Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : તાજેતરમાં ગાંધીધામ કો. ઓ. બેંકના ડાયરેક્ટરોની થયેલી બીન હરીફ વરણી બાદ બેંકના હોદેદારોની નિમણૂક કરવા માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક મળી હતી જેમા ચેરમેન તરીકે પ્રેમભાઈ એસ લાલવાની અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ લખવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીધામની જુનામાં જુની સહકારી બેન્ક કે જે વર્ષ ૧૯૫૧માં કાર્યરત થયેલી ધી ગાંધીધામ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડની હેડ ઓફીસ આદીપુર-કચ્છ મધ્યે અને બ્રાન્ચ ઓફીસ ગાંધીધામ-કચ્છ અને સિંધુ બાગ, ગાંધીધામ-કચ્છ મધ્યે આવેલ છે કે જે નાના માણસોની મોટી બેન્ક ગણાય છે તે બેન્કની ૭૩મી વાર્ષિક સાધારણ સભા ગત તારીખ : ૨૯-૦૯-૨૦૨૪ના રોજ રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રભુદર્શન ઓડીટરીયમ હોલ, આદીપુર-કચ્છ…
લોકભાષા-ગાંધીધામ : નવરાત્રી દરમિયાન કેફીપીણુ પીધેલા સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે નોરતા દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કેફિપીણુ પીધેલા આરોપીઓ કરશન હરથાનભાઈ રબારી, રાહુલ કિર્તીભાઈ ઠક્કર અને પ્રવીણ શેખરભાઈ રેડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવરાત્રી તહેવાર નિમીતે દરેક પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને સુરક્ષા મળી ૨હે તે માટે શી ટીમની રચના કરવામાં આવી છે નવરાત્રી દરમ્યાન નિમણુંક કરેલ શી ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીધામ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થતી ગરબીઓની આજુબાજુ પેટ્રોલીંગ દરમિયાન આરોપી શિવમ હરેશભાઈ પંડયા અને મયંક નિતીનભાઈ ગોરને કેફિપીણુ પીધેલી હાલતમાં ઝડપી…
ગાંધીનગર,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવતીકાલે એટલે કે રવિવારે અચાનક જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રીનાં તહેવારોની ઉજવણી શરૂ થઈ છે અને દિપાવલી સહિતના તહેવારોનો માહોલ પણ બનવા લાગ્યો છે તે સમયે જ એક અચાનક જ સર્જાયેલી રાજકીય ગરમીમાં ચર્ચા-અટકળોનું વાતાવરણ બન્યુ છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર સપ્તાહે આ પ્રકારે બુધવારે જ બેઠક મળે છે પણ રવિવારે બપોરે ૪-૩૦ કલાકે કેબિનેટ બેઠક બોલાવવાનું કંઈક અસામાન્ય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ, રાજયના એક સિનિયર મંત્રીએ આવતીકાલે ગાંધીનગર ખાતે સાંજે ૪.૩૦ કલાકે કેબિનેટ બેઠક મળનારી હોવાના…
લોકભાષા-ગાંધીધામ : જગતજનની માતૃશક્તિની આરાધનાના નવરાત્રી પર્વ દરમ્યાન રામલીલાના આયોજનની પરંપરા વર્તમાન સમયે પણ અકબંધ રહી છે. કચ્છમાં વિવિધ સ્થળો પર નવરાત્રિ નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીધામ સંકુલમાં અગ્રવાલ સમાજ અને સર્વ સનામત ધર્મપ્રેમીઓના ઉપક્રમે છેલ્લા ૫૪ વર્ષથી રામલીલા અને દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે બીજા નોરતે શુક્રવારે રામલીલાનો દિપ પ્રગટાવી દબદબાભેર પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે વિઘ્નહર્તા ગણેશજીના પૂજન બાદ નારદ મોહ, શ્રવણનું મૃત્ય અને રાવણ અત્યાચારના પ્રસંગોનું મંચન કરાયું હતું. કલાકારોએ ભાવવાહી અભિનય સાથે પૌરાણાકિ પાત્રોને જીવંત બનાવ્યા હતા. રામલીલા નિહાળવા શક્તિનગર ગ્રાઉન્ડમાં ગાંધીધામ સંકુલમાંથી બહોળી સંખ્યામાં ભાવિકોનો સમૂદાયો ઉમટ્યો…
લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.કાર્યકુશળતામાં સતત સફળતાના શિખરો સર કરી રહ્યું છે. અદાણી પોર્ટ મુન્દ્રાની ટીમે ચાલુ નાણાકીય વર્ષમાં 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગત વર્ષની તુલનાએ એક મહિના પેહલા આ સફળતા મેળવી છે. આ માઈલસ્ટોન પાર કર્યા બાદ હવે ચાલુ વર્ષનો 200 એમએમટીનો ટાર્ગેટ હાથવેંતમાં હાંસલ કરવા પોર્ટ ટીમ ભારે ઉત્સાહિત છે. નોંધનીય છે કે ગત વર્ષે 28 ઓક્ટોબર, 2023ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પાછલા ક્વાટરમાં અદાણી પોર્ટના માસિક કાર્ગો વોલ્યુમ હેન્ડલિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. તદઉપરાંત અદાણી પોર્ટ્સ મુંદ્રા ખાતે સપ્ટેમ્બર માસમાં 1637 ટ્રેન થકી 1,84,000…
લોકભાષા-ગાંધીધામ : દેશના મહાબંદરગાહો ઉપર કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે બોનસની નવીનિતિને કેન્દ્રીય કેબિનેટએ મંજુરી આપી દીધી છે. જેથી દિવાળી પર્વ પહેલા બોનસની ચુકવણી થાય તે માટેના સંજોગો ઉજળા બન્યા છે ભારત સરકારનાં શિપિંગ મંત્રાલય દ્વારા કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવેલી કામદારોને મળવા પાત્ર બોનસની સિલીંગ 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ગોદી મજૂર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો પોર્ટના લગભગ 20,704 કર્મચારીઓ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારોને થશે. તેમજ સમગ્ર સમયગાળા દરમિયાન દેશના મહાબંદરગાહો લગભગ રૂપિયા 200 કરોડનુ આર્થિક ભારણ વધશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે 2020-21 થી 2025-26 ના…
લોકભાષા-ભુજ : રાજ્ય સરકારના આદેશ અનુસાર હાલ સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ તેમજ સફાઈ ઝુંબેશ જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે તા. ૦૨/૧૦/૨૦૨૪ ના રોજ ભુજ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન, ટાઉનહોલ, જ્યુબીલી સર્કલ, જી.કે. જનરલ હોસ્પિટલ સુધી જાહેરમાં ગંદકી કરતા ઇસમો ને દંડ કરવામાં આવેલ હતું. અંદાજીત ૨૭ જેટલા ઇસમોને દંડ કરવામાં આવ્યું હતું ને આશરે કુલ ૫૪૦૦-૫૫૦૦ જેટલો દંડ વસુલવામાં આવ્યું હતું. આ કામગીરી હજુ આગળ પણ ચાલુ રહેશે. જેથી કરીને શહેરીજનોને તેમજ લારી ગલ્લા વાળા તેમજ દુકાનદારોને જાહેરમાં ગંદકી ના કરવા અપીલ કરવામાં આવે છે અન્યથા હજુ કડક કાર્યવાહી પણ થઈ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ પ્રાંત અધિકારી અને ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા લાકડીયા આડેસર હાઈવે ઉપર ખનીજ ચોરી કરતા ૧૮ ટ્રકોને ઝડપી પાડ્યા : ૫.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસને કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. ભાચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહ તથા તપાસ ટીમ દ્વારા પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ અંગે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના સામત્રા ગામ નજીકના ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા રાજ્ય સરકાર ૧૦ કરોડ રૂપિયા ફાળવશે તેવી મુખ્યમંત્રી માંડવી ખાતે આયોજીત સમારોહમા જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ (હેણોતરો)ના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે આ વિસ્તારને કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે. કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દિપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું…
લોકભાષા-ભુજ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૭મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનીકરણ પામેલ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક – ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલા ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝીયમ ગેલેરી તથા ઇન્ડીયા હાઉસની મુલાકાત લઇને ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણવર્માની જીવનગાથા તથા તેના ભવ્ય વારસાને નિહાળીને…

