Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અન્નકુટની પરંપરાની વાત કરીએ તો કહેવાય છે કે, ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિમાં ગૌર્ધન પૂજારૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો આજે ૫૦૦ વર્ષ બાદ પણભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ જુદા જુદા સંપ્રદાયો તરફથી મંદિરો માં કરવામાં આવે છે ભક્તિ ભાવ સાથે નવવર્ષ ના પ્રથમ દિવસે આ અન્નકૂટ ઉત્સવ નું આયોજન થાય છેસ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો અન્નકૂટોત્સવ સાથે સેવાભક્તિ ની પરંપરા સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે. આ વર્ષે કચ્છ ના ઈતિહાસ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રથમ વખત હજારો મણ અન્નપુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રા માં સુકા મેવા, મસાલા, મળી અનેક પ્રકાર…

Read More

લોકભાષા-આણંદપર આ વર્ષ અતિશય અને સતત વરસાદના કારણે ખેડુતોએ કરેલ ચોમાસું પાકમાં નુકસાન વેઠવાનો વખત આવ્યો છે. જેમાં ખેડુતોએ લાખના ત્રીસ હજાર કર્યા છે. અને સૌથી વધારે નુકશાન ખેડુતને કપાસના પાકમાં આવ્યું છે. સતત-અતિશય વરસાદના કારણે કપાસના ઝાડપર લાગેલા ફૂલો પડી જવાથી પહેલો ફાલ ફેલ ગયો હતો જયારે બીજો ફાલ લાગતાની સાથે કપાસમાં સુકારો આવવાથી ફાલ નહિવત ઉતર્યો હતો. આ વર્ષ કપાસે ખેડુતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. આ વિશે આણંદપર(યક્ષ)ની આજુબાજુના પલીવાડ, મોરગર, સાંયરા, દેવપર, વિથોણ, જીયાપર, મંગવાણા, કુરબઈ ગામના ખેડુતોએ જણાવ્યું હતું કે વરસાદ અને સુકારા થકી કપાસની વીણી એકજ થઈ હતી. આ વર્ષ કપાસનો પાક ઓછો થવાથી પંજાબથી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ખાતેના ૨મત-ગમત સંકુલ સુભાષનગ૨મા થયેલી યુવાનની હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગાંધીધામ એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક યુવાનને મારમારતા ગંભીર હાલતમાં સારવાર માટે રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો જયા તેનુ મૃત્યુ નિપજ્યું હતું જે અંગે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનએ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.ચૌધરીએ આરોપીઓને શોધવા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ હ્યુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ શંકર રામજીભાઈ પિંગલસુર (મહેશ્વરી) ઉવ.૨૭ રહે.મહેશ્વરીનગર…

Read More

લોકભાષા-ભુજ : દિવાળીનો માહોલ જામતો જાય છે ત્યારે શહેરના અનેક વિસ્તારો અને ધાર્મિક સ્થળો પર રોશની નો શણગાર અને ચડકડાટ્ટ જોવા મળી રહ્યો છે શહેરના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દિપોત્સવીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવાની પરંપરા રહી છે. નવનિર્મિત મંદિરે ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા બાદ દર વર્ષે દિપોત્સવીના પર્વ ઉજવવા ની પરંપરા રહી છે. મંદિરના કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરના પરિસર ખાતે ૩૧મી તારીખે સામૂહિક લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દરેક હરિભક્તો પૂજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી અને પાર્ષદ જાદવજી ભગતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તારીખ ૧ નવેમ્બરના…

Read More

લોકભાષા-ગાંધીધામ : સામખ્યાળી વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડયા હતા. પૂર્વ કચ્છ એલ.સી.બી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાંથી થયેલ કોપર ચોરીનાં આરોપીઓ મજીદ હિંગોરજા અને અર્જુન મારાજ રહે. બંને મોમાઈનગર અંજાર વાળાઓએ સાથે મળીને કરેલ છે. જે આધારે એલ.સી.બી. ટીમ નવી શાકભાજી માર્કેટ પાછળ સીતારામ પરીવાર પાસે વોચમાં હતી તે દરમ્યાન અર્ટીકા કાર આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાથી સુઝલોન કંપનીની બંધ પવનચક્કીમાંથી ચોરાયેલા કેબલ વાયર, ઇલેક્ટ્રીક કોયલ તથા તાંબાનો ભંગાર મળી આવતા…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા મીઠીરોહર ઇદગોર સોસાયટીમાંથી હિરો સ્પેલન્ડર મોટર સાયકલની કોઈ અજાણ્યા ચોર ઇશમ દ્વારા ચોરી કરવામાં આવેલ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે વણશોધાયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દ૨મ્યાન મળેલ બાતમી હકિકત આધારે આ ગુનામા સંડોવાયેલ આરોપી અરજણ દેવાભાઈ ભરવાડને ચોરી થયેલ મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે તપાસ કરતા આરોપી અરજણ દેવાભાઈ ભરવાડ ઉ.વ.૨૨ રહે- લખાગઢ તા-૨ાપરને હિરો સ્પલેન્ડર મોટર સાયકલ ૨જી નં.…

