર) વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.આ એમઓયુ હેઠળ, કચ્છ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે જીયોલોજી, ભૂકંપ અને જીઓફિઝિક્સ સાથે સંકળાયેલા વિવિધ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે.એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યુટ છે કચ્છ યુનિવર્સીટીના હેડ ઓફ જી્યો સાયન્સ અને ડીન ફેકલ્ટી ઓફ સાયન્સના સુભાષ ભંડારીના જણાવ્યા પ્રમાણે આઈએસઆર ભારતની એકમાત્ર સંશોધન ઇન્સ્ટિટ્યૂટ છે જે ભૂકંપ પર ઉચ્ચતરનું સંશોધન કરે છે અને ગુજરાત જ નહીં, પરંતુ ભારતના વિવિધ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું…

Read More

લોકભાષા-ગાંધીધામ : અહીંના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજરોજ ભવ્યાતિભવ્ય વૈભવશાળી સર્વ પ્રથમ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. અગ્રવાલ સમાજ દ્વારા પારિવારીક લગ્ન જેવી ભવ્યતા અને રજવાડી ઠાઠ સાથે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ૧૧ યુગલો સપ્તપદીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ તકે ગાંધીધામના આંબેડકર ભવન ખાતે અગ્રવાલ સમાજની સામાજિક સંસ્કૃતિની ભવ્ય ઝલક જોવા મળી હતી. ગાંધીધામ અગ્રવાલ સમાજના પરિવારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય લગ્ન સમારોહમાં આચાર્ય ઠાકુરદત્ત શર્માના માર્ગદર્શન હેઠળ ભૂદેવોએ ૧૧ દંપતિઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના ફેરા કરાવ્યા હતા. મહામંડલેશ્વર પ.પૂ.ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહમાં કાસેઝના ઝોનલ…

Read More

લોકભાષા-ભુજ : ભુજમાં મટન શોપ ચલાવતાં ૨૫ વર્ષિય યુવકને આદિપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવી પાંચ જણે કાવતરું ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવમાં કોંગ્રેસના નગરસેવક સહીત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ગત તા. ૧૭-૧૧-૨૦૨૪થી ૨૫-૦૨-૨૦૨૫ દરમિયાન બનેલા બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે આદિપુરની મુસ્કાન નામની યુવતી સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરીને કેટલાંક આરોપીઓની અટક કરી ગહન પૂછપરછ હાથ ધરી છે. શહેરના હારુન જવેલર્સ પાસે ખાટકી ફળિયામાં રહેતા અને મટન શોપ ધરાવતા મહેબુબ શબ્બિર ખાટકીએ બનાવ અંગે મુસ્કાન, કોડકી રોડ પર ધારાનગરમાં રહેતા કોંગ્રેસી…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના માનકુવા અને ડાકડાઇ ગામ વચ્ચે મંગળવારે વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતના બનાવમાં જોંકું આવી જવાથી ટેન્કર ઝાડ સાથે ધડકાભેર અથડાતાં રાજસ્થાની ડ્રાઇવરનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. માનકુવા પોલીસને ગાંધીધામ ખાતેના શહેર એન્ટરપ્રાઇઝ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતા નરેન્દ્રભાઇ ભંવરલાલ લીંબાવતે જણાવ્યું હતું. કે, તેની ટ્રાન્સપોર્ટનું ટેન્કર લઇને મુળ રાજસ્થાનના ડ્રાઇવર શંકરલાલ ઓમપ્રકાસ ચૌહાણ (ઉ.વ.30) સામખીયાળીથી અબડાસાના કોરીયાણી ખાતે માલ ભરવા જઇ રહ્યો હતો. ત્યારે માનકુવા ડાકડાઇ ગામ વચ્ચે વહેલી સવારે શંકરલાલને જોકું આવી જતાં વતી સાથે જતું ટેન્કર લીંબડાના ઝાડ સાથે અથડાતાં ઝાળ આખું તોડી નાખ્યું હતું. અને ડ્રાઇવર શંકરલાલને ગંભીર ઇજાઓ થતાં ટેન્કરમાંથી ઉતરીને બાજુના…

