Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : માધાપર ખાતે એક જ સમાજના બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચકીઓ હતો અને પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માધાપર ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી બે જૂથ આમને સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો એકત્ર થયેલા લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને સમજાવી પરત મોકલી આપ્યા હત જોકે આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી રાત્રિના સમયે બનેલી આ…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ બી ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ. ગલી નંબર-૨ માં ખુલ્લી જગ્યામાં જાહેરમા ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમે છે પોલીસે બાતમીના આધારે રેઈડ કરી આરોપીઓ સત્યમ બીરસિંગ પાલ ઉ.વ.-૨૪ રહે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, સંદિપ શંક૨ મહતો ઉ.વ-૧૮ રહે.-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ! શંકર બિજય કેવટ ઉ.વ-૩૦ ૨હે-કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, બબલુકુમાર અર્જુન પાસવાન ઉ.વ-૨૨ ૨હે- કાર્ગો પી.એસ.એલ ઝુંપડા ગાંધીધામ, અબલાખ હરપ્રસાદ પાલ ઉ.વ-૪૭ ૨હે- કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, મિથુન રામવિલાસ ડેવટ ઉ.વ.૩૨ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, રોહિત દિનેશ તાતિ ઉ.વ.૧૮ રહે.કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા ગાંધીધામ, ગોરેલાલકુમાર મુરારી કેવટ…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારના આશાબા વે-બ્રીજ પાસેથી થયેલ મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી લીધા હતા. આ અંગની મળતી વિગતો મુજબ અંજાર પોલીસ અંજાર શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે આરોપીઓ માનવ શૈલેષભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે.સોનીબજાર બાજુમાં માંડવી ભુજ અને રવિ વિપુલભાઈ પટેલ ઉ.વ.૩૩ રહે. અંજાર મોમાયમાતાના મંદીર પાસે અંજારને ઝડપી પાડ્યા હતા. અંજાર પોલીસે આરોપીના કબ્જામાંથી પેસન પ્રો.મોટરસાયકલ રજી નં. જી.જે-૨૭ એ.કે.૫૭૩૩ કિંમત રૂપિયા ૩૦૦૦૦ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે કંડલા નજીકથી બિનવારસુ વિસ્ફોટક પદાર્થના ફુટેલ બુલેટને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે હકિકત મળી હતી કે, કંડલાથી તુણા તરફ જતા હાઇવે ઉપર આવેલા પુલ નિચેથી પાણીનુ વહેણ ચાલુમા છે જે પુલ નિચેના ભાગે પુલની ઉત્તર તરફ પાણીમા અંદરના ભાગે એક પ્લાસ્ટીકના કોથળામા ફુટેલ બુલેટનો જથ્થો પડેલ છે જેથી એસઓજીએ આ જગ્યાએ જઇ તપાસ કરતા પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ હોય જે બહા૨ કાઢી ચેક કરતા તેમાથી ફુટેલ અલગ અલગ સાઈઝના બુલેટ મળી આવ્યા હતા. તમામ ફુટેલ બુલેટ પણ પાણીવાળા ભીનાશ પડતી હાલતમા હોય જે ફુટેલ બુલેટના જથ્થાનો વજન…

Read More

લોકભાષા-ગાંધીધામ : નગરપાલિકાની બેદરકારીને કારણે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. ગુરુકુળ યુથ કલબ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ ૯ (ગુરુકુલ) અને આસપાસના વિસ્તારોમાં નગરપાલિકાની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુકુલ અને આસપાસના વિસ્તારમાં ઘણા રસ્તાઓ ખરાબ હાલતમાં છે. આ કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે હલનચલમાં ભારે મુશ્કેલી આવે છે. તાત્કાલિક માર્ગોની મરામત અને પુનઃનિર્માણની કામગીરી જરૂરી છે. આ વિસ્તારમાં પાણી વિતરણની ખોરંભે ગયેલી વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે ગુરુકુલ…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી ,આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ શહેર સહિતના તમામ શહેરોમાં દિવાળી તહેવારને અનુલક્ષીને સાફ-સફાઇ અંગે રજૂઆત કરી એકશન પ્લાન બનાવવા તાકીદ કરી હતી. લખપત તાલુકામાં વર્તમાન પાણીનો પ્રશ્ન…

