Author: Nidhiresh A Raval
અમદાવાદ,ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી તા.૩જી થી ૧૧મી ઓક્ટોબર અને મહેસાણા…
અમદાવાદ,નવરાત્રિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રિનો મહોત્સવ ધામધૂમથી ઉજવાય તે માટે સૂચના આપી છે. ગરબા-દાંડિયાના સમયને લઈને હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ આયોજકો સાથે મળીને વ્યવસ્થા કરી રહી છે. સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. તેની સાથે-સાથે હોસ્પિટલો કે રહીશોને તકલીફ ના પડે તે જરૂરી છે.આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી…
ગાંધીનગર,ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ૈંઝ્રેં ઓન વ્હીલ્સ માટેના નવા ૩૮ વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૧૦ નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે, નવી ૩૮ ૈંઝ્રેં ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા, હવે રાજ્યભરમાં ૮૩૮ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં…
બોટાદ,બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરનારા બેની ધરપકડ કરવામાં આવી છે. કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જસેશ ઉર્ફે જલો નાગર અને રમેશ સલિયાની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરોને લૂંટવાના ઇરાદે ટ્રેક પર લોખંડનો ગર્ડર મૂકવામાં આવ્યો હતો. આમ ટ્રેન ઉથલાવવાનો હેતુ મુખ્યત્વે મુસાફરોને લૂંટવાનો હતો.બંને શખ્સો આર્થિક તંગીમાં આવી ગયા હોવાના લીધે આ ષડયંત્ર રચ્યું હતું. યુટ્યુબ પર વિડીયો જાેઈને તેમણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ટ્રેન કેવી રીતે લૂંટાય તે માટે યુટ્યુબ પર વિડીયો જાેયો હતો. રેલ્વે વિભાગની સાથે નેશનલ એજન્સીઓએ પણ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ રેલ્વે ટ્રેક વચ્ચે ગડર મૂકનારાની ધરપકડ કરી…
મહેસાણામહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં વડનગર,ખેરાલુ,સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.એસ આઈ ટી એ આ મામલે છેલ્લા ૧૦ દિવસમાં ૪૫ આરોપીને દબોચી લીધા છે.શુ છે આખું આ રેકેટ જુઓ અમારા આ ખાસ રિપોર્ટમાંવડનગર,વિસનગર,ખેરાલુમાં અને સતલાસણા તાલુકામાં બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ઠગાઈ આચરવાનું આ કૌભાંડ કોઈ ફિલ્મી કહાનીની કમ નથી.બેરોજગાર યુવાનોને ટાર્ગેટ કરી…
સુરત,એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં દુર્વ્યવહાર કરવા બદલ એક મહિલાને ફ્લાઈટમાંથી બળજબરીથી ખેંચી લેવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો અને તેને તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો અને દાવો કર્યો કે મહિલાએ એક પેસેન્જરને ધક્કો માર્યો હતો અને ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેથી તેને ફ્લાઈટમાંથી હટાવી દેવામાં આવી હતી. સુરતથી બેંગ્લોર જઈ રહેલી આ ફ્લાઈટએર ઈન્ડિયા એક્સપ્રેસની હતી. અંદાજે ૨૪ સેકન્ડના વીડિયોમાં બે સુરક્ષાકર્મીઓ મહિલાને ખેંચીને લઈ જતા જાેઈ શકાય છે. જ્યારે ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને ધક્કો મારવા અને દુર્વ્યવહાર કરવાનો વિરોધ કર્યો તો મહિલાએ હંગામો…
અમદાવાદ,અમદાવાદમાં ટ્રાફિકને લઈને વહીવટીતંત્ર વધુ સતર્ક થયું છે. તહેવારોની સિઝનમાં માર્ગો પર ટ્રાફિક વધ્યો છે. ત્યારે સામાન્ય નાગરિકો અને કર્મચારીઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ સુધી ટ્રાફિક નિયમન લઈને તંત્રે વધુ કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને શાળાના સગીર વિદ્યાર્થીઓ કે જેઓ ટુ-વ્હીલર લઈને ફરતા હોય છે તેમના પર પોલીસની બાજ નજર રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદની કેટલીક શાળાઓમાં આ મુદે ચકાસણી હાથ ધરાઈ હતી.આરટીઓ ટ્રાફિક વિભાગ ડીઇઓ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં ટ્રાફિક નિયમન અને શાળાઓમાં ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓ…
અમદાવાદ,રાજ્યની શાળાઓને જ્ઞાન સહાયકો ન મળવાના લીધે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યોજનાના અમલીકરણ બાદ હજુ પણ અનેક શાળામાં જ્ઞાન સહાયકો મળ્યા નથી અને બીજી બાજુ પંદર દિવસ બાદ પ્રથમ સત્રાંત કસોટી શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થી પ્રથમ સત્ર શિક્ષક વગર જ ભણી પરીક્ષા આપશે તેવી સ્થિતી સર્જાઈ છે. સંચાલક દ્વારા ખાલી જગ્યા પર લાયકાત અને મેરિટના ધોરણે નિમણુંકની સત્તાની માંગણી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જેટલા જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવે છે તેમાંથી ૫૦ ટકા તો હાજર થતા ન હોવાથી તે જગ્યા પણ ખાલી રહે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા…
લોકભાષા-ભુજ ઃકચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલા અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ ર્નિજન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવા નાયબ પોલીસ…
ગાંધીનગર,કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં લાભ પાંચમ બાદ તા. ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે. ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે. ખેડૂતો તા. ૩ થી ૩૧ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગાંધીનગર ખાતે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ગાંધીનગર ખાતે ગત તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે…

