Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : માંડવીના ચેક બાઉન્સ થવાના કેસમાં અમદાવાદના વેપારીને માંડવી કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા સાથે ચેકની રકમ એક માસમાં ચુકવી આપવા અન્યથા વધુ 90 દિવસની સજા કરતો હુકમ કર્યો હતો. અમદાવાદમાં ધી રીયલ એન્ટરટેઇનમેન્ટના નામે કેટરીંગનો વ્યવસાય કરતા હિરેન વિજેન્દ્રભાઇ વૈદ્યને માંડવીમાં વિવેક કેટરીંગનો વ્યવસાય કરતા કરૂણાશંકર શીવજીભાઇ જોષીએ મિત્રતાના નામે રૂપિયા 4.50 લાખ આપ્યા હતા. જેની અવેજીમાં હિરેનભાઇએ બે ચેક આપ્યા હતા. જે બેન્કમાંથી શેરા સાથે પરત ફરતાં માંડવી કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જેમાં માંડવી કોર્ટે અમદાવાદના વેપારી હિરેનભાઇને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ એક માસમાં ફરિયાદી કરૂણાશંકર જોષીને ચુકવી આપવા નહીં તો,…

Read More

લોકભાષા-ભુજ : દરશડી ગામ પાસેના હાઇવે રોડ પર રાત્રે બળદ સાથે બાઇક અથડાતાં બીદડાના યુવકનું સવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીદડા ગામે મફતનગરમાં રહેતા ઇમરાન લતીફ મથડા (ઉ.વ.20)એ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમના મિત્ર નરેશ અશોકભાઇ મારવાડા રહે બીદડા બન્ને જણાઓ સોમવારે રાત્રે સાડા સાત વાગ્યે મોટર સાયકલ પર ભુજથી બીદડા થઇ રહ્યા હતા. ત્યારે ઇમરાન પોતે મોટર સાયકલ ચલાવતો હતો. દરમિયાન દરશડી ગામ પાસે અચાનક રોડ પર બળદ આડો ઉતરતાં બાઇક બળદ સાથે અથડાઇ હતી. ત્યારે બાઇક પરથી બન્ને મિત્રો નીચે રોડ પર પટકાયા હતા. જેમાં…

Read More

લોકભાષા-ભુજ : વડાપ્રધાન દ્વારા ભુજ અમદાવાદ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો હતો આ અંતર્ગત ભુજ અને ગાંધીધામ ખાતે રેલ્વે વિભાગ દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ નમો ભારત રેપીડ ટ્રેનનો ભુજ-અમદાવાદ શુભારંભ કરાવવામાં આવ્યો હતો આજે ટ્રેનના પ્રારંભમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનમાં સફર કરી હતી. ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડો. નિમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ તેજશભાઈ શેઠ, ધવલભાઈ આચાર્ય, મધુકાંતભાઈ શાહ, મોમાયાભા ગઢવી, પંકજભાઈ ઠક્કર સહીતના આગેવાનો નગરપાલિકાના સદસ્યો, ભાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચોરીના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એકાદ મહિના અગાઉ કુકમાં ગામમાંથી ચોરી થયેલ હોન્ડા એચ.એફ.ડીલક્ષની સદામ હારૂન ખલીફા ૨હે. રોટરીનગર અંજાર વાળાએ ચોરી કરેલ છે અને આ બાઈક લઇને વીડીથી અંજાર તરફ વેચવા માટે આવવાનો છે. જેથી એલ.સી.બી. ટીમે વોચમાં રહી આરોપી સદામ હારૂન ખલીફા ઉ.વ. ૩૨ ૨હે. હાલે રોટરીનગર, અંજાર મુળ રહે. કાળી તલાવડી તા.ભુજને અટકાવી પૂછપરછ કરતાં આરોપીએ ચોરીની કબુલાત કરી હતી પોલીસે હોન્ડા કંપનીનુ બાઈક નં. જીજે-૧૨-એચએ-૯૨૨૨ કિંમત રૂપિયા 50હજારને…

Read More

લોકભાષા-ભુજ : ઈદ-એ-મિલાદદુનબી નિમિતે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ તહેવાર મહત્વનો છે આજના દિવસે ઇસ્લામના સ્થાપક પયગંબર મોહમ્મદનો જન્મ થયો હતો. એવું માનવામાં આવે છે કે પયગંબર મોહમ્મદનો જન્મ મક્કામાં થયો હતો. કહેવાય છે કે અલ્લાહે હઝરત મોહમ્મદને અવતારના રૂપમાં મોકલ્યા હતા. પયગંબર મોહમ્મદના પિતા અબ્દુલ્લા બિન અબ્દુલ મુત્તાલિબ હતા, જ્યારે તેમની માતા આમેના હતા. ઈદ-એ-મિલાદ પયગંબર મોહમ્મદના જન્મની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. આજે ભુજમાં મહેફિલે બાગે રસુલ કમિટી દ્વારા ઝુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું.વિવિધ માર્ગો પર ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ભુજ ઉપરાંત મુન્દ્રા, માંડવી, નખત્રાણા, નલિયા, ખાવડા, હાજીપીર, રાપર, ભચાઉ,…

