Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શહેરને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ દરખાસ્ત રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ, રાજ્યના પ્રવાસન મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અત્યંત આવશ્યક છે. ગાંધીધામ શહેર ઔદ્યોગિક અને આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં તેમજ તાજેતરમાં જ મહાનગરપાલિકા માં સ્થાન પામ્યું હોવા છતાં પણ, આજુબાજુના વિસ્તારમાં પ્રવાસન આકર્ષણો ઓછા હોવાથી, સ્થાનિક અને પ્રવાસી મુલાકાતીઓ માટે મનોરંજનની સુવિધાઓ વધારવાની તાતી જરૂરિયાત દર્શાવાઈ છે. આ સંદર્ભે, બાજુમાં જ સ્થિત, શિણાય જળાશય વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાના…
લોકભાષા-ભુજ : કચ્છના લખપત તાલુકામાં આવેલી જીએમડીસી લિગ્નાઇટ ખાણમાં દક્ષિણ ભારતીય તેલુગુ ફિલ્મ ‘આકાસમ લો ઓકા તારા’નું શૂટિંગ શુક્રવારથી શરૂ થયું છે. ડાયરેક્ટર પવન સદિનેનીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા દુલકર સલમાન અને અભિનેત્રી રોહિણી શર્મા મુખ્ય ભૂમિકામાં છે. લિગ્નાઈટ ખાણના જનરલ મેનેજર નાગેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પ્રથમ વખત તેલુગુ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જે બે-ત્રણ દિવસ સુધી ચાલશે. ફિલ્મની ટીમ મોટી સંખ્યામાં વાહનો સાથે સ્થળ પર પહોંચી છે અને માઈન્સ વિસ્તારમાં અલગ-અલગ લોકેશન્સ પર મોડી સાંજ સુધી શૂટિંગ કરી રહી છે. લકી ભાસ્કર’ અને ‘સીતા રામમ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દુલકર સલમાનની આ…
લોકભાષા-ગાંધીધામ : ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને એસ.ઓ.જી. ગાંધીધામએ ઝડપી પાડ્યા હતા પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ને ખાનગી બાતમી મળી હતી કે, ગાંધીધામ વિસ્તારમાં આવેલ બિઝનેશ આર્કેડ પ્લોટ નંબર ૮. ડી.સી-૨ સુભાષનગ૨ કોરીયર ઓફીસ ખાતે માદક પદાર્થ ગાંજાની ડીલેવરી લેવા આવનાર હોય જેથી વોચમાં રહી, કુરીયરની ઓફીસમાંથી બહાર પાર્સલ લઈ નીકળતા આરોપી રાજીવ વિન્દેશ્વ૨ રાય અને સુભાષ દાહોર જાદવને ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે આરોપી ૨ાજીવ વિન્દેશ્વ૨ ૨ાય ઉવ ૪૧ ૨હે. પી.એસ.એલ. કાર્ગો ઝુંપડા ગાંધીધામ મુળ ૨હે. નયા ટોલા સબનીમા આથમગોળા પટના બિહાર અને સુભાષ દાહોર જાદવ ઉવ ૩૫ ૨હે.શાંતિધામ હરીઓમનગર બુધ્ધ બજા૨ની બાજુમાં ગાંધીધામ મુળ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ નજીકથી લોખંડના સળીયાના જથ્થા સાથે એક આરોપીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો જયારે અન્ય આરોપીઓ નાસી ગયા હતા. એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી સાવન ભરતભાઈ જોષી રહે. ઉપલોવાસ ભચાઉ તથા મહેન્દ્રસિંહ નામનો ઇસમ બંને સાથે મળી ભચાઉથી સામખીયાળી જતા નેશનલ હાઇવે પર આવેલ આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના સળીયાની ચોરી કરે છે. બાતમીના આધારે આશીષ હોટલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામા તપાસ કરતા એક ટ્રેલર ઉભી…
લોકભાષા-ભુજ : જખૌ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોરો લઇ ફરાર થઇ ગયા છે. જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવ 2 તારીખ પહેલા કોઇપણ સમયે બન્યો હોવાનો અનુમાન છે. જો કે ગઇકાલે પોલીસના ધ્યાને આ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે વિવિધ ગુન્હામાં કબ્જે કરેલ કોપર કેબલનો અલગ-અલગ જથ્થો કિંમત રૂપીયા 45,000 ની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસના ધ્યાને મામલો આવ્યા બાદ જખૌ પોલીસ મથકના પીએસઆઇ હીરા મઠીયાએ ફરીયાદી બની અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામે એલસીબીએ રહેણાકના મકાનમાં છાપો મારીને આરોપીને રૂપિયા 22,391ની કિંમતની વિવિધ શરાબની 36 નંગ બોટલો અને 14 નંગ બીયરના ટીન કિંમત રૂપિયા 1,722 અને 15 હજારના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે, ગોઘરા ગામે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગર કરશન બુચીયા (ઉ.