Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : ભચાઉ નજીકની પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી અવરોધ ઉભો કરતા હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ નજીક આવેલી પ્લાયવુડ કંપની તરફ જતા માર્ગને ખોદી પ્લાયવુડ કંપનીઓના ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં આવતા હોવાની ભચાઉ પોલીસ મથકે પ્લાયવુડ કંપનીના સંચાલક દ્વારા તાજેતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે ઘણા સમયથી વિવિધ ચાલી રહ્યો છે ત્યારે પ્લાયવુડ કંપનીના માલિક દ્વારા વિધિવત ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આરોપીઓ રફીક રમજુ રાયમા, શબ્બીર કેશર નારેજા, અબ્દુલ મામદ લંધા, અક્રમ કરીમ ધોના અને સમીર…
લોકભાષા-ભુજ : ગુજરાત સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી શરૂ કરીને ૨૩ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વમાં કરેલા વિકાસને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના વિકાસના વિઝનનો સૌથી વધુ લાભ કચ્છ જિલ્લાને મળ્યો છે. આજે કચ્છ જિલ્લો પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક-પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ ૨૦૦૬થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું…
લોકભાષા-ભુજ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યું છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ટાઉનહોલની દીવાલોને વિવિધ થીમ આધારીત ભીંતચિત્રોથી સજાવાઇ છે. આ ભીંતચિત્રોમાં ભારત, ગુજરાત તથા કચ્છના પ્રખ્યાત સ્થળોની ઝાંખી તથા દેશની વિવિધ સિદ્ધિઓને કંડારેલી જોઇ શકાય છે. ભીંતચિત્રોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો ટ્રેન, ભુજ સ્વામીનારાયણ મંદિર, દેશના બંદરો, ગિરનારની રોપ-વે, સફેદ રણ, સ્મૃતિવન, ક્રાંતિતીર્થ, સોલાર પાર્કને નિહાળી શકાય છે. આ ભીંતચિત્રોના માધ્યમથી નગરપાલિકાએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત નાગરિકો પ્રયાસરત રહે તેવો સંદેશો પાઠવ્યો હતો.
લોકભાષા-ભુજ : ભારત સરકારના “મિશન શક્તિ” યોજના હેઠળ પેટા યોજનાઓ અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કિશોરીઓ/મહિલાઓના શિક્ષણ, પોષણ, કાનૂની અધિકારો તેમજ સ્વાસ્થ્ય સબંધિત બાબતો આવરી લેવામાં આવતી હોય છે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીના નેજા હેઠળ ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારમાં ગણેશપર ગામે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” સપ્તાહની ઉજવણી તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અન્વયે એક નવતર પહેલના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશપર ગામે DHEWની ટીમ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામની ૦ થી ૬ મહિના સુધીની કુલ ૭…
લોકભાષા-ભુજ : ૩૦ ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવનારા ભચાઉ તાલુકાના ચોપડવાના જીતેશકુમાર વિનોદભાઇ વેલાણી વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા બાદ હાલ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ધાણા, મગફળી, એરંડા જેવા પાકનું ઉત્પાદન કરીને નોંધપાત્ર આવક મેળવતા થયા છે. એસ.વાય બી.કોમ સુધીનો અભ્યાસ કરેલા ખેડૂત જીતેશકુમાર વેલાણી જણાવે છે કે, પહેલા હું રાસાયણિક ખેતી કરતો હતો પરંતુ આ પધ્ધતિમાં રાસાયણિક ખાતર અને જતુંનાશક દવાઓ પાછળ વધુ ખર્ચ થઇ જતો હતો. રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ખેતીમાં ખૂબ જ સમસ્યા થતી હતી. રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જતો, નિંદણ પણ વધારે ઊગી નીકળતા મજૂરી ખર્ચ વધુ થતો હતો. જમીનનું બંધારણ…
લોકભાષા-ગાંધીધામ : રવિવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજ અને નખત્રાણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો બપોરે ૪થી ૬ વાગ્યાના અરસામાં ભુજમા બે અને નખત્રાણામા એક ઈંચ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. ભુજ, માંડવી અને અબડાસા પંથકના નખત્રાણા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે શહેરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જ્યારે ગામડાઓમાં પણ પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને બપોરે ભુજ નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો આગાહી તો નવરાત્રીમા વરસાદ પડવાની…
લોકભાષા-ભુજ : ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગરીબ નહી પણ ઉદ્યમી મહિલાઓને સંગઠિત કરવા તેમને તાલીમબદ્ધ કરવા અને આજીવિકા સાથે જોડાણ કરી તેમને સ્વાવલંબી અને સશક્ત કરવાનો તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ધ્યેય હતો. આ ધ્યેયને સાર્થક કરવા તેમણે ગુજરાત રાજયના તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓના સ્વાવલંબન તથા રોજગાર માટે સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નાના પાયે જ્યોત સ્વરૂપે શરૂ થયેલા સખી મંડળો હાલે વિશાળ જ્યોત બનીને સરહદી કચ્છમાં પણ પ્રજવલિત બન્યા છે. ગ્રામ્ય વિસ્તાર મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી અત્યારસુધી કચ્છ જિલ્લામાં કુલ ૭૦૦૦ થી વધુ સખી મંડળ…
લોકભાષા-ગાંધીધામ : ભચાઉના વામકા નજીક વાડી વિસ્તારમાથી પાંચ લાખનો વિદેશ દારૂ ઝડપાયો હતો પૂર્વ કચ્છ એલ. સી. બીએ ત્રણ આરોપીઓ સાથે મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાની વાડીમાં ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા આરોપી હીતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા, ગોપાલ પુનારામ બીન્નોઈ, મનોહરલાલ કિષ્નારામ બીજોઈને વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો કુલ કિંમત રૂપિયા ૫૦૦૮૧૪, ઇનોવા કાર નં-જીજે-૧૮-બીસી-૬૦૫૫ કિંમત રૂપિયા એક લાખ, બલેનો કાર નંબર વગરની કિંમત રૂપિયા ચાર લાખ, મોબાઈલ ફોન…
લોકભાષા-ગાંધીધામ : શહેરના અગ્રવાલ સમાજના ઉપક્રમે અસુરો ઉપર દૈવી શકિતના વિજયના પ્રતિક દશેરા પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગાંધીધામના ઝંડાચોકથી રાવણ દહન માટે ભગવાન રામની વાનરસેનાની યાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જયશ્રી રામના નારાઓ સાથે ટાગોર રોડ ઉપરના ડીપીટીના ગ્રાઉન્ડ પર પહોંચી હતી જયા રાવણના પુતળાનું દહન અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. અગ્રવાલ સમાજ દ્વારા આયોજિત આ દશેરા મહોત્સવમા રાવણનુ ૬૫ ફૂટનુ જ્યારે કુંભકરણ અને મેઘનાથનુ ૫૦-૫૦ ફુટના પુતળા બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, સુરેશભાઈ ગુપ્તા, નગરપાલિકાના…
લોકભાષા-ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા ખાતેના પોર્ટ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર વેસલ લંગારવામા આવ્યુ હતું. એમવી મુન્દ્રા એક્સપ્રેસ નામના આ વેસલની લંબાઈ 350 મિટર છે જ્યારે તેની ક્ષમતા 10,000 ટીયુઈએસ છે આ વેસલનુ કંડલા બંદરે બર્થિંગ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો સાથે દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ દરિયાઈ ક્ષમતાઓને વધારવામાં એક મોટી છલાંગ લગાવી હતી.