Read More

લોકભાષા-ભુજ : નલિયાની જબ જેલની દસ ફૂટ ઉંચી દિવાલ ઠેકીને ભાગવા જતાં આરોપી નીચે પટકાયો હતો. જેમાં તેના હાથ ફેકચર અને મોઢાના દાત તૂટી ગયા હતા. પોલીસે આરોપીને સારવાર માટે ખસેડીને નલિયા પોલીસે જેલ પ્રસાશનને આ અંગે આરોપી સામે કાર્યવાહી કરવા પત્ર દ્વારા જાણ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડુમરા કોલીવાસમાં રહેતો કરશન ઉર્ફે કિશન બાબુ કોલી (ઉ.વ.22) નામનો યુવક નશાની હાલતમાં ધમમાલ કરતાં કોઠારા પોલીસના હાથે રવિવારે સવારે સાડા અગ્યાર વાગ્યે પકડાઇ ગયો હતો. જેને નલિયાની સબ જેલમાં લઇ જવાતાં જ્યાં બાથરૂમ જવાના બહાને જેલીની દસ ફૂટ ઉંચી દિવાલ પર ચડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નીચે પટકાઇ…

Read More

લોકભાષા-ભુજ : ખાવડા નજીક આવેલા કોટડા ચેક પોસ્ટ પર બોલેરો જીપની અડફેટે આવી જતાં રોડ ક્રોસ કરી રહેલા ધ્રોબાણા ગામના 8 વર્ષના બાળકનું ભંભીર ઇજાઓ ને કારણે મોત નીપજ્યું હતું. મોતના બનાવથી ઇદના દિવસે મૃતકના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત કર્યા બાદ ગાડીનો ચાલક પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ સોમવારે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ધ્રોબાણા ગામે ધુણારાવાંઢમાં રહેતા રીઝવાન રાજપાર સમા (ઉ.વ.8) નામનો બાળક તેમના કાકા સાથે ખેતરે જઇ રહ્યો હતો. ત્યારે કોડડા ચેક પોસ્ટ પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી…

Read More

લોકભાષા-ભુજ : મોટા કપાયા ગામે રહેતી બે પરણીત મહિલાઓને ફોટા વાયરલ કરી બદનામ કરી બાળકોને મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યા અંગેની મુંદરા પોલીસ મથકે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં ત્રણ આરોપીઓ પૈકી એક શખ્સ સામે બે ફરિયાદ દાખલ થઇ છે. બન્ને બનાવ ગત એક વર્ષથી 23 ઓગસ્ટ 2024 દરમિયાન બન્યા હતા. 25 વર્ષીય ભોગબનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે. આરોપી ભરત રામજી ડોરૂ રહે મોટા કપાયા સાથે તેની ઓળખાણ હતી જે બાદમાં ફરિયાદીને સબંધ રાખવો ન હોવાથી આરોપી ભરત અવાર નવાર સબંધ રાખવા માગણી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આરોપી ભરતે ફરિયાદીના મોબાઇલ નંબર આરોપી વાલજી કાનજી…

Read More

લોકભાષા-ભુજ :માંડવી ખાતે ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. જેને લઈને સ્થાનિકો પરેશાન બન્યા છે. અવાર-નવાર ધ્યાન દોરવા છતાં પોલીસ તંત્ર કાયમી સમસ્યા નિરાકરણ કરવામાં નિષ્ફળ નિવડી છે. લોકોના જણાવ્યા પ્રમાણે માંડવી શહેરમાં બીચ તેમજવિજય વિલાસ પેલેસ આવેલો છે. જ્યાં પ્રવાસીઓની સતત અવર-જવર રહેવા પામે છે. આવી પરિસ્થિતિમાં સિઝનમાં તોસતત ટ્રાફિક જોવામળેછે. શહેરના સ્વામીનારાયણ મંદિરથી મોટા બગીચા સુધીના માર્ગ પર ટ્રાફિકજામ રહેવા પામે છે. આ ઉપરાંત આઝાદચોક, ભીડવિસ્તાર, ટોપણસરતળાવ પાસે દરિયા તરફ જતા માર્ગ પર વાહનોની સતત અવર-જવર રહેવા પામે છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હાજરહોવાછતાં પણ સમસ્યા જોવા મળેછે. જેનું મુખ્ય કારણ રોડપરઆડેધડ પાર્કિંગ તેમજ લારીઓ આડેધડ ઉભતી હોય છે.…

Read More

ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા લોકભાષા-ભુજ :કચ્છની સૌથી મોટી ગણેશજીની મૂર્તિને વાજતેગાજતે વિસર્જન માટે માંડવી લઈ જવામાં આવી હતી.જે સોમવારે વિધિવત મધ દરિયામાં પધરાવવામાં આવશેદર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રેન્ડસ ગ્રૂપ દ્વારા 24 માં વર્ષે ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.15 ફુટ ઊંચી અને 10 ફૂટ પહોળી મૂર્તિ ઇકોફ્રેન્ડલીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.નવ દિવસના આયોજનમાં દરરોજ મહાઆરતી,તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજે નવમા દિવસે બાપાને વાજગાજતે ભુજના જુદા જુદા માર્ગો થઈને મીરઝાપર, દહીંસરા,ધૂંણઇ,પુનડી,નાના આસંબિયા,કોડાય થઈને માંડવી પહોંચ્યા હતા.ગામે ગામ ગણેશજીની મૂર્તિને જોવા લોકો ઉમટ્યા હતા.સોમવારે બાપાને ખાસ લાકડાના બનેલા ત્રાપામાં મધ દરિયામાં લઈ…

Read More