Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : મોટા કપાયા ગામે રહેતી બે પરણીત મહિલાઓને ફોટા વાયરલ કરી બદનામ કરી બાળકોને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યા અંગેની મુંદરા પોલીસ મથકે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં ત્રણ આરોપીઓ પૈકી એક શખ્સ સામે બે ફરિયાદ દાખલ થઇ છે. બન્ને બનાવ ગત એક વર્ષથી 23 ઓગસ્ટ 2024 દરમિયાન બન્યા હતા. 25 વર્ષીય ભોગબનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે. આરોપી ભરત રામજી ડોરૂ રહે મોટા કપાયા સાથે તેની ઓળખાણ હતી જે બાદમાં ફરિયાદીને સબંધ રાખવો ન હોવાથી આરોપી ભરત અવાર નવાર સબંધ રાખવા માગણી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આરોપી ભરતે ફરિયાદીના મોબાઇલ નંબર આરોપી વાલજી કાનજી…
લોકભાષા-ભુજ :માંડવી ખાતે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. જેને લઈને સ્થાનિકો પરેશાન બન્યા છે. અવાર-નવાર ધ્યાન દોરવા છતાં પોલીસ તંત્ર કાયમી સમસ્યા નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડી છે. લોકોના જણાવ્યા પ્રમાણે માંડવી શહેરમાં બીચ તેમજવિજય વિલાસ પેલેસ આવેલો છે. જ્યાં પ્રવાસીઓની સતત અવર-જવર રહેવા પામે છે. આવી પરિસ્થિતિમાં સિઝનમાં તોસતત ટ્રાફિક જોવામળેછે. શહેરના સ્વામીનારાયણ મંદિરથી મોટા બગીચા સુધીના માર્ગ પર ટ્રાફિકજામ રહેવા પામે છે. આ ઉપરાંત આઝાદચોક, ભીડવિસ્તાર, ટોપણસરતળાવ પાસે દરિયા તરફ જતા માર્ગ પર વાહનોની સતત અવર-જવર રહેવા પામે છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હાજરહોવાછતાં પણ સમસ્યા જોવા મળેછે. જેનું મુખ્ય કારણ રોડપરઆડેધડ પાર્કિંગ તેમજ લારીઓ આડેધડ ઉભતી હોય છે.…
ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા લોકભાષા-ભુજ :કચ્છની સૌથી મોટી ગણેશજીની મૂર્તિને વાજતેગાજતે વિસર્જન માટે માંડવી લઈ જવામાં આવી હતી.જે સોમવારે વિધિવત મધ દરિયામાં પધરાવવામાં આવશેદર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રેન્ડસ ગ્રૂપ દ્વારા 24 માં વર્ષે ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.15 ફુટ ઊંચી અને 10 ફૂટ પહોળી મૂર્તિ ઇકોફ્રેન્ડલીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.નવ દિવસના આયોજનમાં દરરોજ મહાઆરતી,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજે નવમા દિવસે બાપાને વાજગાજતે ભુજના જુદા જુદા માર્ગો થઈને મીરઝાપર, દહીંસરા,ધૂંણઇ,પુનડી,નાના આસંબિયા,કોડાય થઈને માંડવી પહોંચ્યા હતા.ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા હતા.સોમવારે બાપાને ખાસ લાકડાના બનેલા ત્રાપામાં મધ દરિયામાં લઈ…
લોકભાષા-ભુજ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 ના વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા થી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને શુભારંભ કરશે, આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવી છે ટ્રેન નંબર 09404 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન…
લોકભાષા-ભુજ :નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામની વૃદ્ધ મહિલા એક દિવસ પૂર્વે લાપતા બની હતી.જેનો આજે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ કોટડા જડોદર ગામની 80 વર્ષીય ધનબાઈ દાનાભાઈ ભદરૂ ગત તારીખ 14 સપ્ટેમ્બરના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા આ અંગે પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી.આજે ગામમાં આવેલા ભોજરાઈ તળાવમાં વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિકોએ પોલીસને જાણ કરતા સ્થળ પર ટિમ આવી પહોંચી હતીગામના તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.ત્યારબાદ પોસ્ટ મોર્ટમ માટે મંગવાણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પોલીસના કહેવા મુજબ હતભાગી મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા.માનસિક અસ્વસ્થાને લઈને જિંદગીનો અંતિમ પગલું ભર્યું…
લોકભાષા-ભુજ : જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં શુક્રવાર રાત્રે ઘર્ષણ થયું હતું જેમાં માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના જાંબાઝ જવાન પુનશી ખેંગાર ગઢવી અને તેમના સાથી જવાનોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદ સામે લડતા કચ્છના ચારણ યુવાન સહિત દેશના સીમાડા સાચવતા માઁ ભોમના વીરોની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાલ ચાલી રહી છે. બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારના ચક તાપર ક્રિરીમાં શુક્રવારે મોડી રાત્રે ગોળીબાર…
લોકભાષા-ભુજ : ભુજના પરા ગણાતા માધાપર ખાતે યક્ષદેવના મંદિરના પરિસરમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાંસદ વિનોદભાઈ ચાવડાએ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.આ વર્ષે સ્ટોલમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં, સર્કસ સહિતની નાની મોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ ની વ્યવસ્થા પણ 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે દર વર્ષે મેઘરાજા પણ આ મેળા દરમિયાન દેખા દેતા હોય છે. પરંતુ તો પણ અહીંના લોકો વરસાદમાં પણ આ મેળાની મજા માણતા હોય છે. ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં એક લાખ લોકો ઉમટતા હોય છે. જિલ્લાના પાટનગર ભુજથી પાંચ કિલોમીટર દૂર આ મેળો યોજાતો હોય છે. લોકો…
લોકભાષા-ભુજ : સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આગેવાનો દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, દામજીભાઇ ચાડ, વિરમભાઇ ચાડ, રણછોડભાઇ આહિર, આદમભાઇ શેખ, ભાણાભાઇ મહેશ્વરી,…
લોકભાષા-આણંદપર : નખત્રાણા તાલુકાના મોટાયક્ષથી મંગવાણા સાત કિલોમીટરના રોડપર બને બાજુ ઝાડીઓ વધતા રોડની સાઈડ સાંકળી થવા લાગી છે.અમુક જગ્યાએ ઓછી છે તો અમુક જગ્યાએ વધારે હોવાના કારણે રોડપર પ્રસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.તેમજ આ રોડપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે.તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ રોડપરથી અવારનવાર પ્રસાર થતા હોવા છતા આ લોકોને દેખાતુ નથી.આંખમાં મોતિયો હોય એવું લાગી રહ્યું છે. આ રોડ પહેલા સિંગલ પટી હતો પાંચથી છ વર્ષ પહેલા આ રોડને પહોળો કરવામાં આવ્યો હોવાથી રોડપરની સાઈડો બેસી જવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે.તેમજ આ રોડપર વળીયા(ગાંચ) હોવાના કારણે પાછળ બેઠેલી મહિલાઓ અકસ્માતે…
લોકભાષા-ભુજ : જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે સંગઠન મહા મંત્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યો, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાજી ના નુતન “સાંસદ સંપર્ક સદન” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. “સાંસદ સંપર્ક સદન” નું સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પાટીલજી, રત્નાકરજી અને ધારાસભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.…

