Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેકટર દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. ધારાસભ્ય અબડાસા પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાકનુકશાની વળતર, ઢોરા-હાજીપીર રોડનું કામ, ખનીજલીઝ નિયમન, ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પાળા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા, પાણીની લાઇનના ભંગાણના…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ સુધી પહોંચતા ડંખિલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુંગાર બની રહ્યું છે. જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 6.4 ડીગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શિત મથક તરીકે જાહેર થયું છે, તો જિલ્લા મથક ભુજ શહેરના તાપમાનનો પારો પણ એકલ આંક તરફ સરકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે ભુજનું તાપમાન 10.2 ડિગ્રીના સ્તરને સ્પર્શ કરી ગયું હતું. ભારે ઠંડીના કારણે લોકો સાથે હવે પશુઓ ઉપર પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે. ગાય અને ભેંસના દૂધની માત્રામાં રોજિંદો ઘટાડો નોંધાઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્ર, ખાણીપીણી અને તાપણા નો…

Read More

લોકભાષા-ગાંધીધામ : કચ્છ પૂર્વ વન વિભાગની, ભુજ (ઉત્તર) રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા હિટાચી મશીનો સાથે ૧.૨૫ કરોડનો મુદામાલ પૂર્વ કચ્છ વન વિભાગએ કબજે કર્યો હતો. કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં અન અધિકૃત પ્રવૃત્તિને રોકવા ડૉ. સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષક, કચ્છ વન વર્તુળની સુચના અને જી. ડી. સરવૈયા, નાયબ વન સંરક્ષક, કચ્છ પૂર્વ વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ એસ.એ.ગઢવી મદદનીશ વન સંરક્ષક, કચ્છ પૂર્વ-૧,આર.ડી.ગઢવી પરિક્ષેત્ર વન અધિકારી, ઓ.જે.જાડેજા વનપાલ-ખાવડા, તથા વાય.જી.રબારી વનરક્ષકની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સાધારાવાંઢ વિસ્તારમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળાની કામગીરી કરતાં પાંચ…

Read More

લોકભાષા-ભુજ : નખત્રાણા તાલુકાના ચરાખડા ગામે આયેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતેલા યુવક પર બલ્કર વાહન ચડી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસ મથકે વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે. ચરાખડા ગામે રહેતા નુરમામદ સુમાર સોરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત 13 ડીસેમ્બરના સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં રોજ બન્યો હતો. તેમનો નાનો ભાઇ રમજાન સુમાર સોરા (ઉ.વ.41) ચરાખડા ગામે આવેલી અયાના કંપનીમાં ખાટલા પર સુતો હતો. ત્યારે બલ્કર જેવા એજક્ષ વાહનના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને ફરિયાદીના ભાઇને અડફેટે લઇ માથા અને પગમાં ઇજા પહોંચાડીને મૃત્યુ નીપજાવ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી…

Read More

લોકભાષા-ભુજ : માંડવી પોલીસ મથકમાં ઘાતક હુમલો કરવાના કેસમાં ગુજસીટોક હેઠળ ચાર આરોપીઓને જેલમાં ધકેલી દેવાયા હતા. જેમાં કુખ્યાત ગુનેગાર પુનશી આલા ગઢવીના ભાઇ હરી આલા ગઢવીએ ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતાં કોર્ટે જામીન અરજી ના મંજુર કરી હતી. ગત 16 નવેમ્બરની રાત્રીના માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) નામના ચાર શખ્સો ધાતક હથિયારો સાથે માંડવી પોલીસ સ્ટેશનમાં ધસી જઇને પીએસઓ, હેડ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ધી ગુજરાત કંટ્રોલ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ શહેર તાલુકા કોંગ્રેસ અને કામદાર અને કર્મચારી કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઓસ્લો સર્કલ ખાતે આવેલા કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચાર કરીને અચાનક પુલ ઉપરથી ગૃહમંત્રી અમિત શાહના પૂતળાને ગળામાં ગાળિયો સાથે ફાંસીના અંદાજમાં નીચે ઉતારવામાં આવેલ, જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પોલિસ દોડાદોડ કરીને પૂતળાનો કબ્જો લઈને કોંગ્રેસના આગેવાનોને ડિટેઈન કર્યા હતા જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરત સોલંકી, ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા, દેવેન્દ્ર ઝાલા, ચેતન જોશી, ગાંધીધામ નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સમીપ જોશી, અલ્પેશ…

