Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ બી ડિવિઝન પોલીસએ પોક્સો તથા આઈ.ટી.એકટના ગુનામા સંડોવાયેલ આરોપીને ઉતરપ્રદેશથી પકડી પાડયો હતો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે ભોગબનનારને ફોસલાવી તેની સાથે બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ વિડીયો-ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતીદરમિયાન પોલીસ આરોપીને ઝડપી લેવા ઉતર પ્રદેશના બિસન્ડા પહોંચી હતી જ્યાંથી આરોપી ગંગાસાગર રામગુલામ નિષાદને ઝડપી પાડ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા પોક્સો એકટ કલમ-૪ તથા ૧૨ તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ ૨૦૦૮ ની કલમ- ૬૬(સી),૬૭ મુજબની ફરિયાદ નોંધાઇ હતી. ભોગબનનાર ને ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી બિભત્સ…
લોકભાષા-ભુજ :ભુજના દાદુપર રોડ પર વાલ્મીકીવાસમાં જુગાર રમતા મંજુલાબેન વિશ્રામભાઇ વાલ્મીકી, રંજનબેન પ્રવિણભાઇ વાણીયા, રંજન ઉર્ફે મુનીબેન પ્રકાસભાઇ વાણીયા, ભારતીબેન રમેશભાઇ વાઘેલા, ગીતાબેન હરજી પુરબીયા વાઘેલા, સંગીતાબેન રાહુલભાઇ સોલંકી, ગૌરીબેન પપ્પુ ઉર્ફે શામજીભાઇ પરમાર નામની આઠ મહિલાને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા 12,330 તેમજ 10,500ના ત્રણ મોબાઇલ મળીને રૂપિયા 22,830નો મુદામાલ કબ્જે કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો.માંડવીના તલવાણા હરીપર માકરાઇ તળાવ પાસે જુગાર રમતા હાસમ આધમ સંઘાર, રસીદ ઇબ્રાહિમ રાયમા, રાહુલ આત્મારામ મહેશ્વરી, સલીમ ઇશાક થેબા, મજીદ અબ્દુલ્લા થેબાને રોકડ રૂપિયા 13,340 તથા 10 હજારની બાઇક મળી કુલે રૂપિયા 23,340 સાથે કોડાય પોલીસે પકડી પાડી…
લોકભાષા-ભુજ :મોરબી જિલ્લાના માળીયા-મીયાણા ગામના યુવકને મોરબી જેલથી ભુજ પાલારા ખાસ જેલમાં ટ્રાન્સફર કરાયા બાદ કેદીએ પાલારા જેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ પ્રસાશનમાં દોડધામ મચી જવા પામી છે. જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલએ આ અંગે જણાવ્યું હતું કે, ગત જુન માસ દરમિયાન ટંકારા પોલીસ મથકના 6 જુનાના પોક્સોના કેસમાં માળીયા-મીયાણા તાલુકાના વીર બીદરકા ગામના મોહિત ભરતભાઇ સુરેલા (ઉ.વ.22) નામના યુવકને પકડી પાડ્યા બાદ મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટેના હુકમથી 4 ઓગસ્ટના મોરબીની જેલમાં ધકેલી દીધો હતો. મોરબીની જેલ નાની હોવાથી 6 ઓગસ્ટના મોરબી જેલથી આરોપીને ભુજ પાલરા જેલમાં દાખલ કરાયો હતો. દરમિયાન સોમવારે સવારે પોણા બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બેરેકની…
લોકભાષા-ભુજ : ધ્રબ સીમમાં આવેલી સૂરઇ નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા 62 વર્ષીય વિધવા મહિલાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્ય પ્રદેશના 63 વર્ષીય નારાણભાઇ ચંન્દ્રવંશી નામના પરપ્રાંતિય રવિવારે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રબની સીમમાં આવેલી સૂરઇ નદીના ચેક ડેમ પર નાહવા ગયા હતા. તેમને પરતા ન આવડતું હોઇ નદીમાં પડી જવાથી ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. તો, નખત્રાણા તાલુકાના વડવાકાંયા ગામે રહેતા ભજીબેન ભારમલભાઇ બુચીયા નામના મહિલા બીમાર રહેતા હોઇ રવિવારે…
લોકભાષા-ગાંધીધામ :અંજારમાં વ્યાજખોરી અંગે વધુ બે ફરિયાદ નોંધાઇ છે પોલીસ દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ ભય મુક્ત બનેલા ભોગ બનનાર લોકોએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છેઅંજારની અનેક વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી ત્રણેય વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ગુનો નોંધાયા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે દશ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન પૂર્વ કચ્છ એસપી દ્વારા આ વ્યાજખોર ટોળકી દ્વારા કોઈને પરેશાન કરવામાં આવ્યા હોય તો ભય વગર ફરિયાદ નોંધાવવા અપીલ કરી હતી. દરમિયાન ભોગ બનનારએ ફરિયાદ કરતા રિયા વિરૂદ્ધ વધુ બે ગુના નોંધાયા છે જેમાં એક…
