Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : મુન્દ્રા તાલુકાનાં પ્રાગપર ધોરીમાર્ગે એક ટ્રક પલટી જતા તેમાં પણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. ઈંધણ ગેસના ખાલી બાટલા ભરેલી ટ્રક ગાંધીધામ તરફ જતી વેળાએ બેકાબુ બની પલટી ગઈ હતી અને તેમાં આગ લાગી ઉઠી હતી. આગને ખાનગી કંપનીના ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી. ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે તપાસનીશ પ્રાગપર હેડ કોન્ટેબલ પુનશી ગઢવી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે ગુરુવારે બપોરે ખાલી ગેસના બાટલા ભરેલી ટ્રક પ્રાગપર પુલિયા પાસે બેકાબુ બની જતા પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગને અદાણી અને…

Read More

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મુંદ્રા ફરી એકવાર ઐતિહાસીક ક્ષણનેં શાક્ષી બન્યું છે. સૌ પ્રથમવાર એલએનજી સંચાલિત કન્ટેનર જહાજ, સીએમએ સીજીએમ ફોર્ટ ડાયમન્ટ, અદાણી પોર્ટ સ્થિત કન્ટેનર ટર્મિનલ-સીટી4 ખાતે આવી પહોંચ્યું છે. આ નોંધપાત્ર ઘટના માત્ર મુન્દ્રા પોર્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઈલસ્ટોન સમાન છે. સીએમએ સીજીએમ ફોર્ટ ડાયમન્ટ જહાજ, જેની લંબાઈ 268 મીટર અને 43 મીટર બીમ છે, ગત એક માસથી જ દરિયાઈ સેવાઓમાં કાર્યરત આ જહાજ 7,000 કન્ટેનરોની ક્ષમતા અને એલએનજી-સંચાલિત જહાજોની શ્રેણીમાં ત્રીજું છે. કંપની દ્વારા CIMEX2K/ AS-1 સર્વિસમાં આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે (ભારત તરફથી CMA CGM…

Read More

લોકભાષા-ગાંધીધામ : અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ૧૫મો દ્વિવાર્ષિક ચાર દિવસીય અધિવેશનનો રાષ્ટ્રીય કાર્યકારિણી સભાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પ્રમુખ સુરેન્દ્ર ખટ્ટર, કપીલ લાખોટીયા (આઇ.પી.પી), બલરામ સુલતાનીયા (પીએનપી), વિકાસ અગ્રવાલ (એન વી.પી .એચ.એ), સુંદર પ્રકાશ રાષ્ટ્રીય જનરલ સક્રેટરી,યશા મોદી (એનવીપી) અંકિત મોડા (એન ટી) મીનુ ગોયલ (એસપી ગુજરાત) યસપાલ શર્મા,સ્વીટી ગોયલ, હૃદય ગોયલ, સ્વાગત અધ્યક્ષ નંદલાલ ગોયલ કાર્યકારાણી શરુઆત કરાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય પ્રમુખ સુરેન્દ્ર ભટ્ટરનુ સન્માન પાઘડી, ફૂલહાર અને ખેસ પહેરાવી કરવામાં આવ્યુ હતું. અન્ય સભ્યોનુ ફૂલહાર અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ચતુર્દશમ કાર્યકારિણીની પંચમ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર ભટ્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. રાષ્ટ્રના…

Read More

લોકભાષા-ભુજ : ગઢશીશા ગામે રહેતા યુવક સાથે મહારાષ્ટ્રીયન યુવતીના લગ્ન કરાવીને સવા બે લાખ રોકડા અને દાગીના પડાવી જવાના કેસમાં નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી પરથી ભુજથી ઝડપી પાડ્યો હતો. ભોગબનાર યુવકે ગઢશીશા પોલીસ મથકમાં માધાપર રહેતા કૌટુબીક ભાઇ પુનીત પ્રફુલભાઇ જણસારી, વિશાલ થારૂ, પ્રકાસ મહેશ્વરી, જામનગરના હેમંતભાઇ લાખાભાઇ ચુડાસમા અને મહારાષ્ટ્રીયન મનિષા ગજાનંદ માનવતે સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીના મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા. જેને પેટ રોકડા રૂપિયા 1 લાખ 25 હજાર લીધા હતા. યુવતી એક રાત યુવકના ઘરે રોકાઇને પહેરેલા સોનાના દાગીના સાથે ફરાર થઇ ગઇ હતી. આ કેસમાં પોલીસ…

