Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંજારમાથી ચોરાઉ સીપીયુ તેલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય બે આરોપીઓ સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા. આ અંગે મળતી વિગતો મુજબ પુર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નારણનાથ હરીનાથ નાથબાવા તથા કિશોરનાથ નારણનાથ નાથબાવા રહે. બંને અંજાર વાળાઓ પોતાના અંગત ફાયદા સારૂ કંડલા -મુંદરાથી અલગ અલગ તેલ કાચુ તથા રીફાઈન તેલ ભરી જતા ટેન્કરોના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ભરેલ ટેન્કરોમાંથી ડ્રાઈવરો સાથે મળી તેલની ચોરી કરાવે છે અને તેલનો જથ્થો…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકરફીટ પાણીના વિતરણ અન્વયે અલગ અલગ યોજના કાર્યરત છે. જે અંતર્ગત તબક્કા-૧ અને તબક્કા-૨ હેઠળ આયોજિત કરેલી ૦.૫૦૬ મિલિયન એકરફીટ નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત મોડકુબાથી નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું એક્ષ્ટેન્શન કરીને ૦.૧૮૨ મિલિયન એકરફીટ નર્મદાના પૂરનું વધારાનું પાણી મેળવીને અબડાસા અને લખપત તાલુકાની સિંચાઈ યોજનાઓને જોડાણ કરીને વિતરિત કરવા માટેનું પ્રાથમિક આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. જે…
લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી લીલાશા ફાટકના ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી નહી ફોટા લોકભાષા-ગાંધીધામ : લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન સમસ્યા દૂર થવાને બદલે વધી રહી છે રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે લીલાશા ફાટકના બ્રિજનુ ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી હજુ સુધી ચાલુ થઈ નથી. લીલાશા ફાટકની સમસ્યા ઉકેલાતી નથી ત્યારે લીલાશા કુટીયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન અંડર બ્રિજ પણ બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો…
લોકભાષા-ભુજ : ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થયા હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો ભુજની કે.કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત 50% અને 90% બ્લોકેજ વચ્ચે ગોટાળો જોવા મળ્યો હતો ગરીબ પરીવાર પર 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યું હતું. કે.કે પટેલ હોસ્પીટલમાં કરસનભાઈ પટેલના બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો હતો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. મેડિકલ માફિયાઓ સામે સમાજમાં રોષ ફેલાયો છે દાતાઓએ અવાજ ઉઠાવવાનો આહ્વાન કર્યું હતુ સમગ્ર મામલે પટેલ ચોવીસીમાં ચકચાર મચી જવા પામી છે કચ્છી લેવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ…
લોકભાષા-ભુજ : કચ્છના માર્ગો પર ગતિભેર દોડતા વાહનો પર પ્રસાશનનું કોઇ અનુસાશન ન હોવાથી રોજે રોજ હાઇવે માર્ગો પર લોહીરેડાઇ રહ્યું છે. તેવામાં અબડાસા તાલુકાના ડુમરા પાસે પૂરઝડપે આવતી કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો, ભુજ માંડવી રોડ પર ખત્રી તળાવ પાસે સામેથી આવતી વેગનઆર કારના ચાલકે અચાનક વળાંક લેતાં ધડકા સાથે કાર અથડાઇ જતાં ભુજના બે યુવાનનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રે વિંઝાણ ગામે રહેતા પરેશ આરબ કોલી (ઉ.વ.20) નામનો યુવાન નલિયા માંડવી રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના નવ વાગ્યે આઇ-20 કારના ચાલકે…
લોકભાષા-ભુજ : કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક શાંતિ જાળવી રાખવામાં અગ્રેસર છે. ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓનું શોષણ ન થાય અને રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે શ્રમ તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં કુલ ૮૦ ફરિયાદો મળી હતી. જે સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી, ૫૧ ફરિયાદોમાં ૪૨ ઔદ્યોગિક એકમોના ૭૨ શ્રમિકોને સમજાવટથી કુલ રૂ. ૨૫ લાખથી વધુના ચૂકવણું કરાવવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે…
લોકભાષા-ભચાઉ : ભચાઉ ગાંધીધામ હાઇવે પર ટ્રક માં આગ ભભૂકી ઉઠી હતી. ભચાઉના જુનાવાડા બ્રીજ પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો ભચાઉ નજીકના જુનાવાડા ઓવરબ્રિજ ઉપર એકાએક ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગતા ભચાઉ નપા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગની કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી
લોકભાષા-ભુજ : કેરા ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં 24 ઘાયલ વ્યક્તિઓ પૈકી વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મરણ આંક સાત થયો છે. ત્યાં મુંદરાના ધ્રબ રોડ પર રવિવારે રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહન હડફેટે આવી જતાં બાઇક સવાર બે યુવાનના સ્થળ પર કમકાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમજ ભુજ તાલુકાના માનકુવા ગામે પતિ સાથે એક્ટિવા પર જતા પત્નીનું ટ્રકની ટકકરથી ટાયરના જોડા નીચે આવી જતાં કરૂણ મોત થયું હતું. મૃતકોના પરિવારજનોમાં ઘટનાને લઇ અરેરાટી ફેલાઇ ગઇ હતી. મુન્દ્રા રોડ પર સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ખાનગી મીની બસમાં સવાર…
લોકભાષા-ગાંધીધામ : આદિપુરની વધુ એક મહિલા આંખલાના આંતકની ભોગ બની છે. બે દિવસ પહેલા શાકભાજી લેતા મહિલાઓને આંખલાઓએ હડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી રોજીંદા બનતા બનાવો છતા ગાંધીધામ મહાનગરપાલિકાનુ વહીવટી તંત્ર દ્વારા મૌન પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યુ હોય તેમ કોઇ જ કાર્યવાહી કરી રહ્યુ નથી આદિપુર મુન્દ્રા ચોકડી નજીક ટાગોર રોડ પર મોપેડ ચાલક મહિલા અને તેમની નાની દીકરી જતા હતા તે વખતે રોડ વચ્ચે બે મોટા આંખલાઓ યુદ્ધ કરતા અચાનક દ્વિચક્રી વાહનને અડફટે લેતા તેમને પાડી દીધા હતા. ચાલક અને તેમની દીકરીને ઇજા થઇ હતી આવી પરીસ્થિતિ સર્જાતા ગરીબ વર્ગ અસમંજસમાં પડી જાય છે અને હોસ્પિટલ જવા વિચાર…
લોકભાષા-ગાંધીધામ : મીઠીરોહ૨ સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી મળી આવેલ શંકાસ્પદ ચોખાની બોરીઓ ગોડાઉનમાંથી ચો૨ી ક૨વાના ગુનાના આરોપીઓની ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચાર શખ્સોની ધ૨પકડ ક૨ી ચોખાની બોરીઓ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ હાઇવે વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન હ્યુમન સોર્સ થી મળેલ બાતમી આધારે મીઠીરોહ૨ સિમ વિસ્તારમાં આવેલ મીટ ઈન્ડીયા કંપનીની પાછળના ભાગે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચોખાની ૫૦ કિલોની ક્ષમતા વાળી બોરી નંગ-૨૬ તથા બે મોટર સાઈકલ વાહનો સાથે સિકંદર ૨મજુ સોઢાને પકડી પાડયો હતો જેની પુછપરછ દરમ્યાન આ ચોખાની બોરીઓ…

