Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા હત્યા કરી ત્રણ માસથી નાસતા-ફરતા આરોપીને ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે ઉતરપ્રદેશના બદાયુ જીલ્લા ખાતેથી ઝડપી પાડ્યો હતો બાતમીના આધારે ગાંધીધામ એ-ડિવીઝન સર્વેલન્સ ટીમે બીસૌલી જી.બદાયુ ઉતરપ્રદેશ ખાતેથી ગાંધીધામએ ડિવીઝન પોલીસ મથકે નોંધાયેલ મર્ડરના ગુન્હા આરોપીને ઝડપી લીધો હતો આ બનાવની મળતી વિગતો મુજબ મરણ જનાર અને આરોપી પતી-પત્ની હોય અને તેઓ બન્ને અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય રાત્રીના સમયે નોકરી ઉપરથી મોડા આવવા બાબતે તથા ઘરના કામકાજ તથા જમવા બાબતે બોલાચાલી થતા આરોપી કાલુ દેલુ શેખે મરણજનારને માથુ પકડી દિવાલમા ભટકાવતા મરણ ગયેલ જે બાદ આરોપી કાલુ દેલુ શેખ વહેલી સવારે રૂમને બંધ ક૨ી ગાંધીધામથી ટ્રેનમા બેસી…
લોકભાષા-ભુજ : હાલમાં કડકડતી ઠંડી વચ્ચે શહેરીજનો શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા,કસરત,વોકિંગ કરતા હોય છે. ભુજમાં છતરડી ફરતે આવેલા વોક વે માં દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો વોકિંગ માટે આવે છે. શહેરમાં એકમાત્ર હરવા ફરવાના સ્થળ સમાન આ વોક વેમાં પાલિકા લોકોને પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી.જેથી વોકર્સમાં પણ નારાજગી ફેલાઈ રહી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ,ભુજ નગરપાલિકા દ્વારા વોક વે રિનોવેશનનું કામ હાથ પર લેવાયું પણ કેવા મુહૂર્તમાં કામ ચાલુ કર્યું કે પૂરું થતું જ નથી. વાદવિવાદો વચ્ચે હાલમાં કામમાં ગતિ આવી છે જેમાં ઉમેદનગર તરફના ગેટથી લઈ ખેંગાર પાર્ક સુધી જુના પેવર બ્લોક ઉખાડી નવા લગાવવાની…
લોકભાષા-ભુજ : દેવભૂમિ દ્વારકાના સલાયાના ખલાસીઓ સાથે ફાયબર બોટ શુક્રવારે મુંદારા દરિયાઇ વિસ્તારમાં માચ્છમારી કરવા નીકળી હતી. ત્યારે વેસ્ટ પોર્ટ એસપીએમની બાજુમાં બોટમાં પાણી ભરાતાં બોટ ગરકાવ થઇ રહી હતી. પેટ્રોલીંગ કરી રહેલા મુંદરા મરિન પોલીસ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ ખલાસીઓ રેક્યુઝ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. મુંદરા મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બોટ નંબર -IND-GJ-37-MM-4050 નૂર શકુર બોટના મલિક સુલતાનભાઇ અગરીયાએ ફોન પર જાણ કરી હતી. કે, તેમની બોટ નૂર શકુરમાં કોઇ ખામી થઇ છે. અને તેમાં પાંચ ખલાસીઓ છે. બોટ ડૂબવાની તૈયારીમાં છે. જેથી…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના દરશડી ગામે રહેતા બુટલેગરના બંધ મકાનમાં એલસીબીએ બાતમી પરથી દરોડો પાડીને રૂપિયા 70,368ની કિંમતની શરાબની વિવિધ બ્રાન્ડની 223 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, દરશડી ગામે રહેતા બુટલેગર ભાવસંગજી ભગુભા જાડેજા પોતાના ભોગવટાના બંધ મકાનમાં બહારથી શરાબનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. મકાનમાંથી દારૂની 223 નંગ બોટલ મળી આવી હતી. પરંતુ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામે રહેતા 35 વર્ષીય પરણીત યુવાને આર્થીક સંકડામણમાં ગામના સીમાડામાં કેનાલમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બનાવને લઇ મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. નિરોણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા ગામે રહેતો મહેબુબશા મામદશા શૈયદ નામનો યુવાન બે દિવસ પહેલા કામધંધો શોધવા માટે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન શનિવારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં નિરોણા ગામની સીમમાં