Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ગઢશીશા અને મોટી રાયણમાં અકસ્માતના અલગ અલગ બે બનાવોમાં યુવાન અને વયસ્કના અકાળે મોત નીપજ્યા હતા. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકે મુળ ઉતરપ્રદેશના અને ગઢશીશા ગામે રહેતા રામસિંહ ઓમકારસિંહ ચૌહાણે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેનો ભાઇ ગુલ્લુસિંહ ઓમકારસિંહ ચૌહાણ (ઉ.વ.20) પોતાના કબ્જાની મોટર સાયકલથી સોમવારે સાંજે સાડા છ વાગ્યે ગઢશીશાથી શેરડી ગામ તરફ જતો હતો. ત્યારે અચાનક બાઇક સ્લીપ થઇ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ મોટી રાયણ ગામે રહેતા ઉમરભાઇ જુણેજા…
લોકભાષા-ભુજ : ભુજના હમીરસર તળાવમાં લાશ મળી આવી હતી. મહિલાની લાશ તરતી જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી હતી.પોલીસે લાશ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર બનાવમાં મૃતદેહ કોનો છે તે અંગેની ઓળખ હાથ ધરવામાં આવી છે. આજે ફાયરની ટીમને જાણ થતાં લાસને બહાર કાઢી હતી. મહિલાએ આત્મહત્યા કરી છે કે કેમ તે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ રહસ્ય ઘૂંટાઈ રહ્યુ છે સત્ય કારણ પોસ્ટ મોર્ટમ બાદ ખુલવા પામશે.સમગ્ર કેસમાં અગાઉ ગુમ થયેલ મહિલાઓની જાણકારી મેળવવામાં આવી રહી છે જેની હકીકતો બાદ વિગતો બહાર આવશે
લોકભાષા-ભુજ : લખપત તાલુકાના પાન્ધ્રોથી લૈયારી ગામ વચ્ચે ગોલાઇ પર ધડાકા સાથે બે કાર અથડાતાં મહિલા અને બાળકી સહિત આઠ લોકોને વતી ઓછી ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે નખત્રાણા અને ભુજ ખસેડવામાં આવ્યા હતા. નારાયણ સરોવર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. પોરબંદરના આદિત્યાણા ખાતે રહેતો પરિવાર માતાનામઢ દર્શન કરીને એક્સયુવી કારમાં નારાયણસરોવર જઇ રહ્યો હતો. ત્યારે પાન્ધ્રો અને લૈયારી વચ્ચે વારછાદાદાના મંદિરની ગોલાઇમાં સામેથી આવતી અચાનક વેગનઆર કાર આવી જતાં બન્ને કાર સામ-સામે ધડાકાભેર અથડાઇ પડી હતી. જેમાં એક્સયુવી કારમાં સવાર પોરબંબરના પરિવારના મહિલા અને બાળકી મળી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના કોડાય પાસેથી વધુ એક વખત એલસીબીએ ખનીજ ચોરી સબબ વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અંતર્ગત પશ્વિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો, જેમાં રેતી ભરેલા પાસ પરમીટ વગરના બે ટ્રેક્ટરને તેના ચાલકો સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જપ્ત મુદ્દામાલને કોડાય પોલીસ મથકના હવાલે કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી એલસીબી પીઆઇ એસ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ટીમ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બીદડા – મોટા ભાડીયા રોડ બાજુ કેનાલ પાસે બે ટ્રેક્ટર આઇસર કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12…
લોકભાષા-ભુજ : પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે પોતાની માલિકીની કેટલી જમીન છે, તેની પણ જાણકારી નથી. તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન ક્યાં ગામે છે. તેમની કોઈ માહિતી તેમની પાસે નથી, જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬ માં જમીન સંપાદન કરેલ છે, જેની રેવન્યુ રેકડમાં નોંધ પડી ગયેલ હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠા ના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી, પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે…
