Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગરીબ નહી પણ ઉદ્યમી મહિલાઓને સંગઠિત કરવા તેમને તાલીમબદ્ધ કરવા અને આજીવિકા સાથે જોડાણ કરી તેમને સ્વાવલંબી અને સશક્ત કરવાનો તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ધ્યેય હતો. આ ધ્યેયને સાર્થક કરવા તેમણે ગુજરાત રાજયના તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓના સ્વાવલંબન તથા રોજગાર માટે સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નાના પાયે જ્યોત સ્વરૂપે શરૂ થયેલા સખી મંડળો હાલે વિશાળ જ્યોત બનીને સરહદી કચ્છમાં પણ પ્રજવલિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તાર મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી અત્યારસુધી કચ્છ જિલ્લામાં કુલ ૭૦૦૦ થી વધુ સખી મંડળ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉના વામકા નજીક વાડી વિસ્તારમાથી પાંચ લાખનો વિદેશ દારૂ ઝડપાયો હતો પૂર્વ કચ્છ એલ. સી. બીએ ત્રણ આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા, ગોપાલ પુનારામ બીન્નોઈ, મનોહરલાલ કિષ્નારામ બીજોઈને વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો કુલ કિંમત રૂપિયા ૫૦૦૮૧૪, ઇનોવા કાર નં-જીજે-૧૮-બીસી-૬૦૫૫ કિંમત રૂપિયા એક લાખ, બલેનો કાર નંબર વગરની કિંમત રૂપિયા ચાર લાખ, મોબાઈલ ફોન…
લોકભાષા-ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે અસુરો ઉપર દૈવી શકિતના વિજયના પ્રતિક દશેરા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીધામના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જયશ્રી રામના નારાઓ સાથે ટાગોર રોડ ઉપરના ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચી હતી જયા રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ દશેરા મહોત્સવમા રાવણનુ ૬૫ ફૂટનુ જ્યારે કુંભકરણ અને મેઘનાથનુ ૫૦-૫૦ ફુટના પુતળા બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા, નગરપાલિકાના…
લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા ખાતેના પોર્ટ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર વેસલ લંગારવામા આવ્યુ હતું. એમવી મુન્દ્રા એક્સપ્રેસ નામના આ વેસલની લંબાઈ 350 મિટર છે જ્યારે તેની ક્ષમતા 10,000 ટીયુઈએસ છે આ વેસલનુ કંડલા બંદરે બર્થિંગ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો સાથે દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ દરિયાઈ ક્ષમતાઓને વધારવામાં એક મોટી છલાંગ લગાવી હતી.
લોકભાષા-નખત્રાણા : સરકાર આપને દ્વાર અંતર્ગત નખત્રાણા ખાતે નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.શહેરી વિસ્તારમાં આ દસમો તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નખત્રણા વેપારી મંડળના હોલ ખાતે યોજાયેલ.આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓ એક જ જગ્યાએ શહેરીજનોને વિવિધ યોજનાના લાભો મળી રહે અને સરકારી અલગ અલગ કચેરીઓમાં કામ માટે ના જવું પડે તે વિલબ વગર કામો થાય છેવાડાનો માણસ પરેશાન ન થાય તેવા ઉદ્દેશ્યથી સરકાર આપની દ્વારા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ, કુપોષિત બાળકોના આહાર માટે આઈસીડીએસ કચેરી દ્વારા પોષણ અંગેની સમજ આપવામાં આવેલ…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપત તાલુકાના સર્વાંગી વિકાસ માટે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’નો સમાપન સમારોહ યોજાયો હતો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્યએ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓની સરાહના કરી હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર અને લખપત તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા નિયત ઈન્ડીકેટર્સથી ઓછો વિકાસ ધરાવતા તાલુકાનો આ અભિયાન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. રાપર અને લખપત તાલુકામાં સંપૂર્ણતા અભિયાન…
લોકભાષા-ગાંધીધામ : નવરાત્રિના નવમા નોરતા નિમિતે નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કુલરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અમૂલના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના લોક લાડીલા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ધારા ધોરણ તેમજ અત્યાધુનિક ટેક્નોલૉજી સાથે સુસંગત થઈને પશુપાલન કરીયે જેથી દૂધ માં વધારો થાય તેથી પશુપાલકો ને ફાયદો થાય. તેમજ દેશી ગાયનું મહત્વ તેમજ પશુ સંવર્ધન વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે નિરોણા…
લોકભાષા-ભુજ : આત્મા પ્રોજેક્ટ, કચ્છ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ ૧૨૨ ક્લસ્ટરમાં ટેક્નિકલ માસ્ટર ટ્રેનર તરીકે વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, બ્લોક ટેક્નોલોજી મેનેજર, આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર, ખેતી મદદનીશની નિમણૂક કરી ખેડૂતોને તાલીમ આપવાની કામગીરી ચાલુમાં છે. હાલમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૨૪ તાલીમનું આયોજન કરીને અંદાજે ૬૮૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવેલી છે. આ તાલીમમાં ખેડૂતો સ્થાનિક ભાષામાં સરળતાથી પ્રાકૃતિક કૃષિ સમજી શકે અને કોઇ પ્રશ્ન હોય તો તેના સચોટ માર્ગદર્શન માટે ફાર્મર માસ્ટર ટ્રેનરની નિમણૂક કરવામાં…
લોકભાષા-ગાંધીધામ : દેશી દેવી મા આશાપુરા માતાના મઢ ખાતે હનુમંતસિંહએ પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો જ્યારે ભુજના આશાપુરા મંદિરે મહારાણી પ્રીતિ દેવીએ પતરીનો પ્રસાદ ઝીલી પરંપરા નિભાવી હતી. કચ્છની આસ્થા સાથે જોડાયેલા માતાના મઢ ખાતે હનુમંતસિંહ દ્વારા માતાજીનો પ્રસાદ મેળવ્યો હતો દર વર્ષે નવરાત્રીમાં માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પરંપરાગત રીતે ચાલી આવતી આ વિધિમાં વિવાદ બાદ રાજ્યની વડી અદાલતે આપેલા હુકમ બાદ હનુમંતસિંહએ આજે સવારે માતાના મઢ ખાતે ચામરીયાત્રાનો ચાચરકુંડથી પ્રારંભ કરી માતાનામઢ તરફ પ્રસ્થાન કર્યું હતું અને માં આશાપુરા પાસેથી પરંપરાગત રીતે પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો આ સમયે ઉપસ્થિત હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીનો જય જય કાર કર્યો હતો. …
લોકભાષા-ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે આજે આગામી તા.૧૨-૧૦ના દશેરાની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ પર્વ દરમ્યાન રામલીલાના આયોજન બાદ વિજયા દશમીના પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. શનિવારે બપોરે ૩.૩૦ કલાકે શહેરના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થશે. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચશે. ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬.૩૦ કલાકે રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આ વાનરસેના યાત્રામાં ઓનલાઈન નોંધણી કરાવનાર તમામ સભ્યો માટે લક્કી ડ્રો કરવામાં આવશે. પ્રથમ વિજેતાને ૧૦૦ ગ્રામ ચાંદીનો સિક્કો, દ્વિતીય વિજેતાને ૫૦ ગ્રામ, તૃતિય ક્રમે ૨૦…