વ.26) બહારથી દારૂનો જથ્થો મંગાવીને વેચી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે તેના ઘરમાં દરોડો પાડીને 36 નંગ દારૂની બોટલો અને 14 નંગ બીયરના ટીન તથા 15 હજારનો એક મોબાઇલ મળીને કુલ. રૂપિયા 39,113નો મુદમાલ કબ્જે કરીને આરોપીને આગળની કાર્યવાહી માટે મુદમાલ સાથે માંડવી…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોવાના અવારનવાર આક્ષેપો થતા હોય છે ત્યારે ગાંધીધામ એ ડીવીઝન પોલીસે ગાંધીધામના સ્પામા કાર્યવાહી કરી કુટણખાણાનો પર્દાફાશ કર્યો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે ગાંધીધામના ધ કેપીટલ થાઈ સ્પામાં તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો છે ગાંધીધામના કચ્છ કલા કોમ્પલેક્ષના પ્રથમ માળે ચાલતા ધ કેપીટલ થાઈ નામના સ્પામા પોલીસએ તપાસ કરતા કુટણખાણાનો પર્દાફાશ થયો હતો જેમાં સંચાલક આરોપી રાજવીર પ્રવીણભાઈ ગઢવીની અટકાયત કરવામાં આવી છે રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 17000 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન ત્રણ મહિલાને મુક્ત કરાવવામાં આવી…
લોકભાષા-ભુજ : ભુજ-માધાપર હાઇવે પર આવેલી ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરી રહેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતાં સારવાર મળે તે પૂર્વે મોત આંબી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના કેમ્પ એરિયામાં ફાયર સ્ટેશન પાછળ રહેતા વિનોદ લક્ષ્મણભાઇ યાદવ (ઉ.વ.34) નામનો યુવાન શુક્રવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. ત્યારે અચાનક વીજ શોક લાગ્યો હતો. હતભાગી યુવાનને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર પરના તબીબે અઢી વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
લોકભાષા-ગાંધીધામ : અંજાર પીજીવીસીએલ વર્તુળ દ્વારા ગાંધીધામમા વીજ બિલની ચૂકવણી ન કરનાર કોમર્શિયલ જોડાણો કાપવાની ઝુંબેશ હાથ ધરી છે પીજીવીસીએલના 70 કર્મચારીઓની 14 ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી કોમર્શિયલ અને ઓફીસોના બાકી બીલ સામે કાર્યવાહી કરી વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. અંજાર વર્તુળ પીજીવીસીએલ કચેરી દ્વારા અગાઉ નોટીસો આપ્યા પછી પણ બીલના નાણા ન ભરતા કનેક્શન કાપવાની કામગીરી અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આશરે 6.50 કરોડની વસુલાત બાકી હોવાથી ફરજિયાત વિજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ, ઓફીસના બિલ બાકી હોય તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવશે આ ઝુંબેશ આગામી બે માસ…
લોકભાષા-ગાંધીધામ : શિસ્તના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે તેવા ગુરુજનો દ્વારા જ અશિસ્ત પૂર્વકનુ કાર્ય કરે ત્યારે વિદ્યાર્થીઓ તેમની પાસે શુ અપેક્ષા રાખી શકે છે. આદિપુરની શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો ગણતરીના વિદ્યાર્થીઓને લઈ પ્રવાસે નીકળી પડતા બાકીના વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયુ હતુ. સમગ્ર મામલે શાળાના આચાર્ય સહિત શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર બે ના જવાબદાર આચાર્ય અને શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલો સીઆરસી કો. ઓડીનેટરની મુલાકાત સમયે બહાર આવ્યો હતો 54 વિધાર્થીઓ સાથે આચાર્ય સહિતના તમામ શિક્ષકો પ્રવાસમાં નીકળી જતાં શાળા બંધ રહી હતી ખરેખર નિયમ અનુસાર જેટલા…