Read More

લોકભાષા-ગાંધીધામ : નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા અને ઊર્જા સંક્રમણ તરફ એક મહત્વપૂર્ણ પગલાને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે “મેક-ઇન-ઇન્ડિયા” હેઠળ એલ એન્ડ ટી દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. ફ્લેગ-ઓફ સમારોહમાં ટી.કે. રામચંદ્રન, આઈએએસ, સચિવ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, સુશીલ કુમાર સિંઘ, ડીપીએના ચેરમેન અને ડેરેક એમ. શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ, એલ એન્ડ ટી ગ્રીન એનર્જી ઉપસ્થિત રહ્યા હતા. એલ એન્ડ ટીના હજીરા ઉત્પાદન સુવિધાથી ઇલેક્ટ્રોલાઇઝર્સને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં ડીપીએના અધિકારીઓ અને કર્મચારીઓ…

Read More

લોકભાષા-ભુજ : ભારતીય મજદુર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગતના ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ભુજમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ભારત સરકાર તથા ગુજરાત સાથેની બજેટ પૂર્વેની બેઠકમાં થયેલ માંગણી મુજબ સ્કીમ વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથેની બેઠકમાં રજૂ થયેલ મુખ્ય મુદે કોઈ જાહેરાત ન થતાં નારાજગી વ્યકત કરી તાકીદે કોઈ જાહેરાત નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવામાં આવશે. હાઈકોર્ટના ચુકાદાનું ત્વરીત પાલન કરવું અને જયાં સુધી કોઈ નિર્ણય આપના લેવલથી ન આવે ત્યાં સુધી બહેનોને મિનીમમ વેઈઝ એકટ મુજબ લઘુતમ વેતનની ચુકવણી કરવી, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી…

Read More

લોકભાષા-ભુજ : માંડવીમા નોંધાયેલા સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીને વૃંદાવનથી ઝડપી લેવાયો હતો. પત્રકાર પરિષદમાં એસપી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદથી ઝીરો નંબરથી એફઆઈઆર અહીં ટ્રાન્સફર થઈ હતી, જેમાં ભોગ બનનાર મહિલાની પુછપરછ કરી હકીકત જણાઈ આવતા માંડવી પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા. રેપ વિથ વિશ્વાસઘાતના આ ગુનામાં માંડવી પોલીસે વૃંદાવન જઈને આરોપી મુળ રાજસ્થાનના કોટાના હર્ષિત ઉર્ફે હર્ષ જગદીશ પરેતાની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ છે.

Read More

લોકભાષા-ગાંધીધામ : વાગડમા સગીર મિત્રોએ જ બાળકની મોબાઇલ ગેમની આઈડી માટે છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે મોબાઈલ ગેમને કારણે બાળકોમા વધતી આક્રમકતા સમાજ માટે આઘાતજનક છે. વાગડના બેલામા આવા જ બનાવ બાળકોને મોબાઈલ ગેમ માટે પ્રોત્સાહિત કરતા અથવા સાથ આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે. રાપર તાલુકાના બેલા ગામમાં સગીરવયના ત્રણ બાળકોએ પોતાના 13 વર્ષિય મિત્ર પ્રવીણ નામેરી રાઠોડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે પોલીસ ભોગ બનનારના ભાઈ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને કાયદાના સંઘર્ષમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિમંડળ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાને પશ્ચિમ રેલ્વે ચર્ચગેટ ના મુખ્ય કાર્યાલય, મુંબઈ ખાતે રૂબરૂ આમંત્રિત કરતાં મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળમાં પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી અને ડીઆરયુસિસી તથા ચેમ્બરના કારોબારી સભ્ય રાકેશકુમાર જૈન સામેલ રહ્યા હતા. આ બેઠકમાં કચ્છ પ્રદેશના રેલ વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે જનરલ મેનેજર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. કચ્છ પ્રદેશને નવી ટ્રેન સુવિધાઓ અંગે એક વિસ્તૃત આવેદન પાઠવતાં, પ્રમુખ મહેશ…

Read More