આવેલી કેનાલના પાણીમાં બાવડની ઝાડીમાં ફસાયલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પરણીત હતો અને છુટક મજૂરી કરતો હતો. કોઇ કામ ધંધો મળતો ન હોવાથી કામધંધાની શોધમાં ઘરેથી નીકળી ગયો હતો. હતભાગી…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છના ધોરી માર્ગો પર અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવો બન્યા હતા. જેમાં પાલરા પાસે ટ્રક સાથે કાર ભટકાતાં ભુજના બે ભાઇઓ જ્યારે કનૈયાબે ગામ નજીક ડમ્પરની ઠોકરે એક્ટિવા ચાલક મહિલા ઘવાઇ હતી. અને હબાય લોડાય વચ્ચે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં યુવાન જખમી થયો હતો. જી.કે.જનરલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ પાલરા જેલની સામેના રોડ પર શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રક સાથે કાર અથડાતાં કાર સવાર ભુજના નરનારાયણ નગરમાં રહેતા મહેશ પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.27) અને તેમના ભાઇ ભવ્ય પરસોતમભાઇ ઠકકર (ઉ.વ.23)ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. તો, બીજીતરફ…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી વ્યવસાયે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી 28 વર્ષીય ગૌરીબેન તુલસીભાઇ ગરવા નામની યુવતી ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જેના વિરોધમાં તેમજ આ આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે ભુજમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને મૌન રેલી યોજીને કચ્છ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ગોધરામાં વહેલી સવારે યુવતીની હત્યા કરનારા એકતરફી પ્રેમીને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ગોધરાની ગૌરીબેન તુલસી ગરવાના…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના ભુજ સેવા સદન ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમારને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કરાવ્યા હતા. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો…
લોકભાષા-ગાંધીધામ : અંજારમા રાત્રી દરમ્યાન ઘરમાં થયેલ ધાડ-લુટના ગુન્હાને અંજામ આપનાર ગેંગનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસએ ઝડપી પાડી હતી. આ બનાવની વિગત મુજબ હિતેશભાઈ સોડાભાઈ કોલી ઉ.વ.૨૮ ધંધો. વેપાર હાલે રહે- મીંથીલા સોસાયટીની બાજુમાં સાંગ નદીના કાંઠે પતરાવાળા ઘરે રાત્રી દરમ્યાન અજાણ્યા ઇસમો દ્રારા ધરમાં ગુહ અપ્રવેશ કરીને હાથ પગ તથા આંખો પર રૂમાલ બાંધી છરી તથા ધારીયા બતાવી તેમની માતાએ પહેરેલ સોના અને ચાંદીના ઘરેણાં તથા તેમના વેવાણ જમુબેન પાસેથી આ અજાણ્યા ઇસમોએ તેમને કાનમાં પહેરેલ સોનાની વાળી ઉતરાવી લીધેલ આમ કુલ સોના ચાંદીના દાગીનાની કિમત રૂપિયા ૭૭, ૦૦૦ લુટ કરી આ અજાણ્યા…
લોકભાષા-ભુજ : કચ્છમાં શિયાળાની મોડી શરૂઆત બાદ ઠંડીએ એક માસ સુધી પોતાની પકડ જમાવી રાખતા જનજીવન શીતલહેરમાં જકડાઈ ગયું હતું, જોકે છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનનો પારો સામાન્ય સ્તરે ઊંચકાતા હાલ ઠંડકમાં આંશિક રાહતનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, નવા વર્ષના પ્રારંભ સાથે જિલ્લામાં ઠંડીનો લઘુતમ પારો સામાન્ય ક્રમે ઊંચો ચડતા હાલ સવાર સાંજ લોકો ફુલગુલાબી ઠંડીનો માહોલ માણી રહ્યા છે. ભુજ શહેરમાં સવારે અને સાંજના સમયે લોકોની ચહલ પહાલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો રાત્રિ સમયની એસટી બસમાં પ્રવાસીઓની હાજરી પણ હવે વધી રહ્યાનું જાણવા મળ્યું હતું.

