Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા માંડવી ખાતે પર્યટન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ સહિત ગુજરાતના પર્યટન સ્થળોની મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તે માટે “પર્યટન પર્વ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ હેતુથી કચ્છ જિલ્લામાં “પર્યટન પર્વ” નિમિતે લોકડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તા:૨૫/૧૦/૨૦૨૪ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકથી માંડવી બીચ, માંડવી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં નામાંકીત કલાકારો દ્વારા લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિઓ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ લોકડાયરાનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ…
લોકભાષા-ગાંધીધામ : જુમાપીર તથા સ્વામી લીલાશાહ રેલવે અંડર પાસ અન્વયે અનશન આંદોલનના આગામી મહિનાથી મંડાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે લડત સમિતિના આર.જી.કપ્તાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી જાણ કરી હતી આ પત્રમાં તારીખ ૧૪/૧૦/૨૦૨૪ના રોજ આ પ્રશ્ને પાઠવેલા આવેદનપત્ર બાદ અપનાવવામાં આવેલા સકારાત્મક અભિગમ અન્વયે હદયપૂર્વક આભાર માની જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષના અન્ડર બ્રિજ અંગે અનેક રજૂઆતો પ્રત્યે દાખવવામાં આવેલ ઉપેક્ષાએ લોક- લડત સમિતિ સ્વયંભૂ રીતે લોકોના પ્રાણ પ્રશ્નનો નિવેડો લાવવા અસ્તિત્વમાં આવી છે. એ લોક–હિત સમિતિના સમર્થનમાં હું ૮૦ વર્ષીય વૃદ્ધ ધારાસભ્ય અંજાર-કચ્છની લોક સંપર્કની કચેરી સામે તારીખ – ૧૩/૧૧/૨૦૨૪ થી સંપૂર્ણ અહિંસક બિન રાજકીય…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ડીઆરઆઈએ મુન્દ્રા પોર્ટ ઉપર આવેલા ૧૦૦ કન્ટેનરને સીઝ કરી આશરે ૨૫ કરોડનો જથ્થો જ સીઝ કર્યો હતો. આયાતકાર દ્વારા બેજ ઓઈલ જાહેર કરી મિસ ડેકલેસન દ્વારા ડીઝલ અને કેરોસીન મંગાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી.આર.એ દ્વારા મુન્દ્રા ખાતે થોડા સમય પહેલા આશરે 200 કન્ટેનર ડીટેઇન કર્યા હતા જેમાંથી 100 કન્ટેનર માં જે પ્રવાહી ઈમ્પોર્ટ કરવામાં આવ્યું હતું તે ડીઝલ અને કેરોસીનનો જથ્થો હોવાનું બહાર આવતા દ્વારા 25 કરોડના જથ્થાને સીજ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ મળતી વિગતો મુજબ ગાંધીધામ ડી આર આઈ દ્વારા મુન્દ્રા ખાતે ઇમ્પોર્ટ થયેલા…
લોકભાષા-ગાંધીધામ : ચોરી કે છળકપટથી મેળવેલ બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, માઉન્ટ વે હોટલ સામે રોડની સાઈડમા ઉભેલી એક ટેન્કરમા બાયોડીઝલ છે. એસઓજીએ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ટેન્કર નં. GJ 12 AT 6740 ઉભી હતી જેના ડ્રાઈવર ધનુભા ભીખુભા જાડેજા રહે. રવેચીનગર અંતરજાળની પુછપરછ બાદ ટેન્કરની તપાસ કરતા ટેન્કરના તમામ પાંચ ખાનાઓમા બાયો ડીઝલનો જથ્થો આશરે ૨૫૦૦૦ લીટર મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલ એક લીટ૨ની કીમત રૂપિયા ૮૫ ગણી ૨૫૦૦૦ લીટર બાયો ડીઝલની કિંમત રૂપિયા ૨૧,૨૫,૦૦૦નો…
લોકભાષા-ગાંધીધામ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના નવનિયુક્ત ચેરમેન સુશીલકુમાર સિંઘનો તથા અન્ય પદાધિકારીઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવેલ હતો. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમ દરમ્યાન કંડલા પોર્ટ કોન્ટ્રાકટર એસોસિએશન, કંડલા ટિમ્બર, ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, મલ્ટી પર્પઝ અદાણી ટર્મિનલ, પોર્ટ એજન્ટ કાઉન્સિલ, સ્ટીવેડોર્સ, કસ્ટમ બ્રોકર્સ, લિક્વિડ ટેન્ક ટર્મિનલ, ટ્રેલર ઓનર્સ, કંડલા-મુંદ્રા કન્ટેનર્સ ટ્રાન્સપોર્ટર્સ, શીપ ચેન્ડલર્સ, કંડલા પોર્ટ યુઝર્સ અને કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેનુંફએકચરર્સ એસોસિએશનના માનદ પ્રતિનિધિઓ સહિત વિવિધ ૧૨ જેટલા વેપારી મંડળો અને મોટી સંખ્યામાં સભ્યોએ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લીધેલ હતો. આ અભિવાદન સમારોહ બાદના કાર્યક્રમ દરમ્યાન યોજાયેલ, ઓપન હાઉસ…
