Author: Nidhiresh A Raval
લોકભાષા-આણંદપર : “સોળ શ્રાદ્ધ નવ નોરતા રે વાલમાં વિસે દિવસે દિવાળી આવશે.”સોળ શ્રાદ્ધ પુરા થવાની તૈયારી માં છે. અને નવરાત્રી શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તેમને મનાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એટલે નવલા નોરતા આ નવે નવ નોરતામાં માતાજીના ગરબા ગાઈને પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ માતાજીના સ્થાનકે પગપાળા જતા હોય છે. ચામુંડા માતાજી, અંબે માતાજી, રવેચી માતાજી, ડોણ મધ્યે આવેલ આયુ માતાજી, નેત્રા મધ્યે આવેલ જોગમૈયા માતાજી સહિતના સ્થળોએ લોકો પગપાળા જઈને પોતાની માનતા ઉતારવા જતા હોય છે. આ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ જાતની તકલીફો ના પડે એ માટે સેવાભાવીઓ દ્વારા કેમ્પો બનાવવા…
લોકભાષા-ગાંધીધામ : દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ આ નાણાકીય વર્ષમાં ગત વર્ષની સરખામણીએ ૧૬ દિવસ પહેલા ૭૦ મિલિયન મેટ્રીક ટન હાંસલ કરીને કાર્ગો હેન્ડલિંગમાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ગયા વર્ષે, 14મી ઑક્ટોબર, 2023ના રોજ 70 એમએમટીનો આંકડો પહોંચ્યો હતો, જે બંદર પર ઝડપી વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં સુધારાને દર્શાવે છે. આ સિદ્ધિ તમામ પોર્ટ વપરાશકર્તાઓ અને હિતધારકોના સામૂહિક પ્રયાસો અને સમર્થન તેમજ બંદર અધિકારીઓ, કર્મચારીઓ, કામદારો અને ટ્રેડ યુનિયનોના સમર્પણને દર્શાવે છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન સંચિત ટનેજમાં આ પ્રભાવશાળી વૃદ્ધિમાં કેટલાક કાર્ગોએ યોગદાન આપ્યું છે. કંડલા બંદરે ફોસ્ફોરિક એસિડ, રસાયણો, ખાતર, રોક ફોસ્ફેટ, આયર્ન સ્ક્રેપ,…
લોકભાષા-નખત્રાણા : નખત્રાણાની મુખ્ય બજાર ઉપર ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કંપનીઓના વાહનો દિવસે પણ પસાર થતા સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માતાના મઢ જતા પદયાત્રીઓ, મોટા વાહનો, રખડતા ઢોર તથા આડેધડ વાહનોના ખડકલાને કારણે નખત્રાણા બસ સ્ટેન્ડથી વથાન સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે આ સમસ્યામા નાના વાહન ચાલકો તથા વટે માર્ગુઓ પદયાત્રીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ભારે…
લોકભાષા-આણંદપર : એસ.ટી.બસ વિભાગ દ્વારા નખત્રાણા થી ભુજનું અંતર ૫૧ કિલોમીટર અને ભુજ થી નખત્રાણાનું અંતર બસ ટિકિટમાં ૫૪ કિલોમીટર બતાવવામાં આવતા, પ્રવાસીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ બાબતે એક પ્રવાસીએ જણાવ્યું હતું કે એસ.ટી.બસમાં આપવામાં આવતી ટિકિટમાં બે સ્થળ વચ્ચેના અંતરમાં ત્રણ કિલોમીટર જેટલો તફાવત જણાય છે.અલબત્ત ૩ કિલોમીટરના તફાવતના કારણે ટિકિટની રકમમાં કોઈ ફરક પડતો નથી. પરંતુ સ્વાભાવિક રીતે આશ્ચર્ય થાય કે જે રોડ રસ્તે રૂટ પર બસ જાય ત્યારે ૫૧ કિલોમીટર અને એ જ અંતર કાપીને તે જ રોડ રસ્તા રૂટ પર પરત આવે ત્યારે ૫૪ કિલોમીટર થઈ જાય છે.આવું કેમ બને છે ! …
