Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : અંજાર તાલુકાના ટપ્પર સીમમાં થયેલી વિજલાઈનના વિજ વાયરોની લુંટના સાત આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંજાર-દુધઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બે-ત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે ટપ્પ૨ સીમમાંથી પસાર થતી વીજલાઈનમાંથી વીજ વાયરોની લુંટ થઈ હતી જે લુંટ વ૨નોરા ગેંગના માણસોએ કરેલ છે અને આ ઇસમો વીજ વાયર મુદ્દામાલ બોલેરો પીકઅપ ડાલામાં ભ૨ી બોલેરો તથા સ્વીફ્ટ કાર લઇ ટપ્પર બાજુથી લાખાપર થઈ ચાંદ્રાણી વાળા રસ્તેથી ભુજ બાજુ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આરોપીઓ સમીર ઈબ્રાહીમ ઇસ્માઈલ કુંભાર ઉ.વ.…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બુધવારે રાત્રે કૌટુબીક ભાઇને કેમ ખોટી ચડામણી કરો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં પોલીસે સગીર સહિત સાત ઇસમોની ધરપકડ બાદ જેલ હવાલે કર્યા છે. આ અંગે માનકુવા પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.એન.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ…

Read More

લોકભાષા-ભુજ : ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમના ઉચ્ચ અધિકારીઓએ માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ ટીમ સાથે રહીને જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલી પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકશાની અંગેની જાણકારી આપી હતી. દિલ્હી આવેલી શીર્ષ અધિકારીઓની ટીમ કચ્છના માંડવી તાલુકામાં આસંબિયા, કોડાય ગામ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી. જ્યારે અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંઝાણ, કોઠારા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાક નુકસાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્ર…

Read More

લોકભાષા-ભુજ : મુન્દ્રા તાલુકાના ધૃબ સિમમાં આવેલ કંપનીમાં કલમાર વાહનના ટાયર નીચે આવી જતા યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ અમલ લોજીસ્ટિક સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના યાર્ડમાં કલમાર નમ્બર જી.જે 12 કે 7881ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી રીતે ચલાવી બિહારના 27 વર્ષીય અનિલકુમાર જતન શાવને હડફેટમાં લઈને કલમારનું ટાયર તેના શરીર પર ફરી વળતા મોત નીપજ્યું હતું.આ બનાવમાં કોટુંબીક ભાઈ જીતુકુમાર સીતારામ સાવે ચાલક સામે ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાવી છે.આ બનાવે પરિવારજનોમાં અરેરાટી ફેલાવી દીધી છે.

Read More

લોકભાષા-ભુજ : નારણપર રાવરી ગામે રાત્રે કૌટુબીક ભાઇને ઉધા રવાડે કેમ ચડાવો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ ભાઇ સબીરને તું ઉધા રવાડે કેમ ચડાવશ તેમ કહતાં ઝઘડો થયો હતો. જેમાં ગુલામે સીરાજને માર માર્યો હતો. જેથી સીરાજે આ બાબતે તેના…

Read More

લોકભાષા-ગાંધીધામ: કચ્છ અને અમદાવાદ વચ્ચે નવી વંદે ભારત મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતાં, પ્રદેશના વિકાસમાં એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. આ આધુનિક અને ઝડપી રેલ સેવા કચ્છના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નવી વંદે ભારત મેટ્રો ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ દોડશે, જે પ્રવાસીઓને સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, તેવું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે ભુજથી અમદાવાદ જતી ટ્રેન નંબર 94802 દરરોજ સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે (રવિવાર સિવાય). જ્યારે અમદાવાદથી ભુજ જતી ટ્રેન નંબર 94801 સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:30 વાગ્યે ભુજ પહોંચશે…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની પ્રભારી સચિવ તથા આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.‌ બેઠકમાં ઇન્ફેક્શસ ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફીસર ડો.કમલેશ ઉપાધ્યાયે આરોગ્ય કમિશ્નરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિથી વાફેક કરીને રીસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાંતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટ પ્રોટોકલથી અવગત કર્યા હતા. શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઇ રીતે સારવાર…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના સણોસરા ગામે મોમાંય માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તસ્કરો 35 હજારની ચોરી કરી ગયા હતા જ્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે મકાનમાંથી સાડા ત્રણ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલ મોમાંય માતાજીના મંદિરે તસ્કરો ગત તારીખ 10.9 ના તસ્કરો મંદિરની ગ્રીલમાં લગાવેલ દાનપેટીનો લોક તોડી રોકડ 35 હજારની ચોરી કરી ગયા હતા.આજે સવારે ઘટનાની જાણ થતાં રવાભાઈ રામાંભાઇ રબારીએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માતાજીના મંદિરમાં ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા માંગ ઉઠવા પામી છે. જયારે નાના કપાયા ગામે આવેલી પૂર્વી પાર્ક સોસાયટીમાં ગત તારીખ 4.9.થી 7.9…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ ઘરફોડ ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપી મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ રેસીડેન્સી-૨ ની પાછળના ભાગે આવેલ અંજાર-આદિપુર નર્મદા કેનાલ ઉપર બેઠેલ છે. તેવી બાતમી મળી હતી જેના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ત્યા બેઠેલા બે શખ્સો ભીમબહાદુર માનબાહદુર શાહી અને હીમાલ મનબહાદુર શાહીને પુછપરછ કરતા અંજારના મેઘપર બોરીચીના રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી બને આરોપીને ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીમબહાદુર…

Read More

લોકભાષા-નલિયા : અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં છસરા અને વડસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આડબંધના કારણે અમારા વડસર અને છસરા ના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે…

Read More