Read More

લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૪મો પદવીદાન સમારોહ આજે રાજયપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. 5530 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. 37 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રેષ્ઠ કર્મને જીવનની પુંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાઓને ઇમાનદારી, કર્તવ્યભાવના સાથે રાષ્ટ્રધર્મ, સમાજધર્મ, પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સત્ય અને કર્તવ્યભાવનાને સુખનો આધાર ગણાવીને છાત્રોને જીવનમાં સત્યનું પાલન કરવા, અન્યો સાથે સદવ્યવહાર કરવા, ધર્મની ખરી વ્યાખ્યા સમજાવીને આજીવન વિદ્યાર્થી બની રહેવા, તથા અર્જિત જ્ઞાનનો સમાજના કલ્યાણમાં ઉપયોગ કરવા શીખ…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના પરા ગણાતા માધાપર ગામમા આવેલ રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવોની હાલત દયનિય બની જવા પામી છે. પંચાયત તંત્રની ઉદાસીનતાના કારણે તળાવો નષ્ટ થઈ રહ્યા છે. એક તરફ નવા તળાવ ચેકડેમ બની રહ્યા છે અને કરોડોનું આંધણ થઇ રહ્યું છે ત્યાં બીજી તરફ જે હયાત તળાવ આવેલા છે તેની યોગ્ય માવજતના અભાવે સોથ વળી રહ્યો છે. જુનાવાસ પંચાયત સદસ્ય દિલીપ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે માધાપરના જખ મંદિર સામે આવેલ તળાવ તેમજ જગાવાળા તળાવ આજે દયનિય હાલતમા જોવા મળી રહ્યા છે. આસપાસ ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે .આ તળાવો રાજાશાહી વખતના નિર્માણ પામ્યા છે અહીંના જગાવાળા તળાવમાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના લોડાઇ ગામે ગાળો બોલવાની ના કહેવા મુદે મહિલા પર ત્રીકમથી હુમલો કરી ફેકચર સહિતની ઇજા પહોંચાડનારા આરોપીને ભુજની કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 31 જુલાઇ 2019ના રોજ બન્યો હતો. આરોપી મનિષ ઉર્ફે કનૈયો નાનજીભાઇ ભીંડે પોતાના ઘર પાસે ત્રીકમથી ખાડો ખોદતો હતો. ત્યારે ફરિયાદી ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ જોષી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે આરોપીએ ગાળો આપી હતી. ફરિયાદી મહિલાએ ગાળો આપવાની ના કહેતા આરોપીએ ઉસ્કેરાઇ જઇને ફરિયાદી મહિલાને કમરથી નીચેના ભાગે પાછળ ત્રીકમનો…

Read More

લોકભાષા-ભુજ : હાજીપીર બાબાની દરગાહ તરફનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસમાર હાલતમાં છે. સરહદને જોડતા મહત્વના આ માર્ગનું નવીનીકરણ હાથ ધરાય તે માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતોના અંતે આજે નરા ફાટક નજીક ચક્કાજામનું આગોતરું એલાન આપ્યું હતું. જે અંગે રસ્તા પર ઉતરેલા ગ્રામજનોને પોલીસના અધિકારીઓએ ચક્કાજામ ના કરવા સમજાવટ કરી હતી આ દરમિયાન લુડબાય ગામના સરપંચ અને ત્યારબાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના કુલ 24 આગેવાંનોની અટકાયત કરી લઈ પોલીસે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ અંગે લુડબાય ગામના સરપંચ જબ્બાર જતે કહ્યું હતું કે અનેક વર્ષોની રજૂઆત છતાં હાજીપીર માર્ગ બનવવવામાં આવતો નથી. આ પહેલા 16 કિમિ માર્ગ બન્યો…

Read More