Read More

લોકભાષા-ભુજ : ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪- ૨૫માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી તા.૦૬/૧૧/૨૦૨૪ (લાભપાંચમ) થી તા.૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300/- નું બોનસ આપવામાં આવશે. નોંધણી…

Read More

લોકભાષા-આણંદપર : આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડતા વગડાઓમાં ઘાસ ચારો સારા પ્રમાણમાં ઉગી નિકળ્યો છે. આ ચારો શિયાળાના ચાર મહિના સુધી ચાલતો હોય છે. પશુઓ ત્યાં સુધી ચારણ કરતા હોય છે. જયાં સુધી વગડામાં ચારો હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ પશુઓ માટે પશુપાલકોને ચારા માટે તકલીફ પડતી હોય છે. ત્યારે સીમમાં પણ ચારો ખુટવાથી પરેશાની ભોગવવી પડે છે. વગડામાં ચારો ખૂટતાની સાથેજ ચારાના ભાવો પણ વધારે થઈ જતા હોય છે. જેથી કરીને ભાવો વધારે દેવા પડતા હોય છે. મગફળીનો ચારો પશુઓ માટે એકદમ માફક આવતો હોય છે. મગફળી(કોટી)નો ચારો પશુઓ માટે સારો હોય છે. ખેડૂતો દ્વારા વર્ષમાં મગફળીનું…

Read More

લોકભાષા-ભુજ : જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તેમજ જિલ્લા તકેદારી સમિતિની બેઠકનું આયોજન જિલ્લા સેવા સદન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નવી ખોલવાની સરકારી વાજબી ભાવની દુકાનો, ટેકાના ભાવે ખરીદી, મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્ત, સમિતીની બહાલી અન્વયે દુકાનોનું જાહેરનામું બહાર પાડવાની કાર્યવાહીની વિગત, ઇ-ટ્રાન્ઝેકશનની સમીક્ષા, તકેદારી સમિતિની બેઠક તથા પુર્નરચના, ઇ- કેવાયસી વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાજરીના ટેકાના ભાવે ખરીદી માટેના કેન્દ્રો, રજિસ્ટ્રેશન તથા અન્ય સંલગ્ન બાબતની વિગતો રજૂ કરવામાં આવી હતી. મર્જ એફપીએસ અન્વયેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે સમિતિમાં મળેલી બહાલી અન્વયે કચ્છ જિલ્લામાં કુલ ૭ દુકાનોનું જાહેરનામું…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકાના પાણી વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગાંધીધામમા કોંગ્રેસના આગેવાનોએ પાણીના ટાંકા ઉપર પહોંચી મીલીભગતને ઉજાગર કરી છે, જોકે હવે વહીવટી તંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની નજર છે. કોંગ્રેસ દ્વારા પ્રજાની ફરિયાદને આધારે ગાંધીધામ નગરપાલીકા હસ્તકના આદિપુર ખાતે આવેલા પાણીના ટાંકા ઉપર પહોંચી સત્તાધીશો દ્વારા ખુલ્લેઆમ સરકારી પાણીના વેપલાનો ભાંડા ફોડ કર્યો હતો. શહેરજનોની પુરતું પાણી નથી મળતું અને નગરપાલીકાના સત્તાધીશોની મહેરબાનીથી પાણીનો વેપલો કરી રહ્યા છે. ગાંધીધામ કોંગ્રેસ આગેવાનો નગરપાલીકાનુ ટેન્કર આદિપુર મધ્યે રેલ્વે કોલોનીના સંપ ખાતે પાણી ઠાલવી રહ્યુ હતું ત્યાં પહોંચી ગયા હતા અને ટેન્કર ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડ્રાઈવર…

Read More