Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થયા હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો ભુજની કે.કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત 50% અને 90% બ્લોકેજ વચ્ચે ગોટાળો જોવા મળ્યો હતો ગરીબ પરીવાર પર 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યું હતું. કે.કે પટેલ હોસ્પીટલમાં કરસનભાઈ પટેલના બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો હતો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. મેડિકલ માફિયાઓ સામે સમાજમાં રોષ ફેલાયો છે દાતાઓએ અવાજ ઉઠાવવાનો આહ્વાન કર્યું હતુ સમગ્ર મામલે પટેલ ચોવીસીમાં ચકચાર મચી જવા પામી છે કચ્છી લેવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ…
લોકભાષા-ભુજ : કચ્છના માર્ગો પર ગતિભેર દોડતા વાહનો પર પ્રસાશનનું કોઇ અનુસાશન ન હોવાથી રોજે રોજ હાઇવે માર્ગો પર લોહીરેડાઇ રહ્યું છે. તેવામાં અબડાસા તાલુકાના ડુમરા પાસે પૂરઝડપે આવતી કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો, ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે સામેથી આવતી વેગનઆર કારના ચાલકે અચાનક વળાંક લેતાં ધડકા સાથે કાર અથડાઇ જતાં ભુજના બે યુવાનનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રે વિંઝાણ ગામે રહેતા પરેશ આરબ કોલી (ઉ.વ.20) નામનો યુવાન નલિયા માંડવી રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના નવ વાગ્યે આઇ-20 કારના ચાલકે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવામાં અગ્રેસર છે. ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમ તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૮૦ ફરિયાદો મળી હતી. જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી, ૫૧ ફરિયાદોમાં ૪૨ ઔદ્યોગિક એકમોના ૭૨ શ્રમિકોને સમજાવટથી કુલ રૂ. ૨૫ લાખથી વધુના ચૂકવણું કરાવવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે…
લોકભાષા-ભચાઉ : ભચાઉ ગાંધીધામ હાઇવે પર ટ્રક માં આગ ભભૂકી ઉઠી હતી. ભચાઉના જુનાવાડા બ્રીજ પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો ભચાઉ નજીકના જુનાવાડા ઓવરબ્રિજ ઉપર એકાએક ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગતા ભચાઉ નપા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગની કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી
લોકભાષા-ભુજ : કેરા ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં 24 ઘાયલ વ્યક્તિઓ પૈકી વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મરણ આંક સાત થયો છે. ત્યાં મુંદરાના ધ્રબ રોડ પર રવિવારે રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહન હડફેટે આવી જતાં બાઇક સવાર બે યુવાનના સ્થળ પર કમકાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમજ ભુજ તાલુકાના માનકુવા ગામે પતિ સાથે એક્ટિવા પર જતા પત્નીનું ટ્રકની ટકકરથી ટાયરના જોડા નીચે આવી જતાં કરૂણ મોત થયું હતું. મૃતકોના પરિવારજનોમાં ઘટનાને લઇ અરેરાટી ફેલાઇ ગઇ હતી. મુન્દ્રા રોડ પર સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ખાનગી મીની બસમાં સવાર…
