Author: Nidhiresh A Raval
સાબરકાંઠા, સાબરકાંઠાના વડાલીમાં ૪૨થી વધુ વ્યક્તિઓના ખાનગી બેન્કોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ફક્ત બેન્ક ખાતા જ નહી ડીમેટ ખાતા પણ બની ગયા હતા. ૨૦૧૬થી આ બેન્ક એકાઉન્ટ બની ગયા હતા. આ ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ જમા થયા હતા.લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ ખાતામાં થયા હતા. આ અંગે વડાલી પોલીસ મથકે ફરિયાદ કરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમા લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન આ ખાતામાં થયું હોવાની જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસનું માનવું છે કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે કેવાયસી માટે લઈ ગયેલા…
લોકભાષા-ગાંધીધામ : ભારતના મહાબંદરગાહોના છ મજદૂર મહાસંઘો અને ભારત સરકાર વચ્ચે મુંબઈ ખાતે મળેલી બેઠકમાં પોર્ટ અને ગોદી કામદારોના પગાર અને પેન્શન વધારા માટેની આખરી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમુક નિર્ણયો અને સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. તેમ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર યુનિયન (એચ.એમ.એસ), કંડલાના પ્રમુખ અને વેજ બોર્ડના સભ્ય એલ સત્યનારાયણ દ્વારા જણાવ્યુ છે તેમ અખબારી યાદીમા ઉપપ્રમુખ જીવરાજ ભાંભીની જણાવ્યુ હતું. આ બેઠકમા મકાન કરાયા ભાથા ૧૫% લેખે નવી બેસિક પગાર ઉપર લેવામાં આવશે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ૧૧૦૦થી વધારીને ૧૫૦૦ અને એના ઉપર જે મોંઘવારી ભથ્થુ હશે તે ગણવામાં આવશે વોશિંગ એલાઉન્સ ૧૯૪થી વધારીને ૨૪૦ અને ૨૫૦થી વધારીને ૩૦૦…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સંબંધિત વિભાગોના વડાઓને ધ્રબ, મુન્દ્રા-કચ્છ સ્થિત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માળખાકીય સમસ્યાઓ અંગે તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. ગાંધીધામ ચેમ્બરે પત્ર દ્વારા જણાવ્યું છે કે, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા, રસ્તાઓની ખરાબ સ્થિતિ, અપૂરતી સ્ટ્રીટ લાઇટિંગ, પાણી ભરાવાની સમસ્યા અને વાહન વ્યવહાર તેમજ સુરક્ષાને લગતા પ્રશ્નો ગંભીર બન્યા છે. આ સમસ્યાઓના કારણે સ્થાનિક ઉદ્યોગોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે, ઉત્પાદન સામગ્રી અને મશીનરીને આર્થિક નુકસાન થાય છે, વાહનોની જાળવણી અને ઈંધણનો ખર્ચ વધી રહ્યો છે તેમજ કર્મચારીઓની સલામતી અને કાર્યક્ષમતા પર વિપરીત…
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કારની કોશિષ કરી હતી તેનો વિરોધ વ્યક્ત કરી ગાંધીધામની ગાંધી માર્કેટ ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલી માત્ર 6 વર્ષની નાની દીકરી ઉપર તેની જ શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ દરમિયાન બાળકી રડવા લાગી તથા ચીશો પાડવા લાગી ત્યારે તે નરાધમ તે બાળકીનું ગળું દબાવીને રાક્ષસી આચાર્યએ હત્યા કરી હોવાન આક્ષેપ કર્યો હતો. અને આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને…
લોકભાષા-ગાંધીધામ : અંજારના તાલુકા હેલ્થ ઓફિસરને હનીટ્રેપમા ફસાવી બ્લેક મેઈલીંગના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આદિપુર પોલીસ મથકે અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ પોતાને ફસાવી એક મહિલા સહિત બે વિરૂદ્ધ બ્લેક મેઈલીંગની ફરિયાદ કરી હતી. જેમા આરોપી ગુલામ હાજીને પોલીસે ઝડપી લીધો હતો આ બનાવની વિગતો મુજબ અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારીયાએ દ્વારા નર્મદા વાળંદ અને તેના પતિ દિનેશ વાળંદ તરીકે ઓળખાણ આપનાર ગુલામ હાજી વિરુદ્ધ પોતાને બ્લેક મેઈલિંગ કરી પચાસ હજાર પડાવી લીધા હતા અને ત્રીસ લાના ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસ મથકે ડો. રાજીવ અંજારીયાએ મહિલા મહિલાએ આશાવર્કરની નોકરી માટે…
