Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના ચરાખડા ગામે આયેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતેલા યુવક પર બલ્કર વાહન ચડી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે. ચરાખડા ગામે રહેતા નુરમામદ સુમાર સોરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત 13 ડીસેમ્બરના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં રોજ બન્યો હતો. તેમનો નાનો ભાઇ રમજાન સુમાર સોરા (ઉ.વ.41) ચરાખડા ગામે આવેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતો હતો. ત્યારે બલ્કર જેવા એજક્ષ વાહનના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને ફરિયાદીના ભાઇને અડફેટે લઇ માથા અને પગમાં ઇજા પહોંચાડીને મૃત્યુ નીપજાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી…
લોકભાષા-ભુજ : માંડવી પોલીસ મથકમાં ઘાતક હુમલો કરવાના કેસમાં ગુજસીટોક હેઠળ ચાર આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા હતા. જેમાં કુખ્યાત ગુનેગાર પુનશી આલા ગઢવીના ભાઇ હરી આલા ગઢવીએ ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતાં કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી. ગત 16 નવેમ્બરની રાત્રીના માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) નામના ચાર શખ્સો ધાતક હથિયારો સાથે માંડવી પોલીસ સ્ટેશનમાં ધસી જઇને પીએસઓ, હેડ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ધી ગુજરાત કંટ્રોલ…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ અને કામદાર અને કર્મચારી કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઓસ્લો સર્કલ ખાતે આવેલા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરીને અચાનક પુલ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહના પૂતળાને ગળામાં ગાળિયો સાથે ફાંસીના અંદાજમાં નીચે ઉતારવામાં આવેલ, જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોલિસ દોડાદોડ કરીને પૂતળાનો કબ્જો લઈને કોંગ્રેસના આગેવાનોને ડિટેઈન કર્યા હતા જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, ચેતન જોશી, ગાંધીધામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશી, અલ્પેશ…
લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ આજે રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પુંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઇમાનદારી, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્યભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા, તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ…
લોકભાષા-ભુજ : તાલુકાના પરા ગણાતા માધાપર ગામમા આવેલ રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવોની હાલત દયનિય બની જવા પામી છે. પંચાયત તંત્રની ઉદાસીનતાના કારણે તળાવો નષ્ટ થઈ રહ્યા છે. એક તરફ નવા તળાવ ચેકડેમ બની રહ્યા છે અને કરોડોનું આંધણ થઇ રહ્યું છે ત્યાં બીજી તરફ જે હયાત તળાવ આવેલા છે તેની યોગ્ય માવજતના અભાવે સોથ વળી રહ્યો છે. જુનાવાસ પંચાયત સદસ્ય દિલીપ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે માધાપરના જખ મંદિર સામે આવેલ તળાવ તેમજ જગાવાળા તળાવ આજે દયનિય હાલતમા જોવા મળી રહ્યા છે. આસપાસ ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે .આ તળાવો રાજાશાહી વખતના નિર્માણ પામ્યા છે અહીંના જગાવાળા તળાવમાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના લોડાઇ ગામે ગાળો બોલવાની ના કહેવા મુદે મહિલા પર ત્રીકમથી હુમલો કરી ફેકચર સહિતની ઇજા પહોંચાડનારા આરોપીને ભુજની કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 31 જુલાઇ 2019ના રોજ બન્યો હતો. આરોપી મનિષ ઉર્ફે કનૈયો નાનજીભાઇ ભીંડે પોતાના ઘર પાસે ત્રીકમથી ખાડો ખોદતો હતો. ત્યારે ફરિયાદી ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ જોષી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે આરોપીએ ગાળો આપી હતી. ફરિયાદી મહિલાએ ગાળો આપવાની ના કહેતા આરોપીએ ઉસ્કેરાઇ જઇને ફરિયાદી મહિલાને કમરથી નીચેના ભાગે પાછળ ત્રીકમનો…
લોકભાષા-ભુજ : હાજીપીર બાબાની દરગાહ તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસમાર હાલતમાં છે. સરહદને જોડતા મહત્વના આ માર્ગનું નવીનીકરણ હાથ ધરાય તે માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતોના અંતે આજે નરા ફાટક નજીક ચક્કાજામનું આગોતરું એલાન આપ્યું હતું. જે અંગે રસ્તા પર ઉતરેલા ગ્રામજનોને પોલીસના અધિકારીઓએ ચક્કાજામ ના કરવા સમજાવટ કરી હતી આ દરમિયાન લુડબાય ગામના સરપંચ અને ત્યારબાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના કુલ 24 આગેવાંનોની અટકાયત કરી લઈ પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે લુડબાય ગામના સરપંચ જબ્બાર જતે કહ્યું હતું કે અનેક વર્ષોની રજૂઆત છતાં હાજીપીર માર્ગ બનવવવામાં આવતો નથી. આ પહેલા 16 કિમિ માર્ગ બન્યો…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક દ્વારા જિલ્લા ભરમાં સોમવારે સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં 154 વાહનોમાં બ્લેક ફિલમ્મ દુર કરવામાં આવી હતી. તેમજ નંબર પ્લેટ વીના વાહન ચલાનાર તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 260 જેટલા લોકો સામે કાર્યવાહી કરીને સ્થળ પરથી રૂપિયા 75,700 દંડ વસુલવામાં આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિકક્ષક વિકાસ સુંડાની સુચનાથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં બ્લેક ફિલ્મવાળા વાહનો તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો સામે 154 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા. તથા નંબર પ્લેટ વગરના વાહન વિરૂધ્ધ 96 કેસ…
લોકભાષા-ભુજ : પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવો બન્યા હતા. જેમાં બેકારથી કંટાળીને ભુજમાં યુવાને ફાંસો ખાઇ મોતનો માર્ગ પકડી લીધો હતો. તો, બીજીતરફ નખત્રાણા લખપત હાઇવે પર મધરાત્રે અજાણ્યા વાહનની ઠોકરથી ગંભીર રીતે ઘાયલ છકડા ચાલકનો જીવ ગયો હતો. યુવાનનોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો. એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણા તાલુકાના વ્યારા ગામના હાલ ભુજ જુની રાવલવાડીમાં રહેતા 25 વર્ષીય પ્રવિણ ગોવિંદભાઇ જેપાર નામના યુવાને રવિવારે મોડી સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. હતભાગીને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળાવરે મધરાત્રે…
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના માતાનામઢ લીગ્નાઇટ ખાણમાં બેદરકારીથી ટ્રક રીવર્સમાં લઇ બે ટ્રક વચ્ચે યુવાનને દબાવી મોત નીપજાવવાના કેસમાં ટ્રક ચાલક અને જીએમડીસી માઇન્સ ના જવાબદાર વ્યક્તિઓ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતી સિક્યુરીટી તથા તપાસમાં નીકળે તે સહિતનાઓ વિરૂધ્ધ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મુળ રાજસ્થાનના અને હાલ નખત્રાણા તાલુકાના લીફરી મેવાનગરમાં રહેતા શીશુપાલસિંહ ઉમેદસિંહ સોઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રીના તેમના મરણજનાર પિતા ઉમેદસિંહ મહાદાનસિંહ સોઢા માલિકીની ટ્રક લઇને માતાનામઢ જીએમડીસીની માઇન્સ પર ગયા હતા. ત્યાં આગળ ઉભેલી ટ્રકના ચાલકે રીવર્સમાં ટ્રક લઇને ફરિયાદીના પિતાને બે ટ્રકો વચ્ચે કચડી નાખી મોત નીપજાવ્યું હતું. જેથી ટ્રક ચાલક…

