Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : કચ્છમાં ભારે વાહનો અને માર્ગની બતર હાલતના કારણે અકસ્માતના બનાવોમાં ઉછાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાકાય વાહન થકી અનેક લોકોના જીવ ગયા છે. તેવામાં ભુજ નજીકના માધાપર ગામે પોલીસ ચોકી સામે સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ગતીભેર આવી રહેલા ટ્રેઇલરે એક્ટિવાને અડફેટે લેતાં ભુજ મહિલા કોલેજના શિક્ષિકાનું ટાયર નીચે આવી જવાથી ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને પટેલ ચોવીસીના ગામો તેમજ શિક્ષિક સમાજમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોલીસ ચોકી સામેના રોડ પર બન્યો હતો. માધાપર નવાવાસમાં રહેતા અને ભુજમાં…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નજીકના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બે કંપનીમાં વીસેક દિવસ અગાઉ લાગેલી આગથી 18 કરોડનું નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ આગ કંપનીના સુપરવાઇઝરના કહેવાથી બે શ્રમિકે પીપમા પડેલા યુઝડ ગારમેન્ટમા લગાવ્યા બાદ લાગી હોવાનું બહાર આવતા ત્રણ કર્મચારીઓ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની વિગતો મુજબ કાસેઝમાં ટેક્સપોલી ઇમ્પેક્સ તથા બાબુ ઇન્ટરનેશનલ કંપનીઓમિ ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી. આગના આ બનાવમાં બંને કંપનીને રૂા. 18 કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો હતો. આ બનાવથી કંપનીઓમાં રહેલ કપડાંની ઘાંસડીઓ (બેલ), મશીનરી વગેરે બધું સળગી ગયું હતું. બનાવની તપાસ કરનાર પોલીસે એફ.એસ.એલ. અર્થે…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને મળેલ બાતમી મળી હતી કે સિધેશ્વ૨ તળાવની પા૨ ઉપ૨ ગંગાનાકા અંજાર પાસે આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ તથા અલ્લારખા જુસબ નોડે તથા મોહમદ અબ્દુલ કકલ પોતાના કબ્જા ભોગવટાના કેબીન (ઝુંપડા)માં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવા સારૂ પ્રવૃત્તિ કરે છે આ બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ બાતમી વાળા સ્થળ ઉપર રેઇડ કરી તપાસ કરતા આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો વજન ૪૯૨ ગ્રામ કિંમત રૂપિયા ૪,૯૨૦નો મુદ્દામાલ વેચાણ અર્થે-રાખી મળી આવેલ હોય આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ અંજાર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરાવ્યો હતો પૂર્વ કચ્છ એસઓજીએ આ રેડ દરમિયાન આરોપી આદમ ઉર્ફે અધુડો…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ આપઘાતના અલગ અલગ ત્રણ બનાવમાં યુવાન, વૃધ્ધ અને યુવતીના મોત નિપજ્યા છે. માધાપરમાં યુવાને અકડ કારણોસર અને માંડવીના મોમાયમોરા ગામે વૃધ્ધે લકવાની બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, તો, ભુજ તાલુકાના ગડપાદર ગામની વાડીમાં ખેત મજુર યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો. મૃતકોના પરિવારજનોમાં બનાવને લઇ શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ભાદરકા સોસાયટીમાં રહેતા શંકરગીરી અશોકગીરી ગુસાઇ (ઉ.વ. 27) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર રવિવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર લોખંડની આડી પર સાડી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંજારમાથી ચોરાઉ સીપીયુ તેલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે આરોપીઓ સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા. આ અંગે મળતી વિગતો મુજબ પુર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નારણનાથ હરીનાથ નાથબાવા તથા કિશોરનાથ નારણનાથ નાથબાવા રહે. બંને અંજાર વાળાઓ પોતાના અંગત ફાયદા સારૂ કંડલા -મુંદરાથી અલગ અલગ તેલ કાચુ તથા રીફાઈન તેલ ભરી જતા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરાવે છે અને તેલનો જથ્થો…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયોજિત કરેલી ૦.૫૦૬ મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને ૦.૧૮૨ મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. જે…
લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી લીલાશા ફાટકના ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી નહી ફોટા લોકભાષા-ગાંધીધામ : લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન સમસ્યા દૂર થવાને બદલે વધી રહી છે રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે લીલાશા ફાટકના બ્રિજનુ ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી હજુ સુધી ચાલુ થઈ નથી. લીલાશા ફાટકની સમસ્યા ઉકેલાતી નથી ત્યારે લીલાશા કુટીયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન અંડર બ્રિજ પણ બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો…
લોકભાષા-ભુજ : ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થયા હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો ભુજની કે.કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત 50% અને 90% બ્લોકેજ વચ્ચે ગોટાળો જોવા મળ્યો હતો ગરીબ પરીવાર પર 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યું હતું. કે.કે પટેલ હોસ્પીટલમાં કરસનભાઈ પટેલના બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો હતો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. મેડિકલ માફિયાઓ સામે સમાજમાં રોષ ફેલાયો છે દાતાઓએ અવાજ ઉઠાવવાનો આહ્વાન કર્યું હતુ સમગ્ર મામલે પટેલ ચોવીસીમાં ચકચાર મચી જવા પામી છે કચ્છી લેવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ…
લોકભાષા-ભુજ : કચ્છના માર્ગો પર ગતિભેર દોડતા વાહનો પર પ્રસાશનનું કોઇ અનુસાશન ન હોવાથી રોજે રોજ હાઇવે માર્ગો પર લોહીરેડાઇ રહ્યું છે. તેવામાં અબડાસા તાલુકાના ડુમરા પાસે પૂરઝડપે આવતી કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો, ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે સામેથી આવતી વેગનઆર કારના ચાલકે અચાનક વળાંક લેતાં ધડકા સાથે કાર અથડાઇ જતાં ભુજના બે યુવાનનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રે વિંઝાણ ગામે રહેતા પરેશ આરબ કોલી (ઉ.વ.20) નામનો યુવાન નલિયા માંડવી રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના નવ વાગ્યે આઇ-20 કારના ચાલકે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવામાં અગ્રેસર છે. ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમ તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૮૦ ફરિયાદો મળી હતી. જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી, ૫૧ ફરિયાદોમાં ૪૨ ઔદ્યોગિક એકમોના ૭૨ શ્રમિકોને સમજાવટથી કુલ રૂ. ૨૫ લાખથી વધુના ચૂકવણું કરાવવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે…

