Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેનએ દુરંદેશી દ્રષ્ટિકોણ અને મજબૂત નેતૃત્વનું પ્રદર્શન કરતાં નાણાંકીય વર્ષ 2025-26 માટે નીતિ સ્થિરતા, પોર્ટ સંચાલન સુગમ બનાવવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ વ્યૂહાત્મક પગલાંઓની જાહેરાત કરી છે. વેપાર સમુદાય અને વેપાર સંગઠનોના વરિષ્ઠ સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં, અધ્યક્ષે હરિત સાગર વિઝન હેઠળ ભારતના મહત્વાકાંક્ષી પર્યાવરણીય લક્ષ્યોને સક્રિયપણે સમર્થન આપતા, સ્થિર, અનુમાનિત અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા માટે ડીપીએની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ડીપીએના ચેરમેનના નેતૃત્વ હેઠળ, ઓપરેશનલ ફ્રેમવર્કમાં લાંબા ગાળાની સ્થિરતાની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ દિશામાં એક મોટું પગલું એટલે કે નવી સંકલિત બર્થિંગ અમલમાં મૂકવામાં આવી છે,…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમાં રોકાણનું વાતાવરણ અને બિઝનેસ કરવાની સરળતા પર એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ પૂજ સાથે ગુજરાત ચેમ્બર, ફિક્કી, એસોચેમ અને સીઆઈઆઈ તેમજ ગુજરાતની અન્ય ચેમ્બરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના જણાવ્યા અનુસાર આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યત્વે કચ્છના સર્વાંગી વિકાસ માટે ગાંધીધામ ચેમ્બરની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. બેઠકમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓમાં લોજિસ્ટીક અને ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન, અને ઔદ્યોગિક વિકાસ માટે કંડલા, મુન્દ્રા અને તુણા પોર્ટના ડેવલોપમેન્ટને કારણે ટ્રાફિક વધારો થવાની સંભાવના ને જોતાં સિક્સ લેનમાં…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ કમોસમી વરસાદથી કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું નોંધાયું હતું. વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતમાં જ પીજીવીસીએલને લાપરવાહી ગણો કે બેદરકારી છતી થઈ છે રાત્રિના સમયે ફીડરમાં ફોલ્ટ સર્જાતા મુખ્ય બજાર સહિત રહેણાંક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટ છવાયો હતો. ગાંધીધામ શહેરના લોકો અનેક યાતનાઓ અને મુશ્કેલીઓ વેંઢારી રહ્યા છે માત્ર વહીવટી તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે સમસ્યાઓ લોકોના માથે પડે છે ગાંધીધામ શહેરની મુખ્ય બજાર અને નજીકના વિસ્તારમાં ગુરુવારે રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લોકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં સંપર્ક કરતા ફીડરમાં ફોલ્ટ સર્જાયો હોય એકાદ કલાક વીજ પુરવઠો બંધ રહેશે તેવા પ્રત્યુત્તર મળી રહ્યા હતા. એક તરફ સરકાર દ્વારા 24 કલાક વીજળી આપવાની મોટી…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ગડા ગામ નજીક એક ખેતરમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે.આ આગના કારણે ખેતરમાં ઉભેલો 4 એકર ઘઉંનો પાક સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયો છે. એટલું જ નહીં,ખેતરમાં લગાવેલી ડ્રિપ સિસ્ટમને પણ ભારે નુકસાન થયું છે.આગ એટલી ઝડપી ફેલાઈ કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી તે પહેલા જ મોટું નુકસાન થઈ ગયું. આ દુર્ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા ખેડૂતને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જયારે માનકુવામાં મોપેડમાં આગની ઘટના બનવા પામી હતી