લોકભાષા-ગાંધીધામ : આદિપુરની વધુ એક મહિલા આંખલાના આંતકની ભોગ બની છે. બે દિવસ પહેલા શાકભાજી લેતા મહિલાઓને આંખલાઓએ હડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી રોજીંદા બનતા બનાવો છતા ગાંધીધામ મહાનગરપાલિકાનુ વહીવટી તંત્ર દ્વારા મૌન પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યુ હોય તેમ કોઇ જ કાર્યવાહી કરી રહ્યુ નથી આદિપુર મુન્દ્રા ચોકડી નજીક ટાગોર રોડ પર મોપેડ ચાલક મહિલા અને તેમની નાની દીકરી જતા હતા તે વખતે રોડ વચ્ચે બે મોટા આંખલાઓ યુદ્ધ કરતા અચાનક દ્વિચક્રી વાહનને અડફટે લેતા તેમને પાડી દીધા હતા. ચાલક અને તેમની દીકરીને ઇજા થઇ હતી આવી પરીસ્થિતિ સર્જાતા ગરીબ વર્ગ અસમંજસમાં પડી જાય છે અને હોસ્પિટલ જવા વિચાર…
લોકભાષા-ગાંધીધામ : મીઠીરોહ૨ સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી મળી આવેલ શંકાસ્પદ ચોખાની બોરીઓ ગોડાઉનમાંથી ચો૨ી ક૨વાના ગુનાના આરોપીઓની ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચાર શખ્સોની ધ૨પકડ ક૨ી ચોખાની બોરીઓ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ હાઇવે વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન હ્યુમન સોર્સ થી મળેલ બાતમી આધારે મીઠીરોહ૨ સિમ વિસ્તારમાં આવેલ મીટ ઈન્ડીયા કંપનીની પાછળના ભાગે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચોખાની ૫૦ કિલોની ક્ષમતા વાળી બોરી નંગ-૨૬ તથા બે મોટર સાઈકલ વાહનો સાથે સિકંદર ૨મજુ સોઢાને પકડી પાડયો હતો જેની પુછપરછ દરમ્યાન આ ચોખાની બોરીઓ…
લોકભાષા-ભુજ : અબડાસાના પાટ ગામે એક શખ્સ શિકારી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર તથા મૃત જીવો સાથે પકડાયો કચ્છના વિવિધ વિસ્તારોમાં શિકારી પ્રવૃતિએ માજા મુકી છે. કચ્છમાં આવતા યાયાવર પક્ષીઓથી લઇ રક્ષીત વિસ્તારો સહિતના સ્થળો પર બેફામ રીતે વન્યજીવોનો શિકાર થાય છે. તેવામાં વધુ એક શિકારી પ્રવૃતિનો કિસ્સો વનવિભાગે ઝડપી પાડ્યો છે. સોમવારે તપાસ દરમ્યાન અબડાસા તાલુકાના પાટ ગામના માલિકીના ખેતરમાં વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ નો શિકાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ભજીર મામદ મીઠું નામનો ઇસમ જે નરેડી તા.અબડાસા દ્વારા આ શિકાર કરવામાં આવેલ હોવાનુ સામે આવતા તેની સામે કાર્યવાહી કરાઇ છે. શિકારી પ્રવૃતિ અનુસંધાને નલિયા…
માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ આરંભી દેવાઈ ૨૯ માર્ચે ઘટસ્થાપન સાથે પર્વનો પ્રારંભ : ૪ એપ્રિલે હોમ-હવન સાથે સમાપન થશે ફોટા લોકભાષા-ભુજ : લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 29 માર્ચે રાત્રે 9 વાગ્યે ઘટસ્થાપન સાથે આ પર્વનો પ્રારંભથશે. 30 માર્ચથી નવ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જામશે. 2 એપ્રિલે સવારે 9 વાગ્યે જનોઈ ધારણની વિધિ યોજાશે. ચૈત્ર સુદ સાતમ (4 એપ્રિલ)ના રોજ રાત્રે 9:30 વાગ્યે ગાદી પૂજન અને 9:45 વાગ્યે જગદંબા પૂજન થશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે હોમ-હવનની વિધિ શરૂ થશે. મોડી રાત્રે 1:30 વાગ્યે…
લોકભાષા-ભુજ : ભુજના કેમ્પ એરિયામાં રાજેન્દ્રનગરમાં શુક્રવારે મોડી રાત્રે રૂપિયાની લેતી દેતીના મામલે પ્રાણઘાત હથિયારોથી અરસ પરસ હુમલાના બનાવમાં યુવાનને છાતીના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તો, હુમલો કરનારા શખ્સને પણ પગના ભાગે ધારિયાનો ઘા વાગતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો બનાવ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. રાજેન્દ્રનગરમાં રહેતા આવેશ ફારૂક તુરીયા જાકબ અબ્દુલા બકાલી (ઉ.વ.40) પાસે રૂપિયા માંગતો હોતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન દેતો હોવાથી બન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં જાકબ ધારિયું લઇને આવેશના ઘરે…

