Author: Nidhiresh A Raval
લોકભાષા-ગાંધીધામ : કચ્છ જિલ્લામાં પર્યાવરણ મંજૂરીના નામે અટકાવવામાં આવેલ કવોરી લીઝને પરિણામે અન્ય વિકાસ કાર્યો સહિત જિલ્લાના સમગ્ર માળખાકીય અને આર્થિક વિકાસને અવરોધ્યો છે ત્યારે, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ મુદ્દે કેન્દ્રીય સરકારથી માંડીને રાજ્ય સરકાર સુધી વિવિધ સ્તરે વિસ્તૃત રજૂઆતો આદરી છે. આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, કચ્છ જેવા અતિ વિકસિત, સમૃદ્ધ અને સરહદી જિલ્લામાં પર્યાવરણ સર્ટિફિકેટ અને માઇનિંગ પ્લાનના અભાવ અને અમલિકારણના નામે કવોરી લીઝણી મંજૂરી ના મળતાં તેમજ વિકાસ કાર્યો અટકાવી દેવાતાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. પૂર્વ કચ્છમાં કંડલા પોર્ટના રોડ, બ્રિજ અને જેટીને લગતાં માળખાકીય કામો ઠપ્પ થઈ ગયા…
લોકભાષા-ગાંધીધામ : મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારના લોકોએ આંદોલનનુ રણશિંગું ફૂંકયુ છે. અંડરબ્રિજની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને બાદમાં ધરણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું છે આ અંગે મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારના લોકો દ્વારા ૧૧ લોકોની આંદોલન સમિતિ બનાવવામાં આવી છે જે જુમાપીર તથા સ્વામી લીલાશાહ ફાટક ઉપર અંડરબ્રિજના પ્રશ્ને લડત આપશે. આ અંગે આંદોલન સમિતિના માનદ સલાહકાર રામભાઈ કપ્તાએ જણાવ્યું હતું કે આ લોક આંદોલન અન્વયે અસરકર્તા સર્વે સોસાયટીઓના આગેવાનોના સાથ સહકાર અને સહયોગથી પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લોક આંદોલન અન્વયે…
લોકભાષા-ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ખારીરોહર નજીકથી કોકીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો અગાઉ પણ આ જ વિસ્તારમાંથી મોટો કોકીનનો જથ્થો બિનવારસુ મળી આવ્યો હતો ત્યારે બીજી વખત આ જ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાં તપાસ કરતા બિનવારસુ 10 પેકેટ મળી આવ્યા હતા જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી 10 પેકેટમાં આશરે 120 કિલો અંદાજે કિંમત 120 કરોડનો કોકીન-ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પૂર્વક કચ્છ એસપી સાગર બાગમારએ જણાવ્યું હતું કે ખારીરોહર કોસ્ટલ વિસ્તારમાંથી…
લોકભાષા-ગાંધીધામ : ચુડવા મીઠીરોહર મીઠાઅગરિયા તથા પ્લોટધારકોએ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા ગ્રીન હાઈડ્રોજન પ્લોટનો સૂચિત એપ્રોચ રોડ રદ કરવા અંગે કલેક્ટર કચ્છને અગરિયાઓના હિતમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે યોગ્ય નહીં કરાય તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા વિસ્તારમાં સૂચિત ગ્રીન હાઈડ્રોજન પ્લોટ માટે નવા કોમન સૂચિત એપ્રોચ રોડનું ટેન્ડર 30/07-2024 ના બહાર પાડેલ છે જેની સામે સ્થાનિક અગરિયાઓ, પ્લોટધારકોએ સખતો વાંધો નોંધાવેલ છે કલેકટર કચ્છને આવેદનપત્ર પાઠવી આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર આ ટેન્ડર કોઈપણ જાતના નિયમો અને વાસ્તવિક સ્થળ સ્થિતિનું અવલોકન કર્યા વિના જ બહાર…
લોકભાષા-ભુજ : જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઈકોન ટૉક-શૉ યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્યગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારું રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લાકક્ષા સુધીના સુચારું આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ…
લોકભાષા-આણંદપર : નખત્રાણા તતાલુકાના નાના અંગીયા ગામના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે મગફળીનો પાક વર્ષમાં બે વખત લેવામાં આવતો હોય છે. એક ઉનાળુ મગફળી તેમજ ચોમાસું મગફળીના પાકો લેવામાં આવે છે.જેમના વિસ્તારમાં બોરના પાણી મીઠા હોય છે. એવા ખેડુતો વર્ષમાં મગફળીના બે પાકો લેતા હોય છે.જે વિસ્તારોમાં બોરના પાણી નબળા હોય છે એ વિસ્તારના ખેડુતો ચોમાસું મગફળીનો એક જ પાક લેતા હોય છે.મગફળીના પાકને મીઠું પાણી મળે તોજ સારો પાક અને સોળ આની થતો હોય છે.એટલે નબળા બોરના પાણી વાળા ખેડુતો ચોમાસું મગફળી પાક એટલા માટે લે છે કે નબળા પાણી સાથે વરસાદી પાણી બેથી ત્રણ મળી જાય…
