Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજ ખાતે નવનિર્મિત રૂ.૧૯ કરોડના ૧૪૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, ગૃહરાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રુપ-૧૬ ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આજના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સરહદી કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે જેથી તેની સુરક્ષા મહત્વપૂર્ણ છે. દેશની સુરક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય કરતા પોલીસ જવાન, બીએસએફ તથા આર્મીના જવાનોને તેમણે…
લોકભાષા-ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધલક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ કરવામાં આવ્યું છે. ભુજમાં પણ સ્મૃતિવન સ્મારક અને મ્યૂઝિયમ્સની ઇમારતને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ નજારો જોઈ પ્રવાસીઓ તથા શહેરીજનો અભિભૂત થયા હતા.
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન વાગડ વેલ્ફર હોસ્પિટલની બાજુમાથી લોર્ડીંગ છકડામાં અમુક ઇસમો ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ નીકળવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ હતી ત્યારે લોર્ડીંગ છકડા નંબર જી.જે.૦૮ વાય.૪૯૮૫ પસાર થતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કામગીરીમાં આરોપીઓ વિશનભાઈ હરજીભાઈ બારસણીયા ઉ.વ.૨૪ રહેવાસી બાદરગઢતા.રાપર કચ્છ હાલ રહેવાસી જય ભવાની ગાજબટન ખોતવાડી શાન્તાકૃઝ વેસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાવરીયા (પટેલ) ઉ.વ. ૩૨ રહેવાસી લખપત તા.ભચાઉ કચ્છ હાલ રહે.પ્રભાતકોલોની શાન્તાકૃઝ ઇસ્ટ મુંબઈ (મહારાષ્ટ્ર), હીતેશભાઈ અરજણભાઈ બારી (રાજપુત) ઉ.વ. ૧૯ ૨હેવાસી…
લોકભાષા-ગાંધીધામ : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ જીલ્લામાં પોલીસ ક્વાટરના લોકાર્પણ પ્રસંગમાં આવેલ અને તેમના ભાષણ દરમ્યાન એવું જણાવેલ કે કચ્છ જીલ્લાના ખાટકી જીલ્લો છોડીને જાય નહિતર રાજ્ય છોડીને જવું પડશે તેવી આકરી પ્રતિક્રિયા આપેલ. અને કચ્છ જીલ્લા પોલીસ વિભાગ દ્વારા કચ્છ જીલ્લામાં તેમના મારફતે ગૌશાળા શરૂ કરવા માટે અભિનંદન પાઠવેલ. જે સારી બાબત છે પરંતુ રાજ્યના ગૃહમંત્રી જે ગૌમાતા માટે આકરી પ્રતિક્રિયા આપી અને અમારી સરકાર ચલાવી નહિ લે તેવું જણાવેલ છે ત્યારે તેમને જણાવવા માંગીએ છીએ કે આપની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર મેઘાલયમાં છે ત્યાના મુખ્યમંત્રી દ્વારા એવું નિવેદન કરેલ છે કે બીજા માંસ કરતા ગાયનું…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લામાં પર્યાવરણ મંજૂરીના નામે અટકાવવામાં આવેલ કવોરી લીઝને પરિણામે અન્ય વિકાસ કાર્યો સહિત જિલ્લાના સમગ્ર માળખાકીય અને આર્થિક વિકાસને અવરોધ્યો છે ત્યારે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ મુદ્દે કેન્દ્રીય સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી વિવિધ સ્તરે વિસ્તૃત રજૂઆતો આદરી છે. આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, કચ્છ જેવા અતિ વિકસિત, સમૃદ્ધ અને સરહદી જિલ્લામાં પર્યાવરણ સર્ટિફિકેટ અને માઇનિંગ પ્લાનના અભાવ અને અમલિકારણના નામે કવોરી લીઝણી મંજૂરી ના મળતાં તેમજ વિકાસ કાર્યો અટકાવી દેવાતાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટના રોડ, બ્રિજ અને જેટીને લગતાં માળખાકીય કામો ઠપ્પ થઈ ગયા…
લોકભાષા-ગાંધીધામ : મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારના લોકોએ આંદોલનનુ રણશિંગું ફૂંકયુ છે. અંડરબ્રિજની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને બાદમાં ધરણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું છે આ અંગે મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારના લોકો દ્વારા ૧૧ લોકોની આંદોલન સમિતિ બનાવવામાં આવી છે જે જુમાપીર તથા સ્વામી લીલાશાહ ફાટક ઉપર અંડરબ્રિજના પ્રશ્ને લડત આપશે. આ અંગે આંદોલન સમિતિના માનદ સલાહકાર રામભાઈ કપ્તાએ જણાવ્યું હતું કે આ લોક આંદોલન અન્વયે અસરકર્તા સર્વે સોસાયટીઓના આગેવાનોના સાથ સહકાર અને સહયોગથી પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લોક આંદોલન અન્વયે…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ખારીરોહર નજીકથી કોકીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો અગાઉ પણ આ જ વિસ્તારમાંથી મોટો કોકીનનો જથ્થો બિનવારસુ મળી આવ્યો હતો ત્યારે બીજી વખત આ જ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરતા બિનવારસુ 10 પેકેટ મળી આવ્યા હતા જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી 10 પેકેટમાં આશરે 120 કિલો અંદાજે કિંમત 120 કરોડનો કોકીન-ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પૂર્વક કચ્છ એસપી સાગર બાગમારએ જણાવ્યું હતું કે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાંથી…
લોકભાષા-ગાંધીધામ : ચુડવા મીઠીરોહર મીઠાઅગરિયા તથા પ્લોટધારકોએ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા ગ્રીન હાઈડ્રોજન પ્લોટનો સૂચિત એપ્રોચ રોડ રદ કરવા અંગે કલેક્ટર કચ્છને અગરિયાઓના હિતમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે યોગ્ય નહીં કરાય તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા વિસ્તારમાં સૂચિત ગ્રીન હાઈડ્રોજન પ્લોટ માટે નવા કોમન સૂચિત એપ્રોચ રોડનું ટેન્ડર 30/07-2024 ના બહાર પાડેલ છે જેની સામે સ્થાનિક અગરિયાઓ, પ્લોટધારકોએ સખતો વાંધો નોંધાવેલ છે કલેકટર કચ્છને આવેદનપત્ર પાઠવી આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર આ ટેન્ડર કોઈપણ જાતના નિયમો અને વાસ્તવિક સ્થળ સ્થિતિનું અવલોકન કર્યા વિના જ બહાર…
લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઈકોન ટૉક-શૉ યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્યગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારું રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લાકક્ષા સુધીના સુચારું આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ…
લોકભાષા-આણંદપર : નખત્રાણા તતાલુકાના નાના અંગીયા ગામના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે મગફળીનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. એક ઉનાળુ મગફળી તેમજ ચોમાસું મગફળીના પાકો લેવામાં આવે છે.જેમના વિસ્તારમાં બોરના પાણી મીઠા હોય છે. એવા ખેડુતો વર્ષમાં મગફળીના બે પાકો લેતા હોય છે.જે વિસ્તારોમાં બોરના પાણી નબળા હોય છે એ વિસ્તારના ખેડુતો ચોમાસું મગફળીનો એક જ પાક લેતા હોય છે.મગફળીના પાકને મીઠું પાણી મળે તોજ સારો પાક અને સોળ આની થતો હોય છે.એટલે નબળા બોરના પાણી વાળા ખેડુતો ચોમાસું મગફળી પાક એટલા માટે લે છે કે નબળા પાણી સાથે વરસાદી પાણી બેથી ત્રણ મળી જાય…

