Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : તાલુકાના સણોસરા ગામે મોમાંય માતાજીના મંદિરમાં દાનપેટી તોડી તસ્કરો 35 હજારની ચોરી કરી ગયા હતા જ્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે મકાનમાંથી સાડા ત્રણ લાખની ચોરીની ઘટના પ્રકાશમાં આવવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલ મોમાંય માતાજીના મંદિરે તસ્કરો ગત તારીખ 10.9 ના તસ્કરો મંદિરની ગ્રીલમાં લગાવેલ દાનપેટીનો લોક તોડી રોકડ 35 હજારની ચોરી કરી ગયા હતા.આજે સવારે ઘટનાની જાણ થતાં રવાભાઈ રામાંભાઇ રબારીએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માતાજીના મંદિરમાં ચોરી કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડવા માંગ ઉઠવા પામી છે. જયારે નાના કપાયા ગામે આવેલી પૂર્વી પાર્ક સોસાયટીમાં ગત તારીખ 4.9.થી 7.9…

Read More

લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીએ ઘરફોડ ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપી મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ રેસીડેન્સી-૨ ની પાછળના ભાગે આવેલ અંજાર-આદિપુર નર્મદા કેનાલ ઉપર બેઠેલ છે. તેવી બાતમી મળી હતી જેના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ત્યા બેઠેલા બે શખ્સો ભીમબહાદુર માનબાહદુર શાહી અને હીમાલ મનબહાદુર શાહીને પુછપરછ કરતા અંજારના મેઘપર બોરીચીના રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી બને આરોપીને ઝડપી લીધા હતા. પૂર્વ કચ્છ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીમબહાદુર…

Read More

લોકભાષા-નલિયા : અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના ખેડૂતો દ્વારા અબડાસા તાલુકાના નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ જેમાં હાલ વડસરના સીમાડામાં જે આડબંધ બાંધવામાં આવ્યું છે આ આડબંધના પાણી સાથે દરિયાનું પાણી પણ ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયેલ છે અને આ આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીની જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં છસરા અને વડસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આડબંધના કારણે અમારા વડસર અને છસરા ના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ લખપત તાલુકાના બેખડા ગામની જાત મુલાકાત લીધી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભી છે. બીમારીનું મૂળ કારણ શોધીને અને હવે…

Read More

લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછીને રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને તમામ પગલા લઈ રહી હોવાનો દર્દીઓને વિશ્વાસ અપાવ્યો હતો.  આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી…

Read More

લોકભાષા-ભુજ : મુંદરાના સીએફએસ કંપનીના જનરલ મેનેજર પોતાની અલગ કંપની ઉભી કરીને મશીનરી સહિતના બીલો બનાવીને રૂપિયા 83.60 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવતાં આરોપી વિરૂધ્ધ મુંદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો હતો. મુંદરા પોલીસ મથકે મુળ અમદાવાદના હાલ મુંદરા સીએફએસમાં એમ્પેઝર લોજીસ્ટીક કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા અમિત દેવેન્દ્રપ્રતાપ ભટનારે આરોપી આકાશ જીતેન્દ્ર દેશાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બન્યો હતો. આરોપી આકાશ કંપનીના જનરલ મેનેજર તરીકે ફરિયાદીની કંપનીમાં જોડાઇને પોતાની ફરજ દરમિયાન પોતાની અલગ કંપની બનાવી હતી અને મશીનરી, ઓવરટાઈમ, મેન્ટેનન્સના નામે બીલો બનાવ્યા હતા. જે કંપનીના એકાઉન્ટ વિભાગમાંથી પાસ કરાવીને કંપનીમાંથી…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજાર પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી કાનજી ઉર્ફે કાનો વેલાભાઈ બઢિયાને ઝડપી પાડ્યો હતો અંજાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા લીસ્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે અંજાર પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અંજાર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી અંગેની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી આરોપી કાનજી ઉર્ફ કાનો વેલાભાઈ બઢીયાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ચાર, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એક…

Read More

લોકભાષા-ભુજ : અબડાસા પંથકમાં ફેલાયેલી ભેંદી બીમારીમાં મૃત્યુ થવાની સંખ્યમો વધી રહી છે વધુ બેના મૃત્યુ નિપજતા મૃત્યુ આંક આંક ૧૭ પર પહોંચ્યો હતો. કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં બિમારીથી મૃત્યુ આંક વધતા લોકોમા વધતી ચિંતા વ્યાપી છે હાલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયા, આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી સહિતનો કાફલો હાલ અસરગ્રસ્ત તાલુકાઓની મુલાકાતે પહોંચ્યો છે. આ દોડધામ વચ્ચે વધુ એક જત યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મરણ જનાર ૪૨ વર્ષિય અલાના જત અબડાસાની ભારાવાંઢનો હતો. અલાના જત અને તેનો ૧૫ વર્ષિય કિશોર પુત્ર બે સોમવારે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ…

Read More

લોકભાષા-ભુજ : સુરતમાં જે રીતે ગણેશ પંડાલ પર પથ્થરો ફેંકી શાંતિ ડોહળવા માટે પ્રયત્ન થયો તેવીજ ધટનાને કચ્છમાં અંજામ આપવાનો મનસુબો કેટલાક શખ્સોનો હતો. જો કે ગામે શાંતિપુર્ણ રીત પોલીસ ફરીયાદ સાથે આવા તત્વો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી બરાબરનો બોધપાઠ આપ્યો છે. નખત્રાણાના કોટડા(જ) ગામે બે દિવસ પહેલા એક ધાર્મીક સ્થળની આસપાસ સ્થાપીત કરાયેલા ગણેશ મુર્તિ પર પથ્થર ફેંકી તેને ખંડીત કરવામાં આવી હતી અને એટલુ જ નહી પરંતુ ગામમાં આવેલા અન્ય એક ધાર્મીક સ્થળ પર લીલી ધજા પણ રાખી દેવાઇ હતી. જે મામલે સ્થાનીકોએ પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે આઠ શખ્સો સામે ફરીયાદ નોંધી તપાસ આરંભી હતી જેમાં…

Read More

લોકભાષા-ગાંધીધામ :ગાંધીધામ ચેમ્બરની આગેવાનીમાં કચ્છના ટ્રાન્સપોર્ટરોએ આપેલી નો રોડ નો ટેક્સ લડતને આખરે સફળતા મળી છે અને ચાર દિવસમાં કચ્છના ચારેય ટોલનાકા ઉપર આવેલા નેશનલ અને સ્ટેટ હાઇવે ની મારામત કામગીરી કરવાની બાહેધારી મળતા લડતને સમેટી લેવામાં આવી હતી. આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ગાંધીધામ ચેમ્બર દ્વારા આગેવાની લઈને નો રોડ નો ટેક્સ મુહીમ ચલાવવામાં આવી હતી આજે સવારે શરૂ કરવામાં આવેલી આ લડતમાં મોખા ચોકડીએ સેંકડોની સંખ્યામાં ટ્રક, ટ્રેલર, ટેન્કર ઉભી રહી ગઈ હતી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો…

Read More