લોકભાષા-ગાંધીધામ : કંડલાની બાપટ બઝાર સહિત સ્લમ વિસ્તારમાં સવારથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો દિવસ દરમિયાન અસહ્ય ગરમીમા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો બંધ થયો હતો જો કે રાત્રે વીજ પુરવઠો કાર્યાન્વિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કંડલામાં મંગળવારે સવારથી બાપટ બજાર સહિત સ્લમ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો જેના કારણે વેપારીઓ અને આ વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને ભારે પરેશાની વેઠવી પડી હતી એક તરફ અસહ્ય ગરમી અને ઉકરાટ વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે પીજીવીસીએલના નિંભર તંત્રને કારણે આ વિસ્તારમાં લોકોને ઉકરાટ અને બફાર વચ્ચે દિવસ પસાર કરવો પડ્યો હતો. જોકે…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ખાતે કાયમી મામલતદારની નિમણૂંક માટે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગાંધીધામમા છેલ્લા કેટલાયે સમયથી ગાંધીધામ મામલતદારની જગ્યા ખાલી પડી છે અને હાલમાં અંજાર મામલતદાર પાસે ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે. ગાંધીધામ મામલતદાર દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ આ સ્થાન ખાલી પડેલ છે. લગભગ ત્રણ લાખથી વધારે વસ્તી ધરાવતા ગાંધીધામ શહેરી અને ગ્રામીણ પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રોજેરોજની કામગિરી જેવી કે આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડની કામગીરી, ધાર્મિક સામાજિક કાર્યક્રમ કે કોઈ રેલીની પરમિશન, ઇ ધરાની કામગિરી, રાશન કાર્ડની કામગિરી, તાલુકા મેજિસ્ટ્રેટ તરિકેની કામગિરી જેવી અનેક રોજિંદી કામગિરી અટકી પડે છે. તેમ…
લોકભાષા-ગાંધીધામ : કચ્છના ધોરડો નજીક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આશરે દશ જેટલા રિસોર્ટના પાક બાંધકામો હટાવાયા હતા. લીજ ઉપર આપેલી જમીન પરત લીધા બાદ સવારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી પાકા બાંધકામ ઉપર વહીવટીતંત્રનુ બુલડોઝર ફર્યુ હતુ ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટના પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી હતી અને નોટિસ આપ્યા બાદ સોમવારે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે 10 જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. દેશ વિદેશમાં પ્રસિદ્ધ ધોરડો સફેદ રણ નિહાળવા લોકો અહીં આવતા હોય છે. આગામી નવેમ્બર માસથી…
લોકભાષા-ગાંધીધામ :રાપરમાં ખાતરની સમસ્યા ખેડૂતોને રડાવે છે વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવારે લાઈનમાં ઉભા રહ્યા પછી પણ ટોકન ઉપર ખાતરનુ વિતરણ કરવામાં આવે છે અપૂરતા ખાતરને કારણે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળે છે કિસાનો દ્વારા વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી ગયા પછી પણ પૂરતું ખાતર ન મળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે થોડા વખત અગાઉ આ સમસ્યાના કારણે ખાતર વિતરણ કરતી મંડળી ઉપર ઉગ્ર વાતાવરણ પણ સર્જાયું હતું જોકે આ સમયે તો નેનો ફરજિયાત આપવામાં આવતુ હોવાની પણ ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી પરંતુ…
લોકભાષા-ગાંધીધામ :કચ્છમાં પોલીસ દ્વારા સંભારણા દિન નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ અને ભુજ ખાતે પોલીસ સંભારણા દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શિણાય ખાતે હેડક્વાર્ટરમાં શહીદ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર, ડી. આર. ભાટિયા, મુકેશ ચૌધરી, સાગર સાંબડા ઉપરાંત પીઆઇ અને પી.એસ.આઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સંભારણા દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ભુજ ખાતે શહીદ સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ…