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના સરલી ગામે આવેલી પથ્થરની ખાણમાંથી ચોરી કરી જવાના કેસમાં માનકુવા પોલીસે ગણતરીના કલાકોમાં દહિસરાના આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપીના કબ્જામાંથી રૂપિયા 35,800નો ચોરાઉ મુદામલ સાથે બે લાખની ટ્રક કબ્જે કરી હતી. પુછપરછમાં અન્ય સરલી ગામના બે ચોરના નામ ખુલ્યા હતા. સરલી અને ઝીંઝો ટીંબો વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં ગત 21 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. જે અંગે બુધવારે માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન માનકુવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના પગલે માનકુવા પોલીસની ટીમે દહિંસરા ગામે રહેતા અસલમ ઉર્ફે ભાલો અબ્દુલ કુંભાર (ઉ.વ.27)ને ઝડપી પાડ્યો હતો.…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ભારાપરમાં પરણીત મહિલાએ અને પધ્ધર પાસેની કંપનીમાં મજુરે અકડ કારણોસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તો, ખાવડા પાસેની આર.ઇ. કંપનીમાં થાંભલા પર પડી જતાં શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ અંગે તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપર ગામે રહેતા કાંતાબેન પુનમભાઇ મહેશ્વરી (ઉ.વ.37) નામના મહિલા બીમાર રહેતી હોય બીમારીથી કંટાળીને ગત 16 માર્ચના સાંજે સાડા છ વાગ્યે પોતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. મહિલાને પ્રથમ કે.કે. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં ફરજ પરના તબીબે બુધવારે રાત્રે સાડા નવ વાગ્યે મૃત જાહેર…

Read More

લોકભાષા-ભુજ : શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીને કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ રજુઆત કરી હતી લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર અંજાર ભુજ ખાવડા ધર્મશાળા સુધી નવ નિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થાય છે તેને શેખપીરથી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે વિનંતી પત્ર આપ્યો હતો. મંત્રી નિતિનભાઈ ગડકરીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યું હતું કે ૧૫૨ કી.મી નું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છ ભીમાસર – અંજાર…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના દયાપર ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલીને સગર્ભા મહિલાનું નિદાન અને પ્રસુતિ કરાવતી બીહારની બોગસ મહિલા તબીબને આરોગ્ય વિભાગ અને દયાપર પોલીસે રૂપિયા 4,69,339 ની કિંમતના એલોપેથીક દવાઓ અને સાધનો સાથે ઝડપી પાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દયાપર પોલીસ અને દયાપર હેલ્થ ઓફિસરની ટીમે બાતમીના આધારે દયાપર ગામે મારૂતી કોમ્પ્લેક્ષમાં આવેલ જનની હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મુળ બીહારની અને હાલ દયાપર ગામે રહેતા અનુરાધાબેન મંટુપ્રસાદ યાદવ (ઉ.વ.39) નામની બોગસ મહિલા તબીબ મળી આવી હતી. તેની પાસેથી કોઇ પણ જાતના એલોપેથીક કે, ગાયનેક ડોકટર તરીકેની ડીગ્રી કે, સર્ટી ન હોવા છતાં છેલ્લા ત્રણ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત સઘન બનાવી હતી અને ટેક્ષ ભરવામાં કસુરવાર એકમો સીઝ કરવામાં આવ્યા હતા તેમજ હજુ ટેક્સની ભરપાઈ કરવામાં નહી આવે તો હરરાજી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્રારા ગાંધીધામ ખાતે સેક્ટર-11 ના પ્લોટ નં.77, પ્લોટ નં.77/1 તથા પ્લોટ નં.94 ના બાકી મિલકત વેરા અનુક્રમે રૂપિયા 7,54,527, રૂપિયા 10,21,126 અને રૂપિયા 15,78,024 વર્ષ 2024-25ના માર્ચ-2025 અંતિમ બાકી નીકળતા હોય તેઓને નોટીસ આપવામાં આવેલ હોવા છતા બાકી રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સદર પ્લોટ પર આવેલ કુકવેલ ફૂડ પ્રા. લિ. ને જપ્તી/સીલ કરવામાં આવેલ છે તેમજ સમયમર્યાદા…

Read More