લોકભાષા-ગાંધીધામ : ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ન્યુ દિલ્હી ખાતે દશમો આંતરરાષ્ટ્રીય સમારોહ અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો મુખ્ય હેતુ નકલી વેપાર તથા દાણચોરીને રાષ્ટ્રવ્યાપી રીતે અટકાવવા તથા સરકારી તમામ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટેનો હતો. ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમગ્ર ભારત દેશમાં કાર્યરત વિવિધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા નકલી વેપાર તથા દાણચોરીને અટકાવવા માટે કરવામાં આવેલ પ્રસંશનીય કામગીરીની વિગત મેળવવામાં આવી હતી જે અન્વયે ગુજરાત રાજયનાં અલગ-અલગ જીલ્લાઓમાંથી આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા અધિકારીઓ તથા કર્મચારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા. …
લોકભાષા-ભુજ : નગરપાલિકાના કાઉન્સીલર રાજેશ ગોર એ ફેસબુક તથા ભુજ શહેર ભાજપના ગ્રુપમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સરકારના પરિપત્રથી ઉપરવટ જઇને કર્મચારીઓને ફરજ પર પોતાના આર્થીક સ્વાર્થ માટે રાખતા હોવાની પોસ્ટ કરી હતી જે બાદમાં ડીલીટ કરી દેવાઇ હતી. કાઉન્સીલરે પોસ્ટમાં કહ્યુ બધુ આર્થિક સ્વાર્થ માટે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના કાઉન્સીલર કે જે અગાઉ કેટલાક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. તેની એક પોસ્ટે ભુજ શહેરમાં ભારે હડકંપ મચાવ્યો છે. કેમકે ફેસબુક તથા શહેર ભાજપના ગ્રુપમાંથી એ પોસ્ટ ભલે ડીલીટ થઇ ગઇ હોય પરંતુ તેના સ્ક્રિનસોર્ટ વાયરલ થયા હતા જેમાં રાજેશ ગોરએ લખ્યુ હતુ કે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર…
લોકભાષા-ગાંધીધામ : છેલ્લા એક વર્ષ થી ધરફોડ તથા મો.સા. ચોરીના પાંચ ગુન્હાઓમાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને અંજાર પોલીસે પકડી પાડયો હતો. અંજાર પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, અંજાર પોલીસ સ્ટેશન તથા કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના મિલ્કત ચોરીના ગુનાઓ કામે નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા(આહીર) રહે. મારૂતિનગર નાગલપર તા. અંજાર વાળો હાલે નાગલપર વાડી વિસ્તારમાં છે. અંજાર પોલીસે બાતમીના આધારે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમીના આધારે તપાસ કરતા આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા (આહીર) ઉ.વ.૩૪ રહે.મારૂતિનગર, નાગલપર તા.અંજારને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ…
લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના પધ્ધર ખાતે અવારનવાર બનતા ચોરીના બનાવોને લઈને આજે ગ્રામજનો દ્વારા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 16 સપ્ટેમ્બરના બે બાઇક ચોરાઈ હતી,તેમજ રાત્રે ઉભેલા વાહનમાંથી ડીઝલ ચોરી થવા પામી હતી આ ઉપરાંત વાડી વિસ્તારમાં કેબલ ચોરી,ગૌશાળામાં ચોરી થઈ હતી,બનાવ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી, કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે ,ગામમાં ચોરીના બનાવોને અટકાવવા માટે રાત્રી દરમિયાન નિયમિત પેટ્રોલિંગ તેમજ કડક છાપ ધરાવતા પોલીસ કર્મચારીની નિમણૂક આપવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ગૃહમંત્રી, જિલ્લા કલેકટર અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજુઆત કરી છે
લોકભાષા-ગાંધીધામ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીનગર કેપિટલ-ભુજ-ગાંધીનગર સ્પેશિયલ અને ભુજ-બરેલી-ભુજ એક્સપ્રેસ ટ્રેનો ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- તા. 29 સપ્ટેમ્બર, 2024 ના રોજ, ગાંધીનગર કેપિટલથી ચાલતી ટ્રેન સંખ્યા 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ(સમાપ્ત) થશે અને ગાંધીધામ-ભુજ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 30 સપ્ટેમ્બર 2024ની ટ્રેન સંખ્યા 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ગાંધીધામથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. 28 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બરેલીથી ચાલતી ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ…