Read More

લોકભાષા-ભુજ : મુંદરા શહેરમાં આવેલી બે અલગ અલગ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ઘરોના તાળા તોડી અંદરથી 2.34,837ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 38 હજાર રોકડા અને એક મોબાઇલ મળી કુલે રૂપિયા 2,73,337ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને લઇ મુંદરા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મુંદરાના યોગેશ્વરનગરમાં રહેતા અને જી.એસ.પી.સી. એલ.એન.જી કંપનીમાં ઓફિસર તરીકે કામ કરતા રોહિતભાઇ કેશભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, રવિવારે બપોર બાદ તેઓ પરિવાર સાથે ભુજ ફરવા આવ્યા હતા. બાદમાં ભુજમાં મિત્રને ઘરે રોકાઇ ગયા હતા. સોમવારે સાંજે પરત ઘરે જતાં તેમના ઘરમાં ચોરી થઇ ગઇ હતી. દરવાજાનો નકુચો તુટેલો…

Read More

લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના મોડકુબા ગામની સીમમાં અદાણી કંપનીની પવનચક્કી ચાલુ ન કરવા દઇ લાખોનું નુકશાન કરીને ધાકધમકી કરતાં બે ભાઇઓ સામે ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. બાંભડાઇ ગામે રહેતા અને સદગુરૂ સિક્યુરીટી સર્વિસમાં નોકરી કરીને અદાણી કંપનીની મોડકુબા ગામે આવેલી પવનચક્કીની દેખરેખ કરતા ઉમર ઓસમાણ સંગારે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમના દેખરેખ હેઠળની મોડકુબા ગામે અદાણી કંપનીની માલિકીન જમીનમાં અદાણી કંપનીએ ઉભી કરેલી પવનચક્કી ચાલુ કરવા ન દઇ મોડકુબા ગામના કુમાસિંહ જીલુભા જાડેજા અને કનુભા જીલુભા જાડેજાએ આ જમીન અમારી વડીલો પાર્જીત છે. આ જમીન પર પવનચક્કી ચાલુ કરવા નહીં થઇએ તેવી ધાકધમકી આપીને 16 ડીસેમ્બરથી પવનચક્કી ચાલુ કરવા…

Read More

લોકભાષા-ભુજ : પ્રાથમિક વિભાગમાં મહાભરતી પૂર્વે, દ્વિસ્તરીય પરીક્ષા લઈને, નવા ઉમેદવારોને તક આપવા માંગ કરવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સુચવાયેલ વિગતો મુજબ પ્રાથમિક વિભાગ માં પણ દ્વિસ્તરીય પરીક્ષા લેવા માટે તાલીમાર્થીઓ દ્વારા, શિક્ષણ વિભાગ પાસે માંગ કરવામાં આવી છે. ગત વર્ષે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વખત દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ પ્રીલીમિનરી પરીક્ષા અને ત્યાર બાદ તે પરીક્ષામાં મેળવેલ ગુણના કટ ઓફ ન ધ્યાનમાં લઈને, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ ના આધારે ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે, પ્રાથમિક વિભાગમાં હજુ પણ જૂની પદ્ધતિ મુજબ, ટેટ ની પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ એકેડેમિક મેરીટને ધ્યાનમાં લઈને…

Read More

લોકભાષા-ભુજ : પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી. જનરલ મેનેજર મિશ્રએ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને…

Read More

લોકભાષા-ભુજ : દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦,૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે કચ્છ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, કેડીસીસી બેંક અને નાબાર્ડ કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની નવીન સહકારી મંડળીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંક ખાતે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, અગ્રણી દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સુશ્રી મેઘા અગરવાલ, નાબાર્ડના ડીડીએમ નિરજકુમાર સિંઘ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જિલ્લાની ૦૯ એમ-પેક્સ(સેવા), ૧૫૬ દૂધ મંડળીઓ અને ૦૧ ફિશરિઝ મંડળીને…

Read More

લોકભાષા-ભુજ : તા.૨૫ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ સમગ્ર સપ્તાહ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજમાં આવેલી જી.કે જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમમાં સુશાસન દિવસની ઊજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને અન્ય મહાનુભાવોએ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીને તેમને વંદન કર્યા હતા. સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક…

Read More