લોકભાષા-ગાંધીધામ : વાગડમા ટુંકા સમયમાં ફરી એક સાથે આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા આઠ મંદિરોમા ચોરીથી ભકતોમા આક્રોશની લાગણી વ્યાપી છે જાણે વાગડના મંદિરોને નિશાન બનાવી પોલીસને તસ્કર ટોળકીએ પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે વાગડમા તસ્કરોએ વધુ આઠ મંદિરોને નિશાન બનાવ્યા હતા. કાનમેરમા જુદા જુદા વિસ્તારોમાં આઠ મંદિરોના તાળા તુટયા હતા. મંદિરમા ચોરીના બનાવથી ભક્તોમા રોષની લાગણી વ્યાપી છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. થોડા સમય પહેલાં જ વાગડમા તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક જ રાત્રીમા ત્રણ ગામના નવ મંદિરોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચિત્રોડ, જેઠાશ્રી અને મેવાસા ગામના મંદિરોને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી ચોરી…
લોકભાષા-ગાંધીધામ : આદિપુર સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણી લીલાશાહ મહારાજ ની ૫૧ મી પુણ્યતિથિ નિમિતે ૧૦, ૧૧, ૧૨ તારીખે ત્રિદિવસીય મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેની આદિપુર ગાંધીધામ માં પરિક્રમા કરવામાં આવી હતી. બીજા દિવસે સમૂહ જનોઈ તથા ત્રીજા દિવસે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નદાન, વિદ્યાદાન અને કન્યાદાન ના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજી ના સંકલ્પો ને સાકાર કરવાનું કાર્ય આજે પણ તેમના અનુયાયીઓ કરી રહ્યા છે. જય રામજી કી ના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળ માં ભોજન ની ચિંતા રામ પર મૂકી લોક…
લોકભાષા-ભુજ : ધોરડો રણોત્સવ-૨૦૨૪નો કચ્છના તોરણ સફેદરણ ખાતે ઉભી કરાયેલી ટેન્ટસીટી ખાતે રંગેચંગે આજરોજ પ્રારંભ કરાયો હતો. પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓથી સજ્જ ટેન્ટસીટી ખાતે ભારતીય તથા કચ્છી સંસ્કૃતિના વિવિધ આકર્ષણો ઉભા કરાયા છે. જેની ઝલક ટુરીસ્ટોના મન મોહી લેશે નવેમ્બર મહિનાથી કચ્છના સફેદ રણ ધોરડોમાં રણોત્સવનો આરંભ થાય છે આ વખતે ગુજરાત પ્રવાસન વિભાગે દિવાળી બાદ એટલે કે 11 નવેમ્બરથી રણોત્સવ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજથી ધોરડો રણઉત્સવનો આરંભ થયો છે જોકે આજથી માત્ર ટેન્ટસિટી શરૂ થઈ રહી છે અન્ય સુવિધાઓ હવે ઉભી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફટ બજાર આગામી 1 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. આજથી ધોરડોમાં…
લોકભાષા-ભુજ : એક લાખના દોઢ લાખ આપવાની ઇન્સ્ટ્રાગ્રામ પર રીલ જોઇ નાસીકના કોન્ટ્રાક્ટર લાલચમાં આવી ગયા ધૂતારાઓએ ભુજ રૂપિયા આપવાનું કહી ભુજ બોલાવીને જ્યુબીલી સર્કલ પાસે ત્રણ લાખના બદલામાં સાડા ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને ત્રણ લાખ ભરેલી થેલી ઝુંટવીને ફરાર જઇ થઇ ગયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બે ઠગબાજ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. મુળ નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામના અને હાલ મહારાષ્ટ્રના નાસીક જિલ્લાના માડસાંગ્વી ખાતે રહીને સેન્ટ્રીંગનું કોન્ટ્રાક્ટ પર કામ કરતા કિશોરભાઇ અરવિંદભાઇ પટેલે વિવેક પંડ્યા અને એક અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ઇન્ટ્રાગ્રામમાં વિવેક પંડ્યા નામની આઇડી પર…
લોકભાષા-ગાંધીધામ : અંજારમા થયેલી બે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અંજાર શહેરી વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દ૨મ્યાન હ્યુમન સોર્સીસ આધારે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ચોરાઉ બે બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા હતા અંજાર પોલીસે આરોપી જગદીશભાઈ જયરામભાઈ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.પ્રજાપતી છાત્રાલય અંજાર, નટવ૨ભાઈ વજાભાઈ બોરીચા ઉ.વ.30 રહે, જી.આઈ.ડી.સી.અંજાર અને નારણભાઈ પુજાભાઈ દાફડા ઉ.વ.૩૦ રહે, જી.આઈ.ડી.સી.અંજારને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએ-5912 કિંમત રૂપિયા ૩૦૦૦૦ અને હિરો હોન્ડા મોટર સાયકલ નં. જીજે-12-સીએલ-3145 જેની કિંમત રૂપિયા ૩૦૦૦૦…