લોકભાષા-ગાંધીધામ : તાજેતરમાં ગાંધીધામ કો. ઓ. બેંકના ડાયરેક્ટરોની થયેલી બીન હરીફ વરણી બાદ બેંકના હોદેદારોની નિમણૂક કરવા માટે બેન્કના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક મળી હતી જેમા ચેરમેન તરીકે પ્રેમભાઈ એસ લાલવાની અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ લખવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગાંધીધામની જુનામાં જુની સહકારી બેન્ક કે જે વર્ષ ૧૯૫૧માં કાર્યરત થયેલી ધી ગાંધીધામ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડની હેડ ઓફીસ આદીપુર-કચ્છ મધ્યે અને બ્રાન્ચ ઓફીસ ગાંધીધામ-કચ્છ અને સિંધુ બાગ, ગાંધીધામ-કચ્છ મધ્યે આવેલ છે કે જે નાના માણસોની મોટી બેન્ક ગણાય છે તે બેન્કની ૭૩મી વાર્ષિક સાધારણ સભા ગત તારીખ : ૨૯-૦૯-૨૦૨૪ના રોજ રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રભુદર્શન ઓડીટરીયમ હોલ, આદીપુર-કચ્છ…
લોકભાષા-ગાંધીધામ : નવરાત્રી દરમિયાન કેફીપીણુ પીધેલા સામે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ એ-ડિવીઝન પોલીસે નોરતા દરમ્યાન ડ્રીંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કેફિપીણુ પીધેલા આરોપીઓ કરશન હરથાનભાઈ રબારી, રાહુલ કિર્તીભાઈ ઠક્કર અને પ્રવીણ શેખરભાઈ રેડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવરાત્રી તહેવાર નિમીતે દરેક પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને સુરક્ષા મળી ૨હે તે માટે શી ટીમની રચના કરવામાં આવી છે નવરાત્રી દરમ્યાન નિમણુંક કરેલ શી ટીમના કર્મચારીઓ દ્વારા ગાંધીધામ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થતી ગરબીઓની આજુબાજુ પેટ્રોલીંગ દરમિયાન આરોપી શિવમ હરેશભાઈ પંડયા અને મયંક નિતીનભાઈ ગોરને કેફિપીણુ પીધેલી હાલતમાં ઝડપી…
ગાંધીનગર,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવતીકાલે એટલે કે રવિવારે અચાનક જ કેબિનેટ બેઠક બોલાવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં એક તરફ નવરાત્રીનાં તહેવારોની ઉજવણી શરૂ થઈ છે અને દિપાવલી સહિતના તહેવારોનો માહોલ પણ બનવા લાગ્યો છે તે સમયે જ એક અચાનક જ સર્જાયેલી રાજકીય ગરમીમાં ચર્ચા-અટકળોનું વાતાવરણ બન્યુ છે. હજુ બુધવારે જ રાજય કેબિનેટની બેઠક મળી હતી અને સામાન્ય રીતે દર સપ્તાહે આ પ્રકારે બુધવારે જ બેઠક મળે છે પણ રવિવારે બપોરે ૪-૩૦ કલાકે કેબિનેટ બેઠક બોલાવવાનું કંઈક અસામાન્ય હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.મળતી માહિતી મુજબ, રાજયના એક સિનિયર મંત્રીએ આવતીકાલે ગાંધીનગર ખાતે સાંજે ૪.૩૦ કલાકે કેબિનેટ બેઠક મળનારી હોવાના…
લોકભાષા-ગાંધીધામ : જગતજનની માતૃશક્તિની આરાધનાના નવરાત્રી પર્વ દરમ્યાન રામલીલાના આયોજનની પરંપરા વર્તમાન સમયે પણ અકબંધ રહી છે. કચ્છમાં વિવિધ સ્થળો પર નવરાત્રિ નિમિત્તે રામલીલાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીધામ સંકુલમાં અગ્રવાલ સમાજ અને સર્વ સનામત ધર્મપ્રેમીઓના ઉપક્રમે છેલ્લા ૫૪ વર્ષથી રામલીલા અને દશહરા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીધામના શક્તિનગર ગ્રાઉન્ડ ખાતે બીજા નોરતે શુક્રવારે રામલીલાનો દિપ પ્રગટાવી દબદબાભેર પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે વિઘ્નહર્તા ગણેશજીના પૂજન બાદ નારદ મોહ, શ્રવણનું મૃત્ય અને રાવણ અત્યાચારના પ્રસંગોનું મંચન કરાયું હતું. કલાકારોએ ભાવવાહી અભિનય સાથે પૌરાણાકિ પાત્રોને જીવંત બનાવ્યા હતા. રામલીલા નિહાળવા શક્તિનગર ગ્રાઉન્ડમાં ગાંધીધામ સંકુલમાંથી બહોળી સંખ્યામાં ભાવિકોનો સમૂદાયો ઉમટ્યો…