લોકભાષા-ગાંધીધામ : અંજાર શહેરી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અંજાર પોલીસે એક આરોપીને પકડી પાડયો હતો જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સહીત ચાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમી હકીકત આધારે અંજાર શહેરમાં ગંગાનાકાથી વરસામેડી રેલ્વે ફાટક તરફ જતા રસ્તે ફોર્ચ્યુનર ગાડી નં. જીજે 11 એસ 9161ને રોકી તેમાં તપાસ કરતા અંગ્રેજી દારૂની વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંજાર પોલીસે રેડ દરમિયાન આરોપી બાબુ ઉર્ફે રમેશ માધાભાઈ ભરવાડ ઉ.વ.30 રહે-ગામ-ગેડી ભરવાડવાસ તા.રાપર-કચ્છના કબજાવાળી આ ગાડીમાથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથેનો જથ્થો કિંમત રૂપિયા 254400 તથા…
અમદાવાદ,તારીખ ૩ ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને ૧૨ ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જાેઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જાે શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ ૧૮,…
ગાંધીનગર,ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે (૨૮મી સપ્ટેમ્બર) બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં ૨.૪૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં ૧.૭૩ ઈંચ, વાંપીમાં ૧.૫૦ ઈંચ અને કપરાડામાં ૧.૪૨ ઈંચ જેટલો વરસાદ નોંધાય છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (૨૮મી સપ્ટેમ્બર) સુરત, ભાવનગર, અમરેલી, તાપી અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે…
રાજકોટ,સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દોઢ વર્ષમાં પીજીવીસીએલ દ્વારા અધધ ૨.૫૪ અબજ (૨૫૪ કરોડ)થી વધુની વીજચોરી પકડી પાડવામાં આવી છે, જેમાં અંજારમાં સૌથી વધુ વીજચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજચોરી પકડવાનું ફુલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજમીટરના જીપીએસ મેપિંગથી વીજળીની ચોરી પકડી પાડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના ૫૯ લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેની ૯૦ ટકા કામગીરી પૂરી થઈ જતાં હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો તેની સીધી માહિતી વડી કચેરીને મળી જાય…
સોમનાથ,ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ૨૭મી સપ્ટેમ્બરની રાતથી ૩૬ જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જાે કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.સોમનાથમાં તંત્રની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલી હતી.…
અમદાવાદ,ભારતીય રેલવે વિભાગે તહેવારોને ધ્યાનમાં રાખીને ૬ હજાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો ર્નિણય કર્યો છે. જેમાં દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને રેલવે વિભાગે અમદાવાદથી ઉપડનારી ટ્રોનોની યાદી બહાર પાડી છે. અમદાવાદથી બિહાર જવા માટે પશ્ચિમ વિભાગ દ્વારા અઠવાડિયામાં બે ટ્રેનો મુકવામાં આવી છે. જેમાં વિશેષ ભાડા સાથે અમદાવાદ-દાનાપુર-અમદાવાદ અને સાબરમતી-સીતામઢી-અમદાવાદ રૂટની સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે.અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન દોડશેઅમદાવાદ-દાનાપુર ૦૯૪૫૭ સ્પેશિયલ ટ્રેન આગામી ૬ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી ચાલશે, આ ટ્રેન દર રવિવારે સવારે અમદાવાદથી ૮ઃ૨૫ વાગ્યે ઉપડશે અને ૨૫ તારીખે બપોરે ૩ વાગ્યે દાનાપુર બિહાર ખાસે પહોંચાડશે.જ્યારે દાનાપુરથી રીર્ટન અમદાવાદ આવવા માટે દાનાપુર-અમદાવાદ ૦૯૪૫૮ સ્પેશિયલ ટ્રેનમાં આવવાનું રહેશે. જે ૭ ઓક્ટોબરથી ૨૫…

