Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પ્રાંત અધિકારી અને ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા લાકડીયા આડેસર હાઈવે ઉપર ખનીજ ચોરી કરતા ૧૮ ટ્રકોને ઝડપી પાડ્યા : ૫.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસને કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. ભાચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહ તથા તપાસ ટીમ દ્વારા પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ અંગે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે તેવી મુખ્યમંત્રી માંડવી ખાતે આયોજીત સમારોહમા જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે. કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું…
લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણવર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને…
લોકભાષા-આણંદપર : નવરાત્રી પર્વ આવતા ગામડું હોય કે શહેર ઠેરઠેર દાંડિયા રસ કે ગરબાની રમઝટ જામતી જોવા મળતી હોય છે. વર્ષો પહેલા ગરબીચોકનો શણગારથી લઈને તમામ આયોજનો જે તે વિસ્તારના અબાલ વૃધ્ધ ઉમંગથી કરતા હતા. તેનું સ્થાન વ્યવસાયિક આયોજકોએ લઈ લીઘું છે. આધુનિક મંડપ, ડેકોરેશનનો ઝગમગાટ વચ્ચે પણ આજે ડીઝીટલ યુગ છતા પણ નવરાત્રી પર્વ નિમિત્તે આજે પણ અમુકો ગામોમાં ગરબી ચોકમાં પેઇન્ટિંગ કરેલા ભીત ચિત્રો જોવા મળી રહ્યા છે. આજના ઝડપી યુગમાં દરેકમાં પરિવર્તન આવતું જાય છે.જૂના જમાનામાં ગરબીના બેનરો પીંછી દ્વારા ચિતરવામાં આવતા.ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી નાટકનું અનેરૂ મહત્વ હતું.દરેક નાટકના વિષયને અનુરૂપ પડદા પણ ચિત્રકારો દ્વારા ચિતરવામાં આવતા.…
લોકભાષા-ગાંધીધામ : કચ્છના દીનદયાળ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, સીઆઈએસએફ, એસઓજી, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગે ખાડીમાંથી આતંકવાદીઓએ આવીને કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ સીઆરપીએફનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય થયું હતું. આથી આતંકવાદીઓ ફાયરિંગ કરતાં કરતાં કંડલા પોર્ટની ફ્લોટીંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન અથડામણ થતાં સીઆરપીએફની ક્વિક રિસ્પોન્સ…
લોકભાષા-ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ ઓકટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૨૮.૪૬ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૧૭ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ લોકાર્પણના કાર્યક્રમમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ, ગુજરાત પાણી પુરવઠા અને…
લોકભાષા-ગાંધીધામ : નખત્રાણામાં દંપતી સાથે છેતરપીંડી કરી સોના ચાંદીના આભૂષણો અને રોકડ રૂપિયા લઈ જનાર ઠગ ટોળકીને નખત્રાણા પોલીસે બનાસકાંઠાના થરાદમાંથી ઝડપી પાડી હતી તેમના કબજામાંથી આશરે 11 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવની મળતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા નખત્રાણા પોલીસ મથકે મહિલા દ્વારા પોતાની સાથે ખેતરપિંડી કરી આભૂષણો અને રોકડા રૂપિયા બે લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ કરી હતી આ અંગે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન આ ગુનાના આરોપીઓ બનાસકાંઠાના થરાદમાં હોવાનું જાણવા મળતા પશ્ચિમ કચ્છ એલસીબીના ટેકનિકલ સ્ટાફની મદદ લઈ આરોપીઓના લોકેશન મેળવ્યા…
લોકભાષા-ગાંધીધામ : રાપર તાલુકાના સણવા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર કરનાર એક શખ્સને 35 છોડ સાથે આડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ આડેસર પોલીસને મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના સણવા ગામની થરિયા સીમમાં પ્રભુ નારાયણ કોલી ના ખેતરમાં રેડ કરી તપાસ કરતા ખેતરમાં આવેલા પીલુડીના ઝાડની નજીક ગેરકાયદેસર ગાંજાના લીલાછોડ નંગ 35 નું વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગાંજાના 35 છોડ આશરે 7.920 કિલોગ્રામ કિંમત રૂપિયા 79200 ના મુદ્દા માલ સાથે આરોપી પ્રભુ નારાયણભાઈ કોલી ઉંમર વર્ષ 42 રહે. ફુલપરવાંઢ તાલુકો રાપર ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી…
લોકભાષા-ગાંધીધામ : અંજાર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ બનેલ ચકચારી અપહ૨ણ સાથે રૂ. ૧૦ કરોડની ખંડણીના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજય ખાતેથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો આ બનાવમાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી ઉપેન્દ્ર અજુદી વિશ્વકર્મા મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળી હતી જેથી તેને પકડવા એલ.સી.બી.ની ટીમ દ્વારા વેશપલટો કરી કેથોરા ગામની આસપાસ આવેલા ખેતરોમાં સોયાબીનના વેપારી તરીકે જઈ આરોપીની ચોક્કસ હકીકત મેળવી વોચ ગોઠવી પકડી પાડયો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બીના પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ વિજયનગર અંજાર મધ્યેથી થયેલ ચકચારી અપહરણ સાથે ૧૦ કરોડની ખંડણીની…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમા રેલવેના લોકો પાયલોટ દ્વારા ત્રણ દિવસથી વિવિધ માંગણીઓ સાથે ધરણાં પર બેસી ગયા છે. જેમા આશરે ૨૦થી વધુ લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટની તબીયત લથડતા જુદીજુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન ગાંધીધામના મુનીરામ મીનાએ જણાવ્યું હતું કે ગાંધીધામના આસરે ૬૦૦ લોકો પાયલોટને વેઠવી પડતી મુશ્કેલીઓ સંદર્ભે બે બે વખત પ્રશાસનને આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી દરરોજ 200 થી 250 જેટલા લોકો પાયલોટ અને સહ લોકો પાયલોટ આ ધારણામાં બેસે છે જ્યારે નોકરી ઉપર જતા લોકો પાયલોટ અને…