લોકભાષા-ગાંધીધામ :કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ખાનગી કંપનીના ગોડાઉનમાંથી આશરે ત્રણ લાખથી વધુની કિંમતની સોપારીની ચોરી થઈ હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફ્લેમિંગો લોજિસ્ટિક નામની કંપનીના ગોડાઉન નંબર 285મા સોપારીની 386 બોરી રીએક્સપોર્ટ માટે રાખવામાં આવેલી હતી ત્યારે ગોડાઉનની સાઈડને બારીના સળિયા તોડી ગોડાઉનમાંથી આશરે 50 બોરી સોપારી કિંમત રૂપિયા 3,16,650 ની કોઈ ચોરી કરી ગયા હોવાની દેવેન્દ્ર ખેમચંદ બાલાએ ફરિયાદ નોંધાવી છે. એક તરફ સોપારી કૌભાંડને વિવિધ એજન્સીઓ દ્વારા ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કાસેઝની કંપની…
લોકભાષા-ભુજ :ભુજ નગર પાલિકામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.ભુજમાં ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગર પાલિકામાં હોબાળો કર્યો હતો.અને દરવાજા બંધ કરી મુક્યાં હતાગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર કરી તોડફોડ કરી હતી.નગર પાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવી હતીહોબાળો વધી જતાં કર્મચારીઓ પણ ઓફિસ છોડીને ભાગ્યા હતા.લોકોના કહેવા મુજબ ભુજના વોર્ડ નમ્બર એક સહિત અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને ગટર સમસ્યા સતાવી રહી છે લોકોનું રહેવું દુષ્કર બની ગયું છેઅવારનવાર રજુઆત કરવામાં આવે છે પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી લોકો ગટરની દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે એટલું જ નહીં કેટલાક લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી…
લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન (ટ્રક, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર તથા અન્ય મોટા વાહન ધારકો) દ્વારા કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, હજુ સુધી આ મુદ્દે પ્રશાસન તરફ થી કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ મળ્યો નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તા. 11 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે 11 કલાકે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માલિકો અને વાહન ધારકોએ મોખા ટોલનાકા પર નો રોડ નો ટોલ ટેક્ષ મુદે એકત્રિત થવાનું નક્કી કર્યું છે.આ બેઠકનો ઉદ્દેશ્ય, ગાંધીધામ-મુન્દ્રા સાથે કચ્છ ને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસન સાથે વિનંતી પૂર્વક ચર્ચા કરવાનો છે. જ્યાં સુધી રોડ નું કામ પૂર્ણ ના…
લોકભાષા-ભુજ :કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છે, જેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે જિલ્લાના ૧૩ નાગરિકોનું અવસાન થયું હતું. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની ૨૭ ટીમો…
ગાંધીધામ નગરપાલિકા ખાતે જિલ્લા કલેકટર દ્વારા મહાનગરપાલિકા અંગે ચાલતી કાર્યવાહી અંગે ચર્ચા કરી લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ આ દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા આજે ગાંધીધામ નગરપાલિકાની મુલાકાત લઇ અધિકારી પદાધિકારીઓ સાથે મહાનગરપાલિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સીમાંકન સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરી હતીસુધરાઇ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છ કલેકટર અમિત અરોરા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી, ગાંધીધામના મામલતદાર દિનેશ પરમાર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખ તેજસભાઇ શેઠ વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા અને મહાનગરપાલિકા અંગે…