Read More

લોકભાષા-ગાંધીધામ : મુંદરા શહેરના નદીનાકા વિસ્તારમાં આવેલ ભુખીનદીના પટમાં આવેલ પાન મસાલાની કેબીનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના કર્મચારીઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા શહેરમાં આવેલ નદીનાકા વિસ્તારમાં ભુખીનદીના પટમાંથી આરોપી ઇસ્માઇલ યુસુફ શેખ, ઉવ. ૭૩, રહે. સુખપરવાસ, તા.મુંદરા, જી. ભુજ- કચ્છવાળાને ઝડપી પાડી તેના કબ્જાની પાન-મસાલાની કેબીનમાં ઝડતી કરી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨૬૬ ગ્રામ, કિંમત રૂપિયા ૨,૬૬૦નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમા…

Read More

લોકભાષા-આણંદપર : કચ્છમાં નખત્રાણા તાલુકામા તામિલનાડુના ૪૦ જેટલા વેપારીઓના નવરાત્રિ સમયથી નખત્રાણા પંથકમાં ધામા જોવા મળી રહ્યા છે.દિવાળીના તહેવારો પણ પોતાના વતનના બદલે કચ્છમાંજ દિવાળી મનાવશે.વર્ષ ૨૦૨૧માં ૨૭૦૦થી૩૨૦૦, વર્ષ ૨૦૨૨માં ૩૨૦૦થી ૩૫૦૦રૂપિયાના ભાવે સોદા થયેલ હતા. ગત વર્ષે ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયાના ભાવે સોદા થયા હતા આ વર્ષ ૩૫૦૦ની આસપાસ સોદા થઈ રહ્યા છે.ગત વર્ષ અને આ વર્ષ ભાવ સરખામણીએ એક સરખા જોવા મળી રહ્યા છે. અન્ના તરીકે ઓળખાતા વેપારીઓ નખત્રાણા પંથકનો ખૂણે ખૂણો ખૂંદીને લગભગ ત્રણસો ઉપરાંત ટ્રકોને મગફળીને તમિલનાડુ પહોંચાડે છે.એક ટ્રક નું ટ્રાન્સપોર્ટ ભાડું ૧૭૫૦૦૦ પોણા બે લાખ રૂપિયા જેટલું થાય છે.પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને નખત્રાણા વિસ્તારની મગફળી…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે યુવાન અર્ધ બેભાન અવસ્થામાં મળી આવતા ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની મળતી વિગતો મુજબ ભુજના દેશલપરના યુવાનને અજાણ્યા શખ્સોએ માર્યો હતો અને અર્ધ બેભાન હાલતમાં ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ નજીક હોવાનુ ૧૦૮ને જાણ થતાં સારવાર માટે આદીપુરની રામબાગ હોસ્પિટલે ખસેડાયો હતો. વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ રામબાગ હોસ્પિટલમા યુવાને દમ તોડ્યો હત ગાંધીધામના સ્પોર્ટ્સ સંકુલ પાસે અર્ધ બેભાન હાલતમાં દેશલપરનો પાર્થ મહેશ્વરી નામનો યુવાન મળી આવ્યો હતો જેને ૧૦૮ દ્વારા આદિપુરની રામબાગ હોસ્પિટલમા લઈ જવાતા સારવાર દરમિયાન…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ ઉપર કોમ્બીગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 28 જેટલા તિક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા અને 10 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ પૂર્વ કચ્છ એલસીબી એસોજી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસના અધિકારી અને કર્મચારીઓ મળી 176 જેટલા અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ બનાવી આ બંને ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાહેર સુલેહ શાંતિ ને નડતરરૂપ…

Read More