Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : કચ્છમાં ચૈત્ર માસના આરંભ સાથે ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કર્યું છે. ભુજમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.7 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું છે. કંડલા પોર્ટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાતા મિશ્ર વાતાવરણ અનુભવાયું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન 21થી 23 ડિગ્રી વચ્ચે રહ્યું છે. ગાંધીધામ શહેરમાં નાગરિકોને રાહત આપવા માટે મુખ્ય ચાર રસ્તા પર પોલીસે છાંયડા માટે ખાસ મંડપ ઊભા કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, એપ્રિલ માસમાં હીટવેવની સ્થિતિ વધુ જોવા…

Read More

લોકભાષા-મુન્દ્રા : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ નાણાકીય વર્ષ 2024-25માં તેના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઇ વ્યાપારમાં અમીટ છાપ ઉભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે, જેણે એક જ વર્ષમાં 200 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચ્યો છે. આ બેવડી સીમાચિહ્નરૂપ સિદ્ધિ મુંદ્રા પોર્ટને દેશના મુખ્ય વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે દર્શાવે છે, તથા ભારતના દરિયાઇ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમમાં અગ્રિમ તરીકે અદાણી પોર્ટ સેઝના કદને પણ ઉન્નત કરે છે. અદાણી પોર્ટ સેઝના પોર્ટફોલિયોમાં 450 એમએમટી કાર્ગો હેન્ડલિંગની સંયુક્ત સિદ્ધિ કંપનીની કાર્યકારી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક…

Read More

લોકભાષા-ગાંધીધામ : દિનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા અને વાડીનાર ખાતે દેશના મહાબંદરગાહોમા સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરી મોખરાનુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત દેશના પ્રથમવાર ક્રમાંકિત રહેતા દિનદયાળ પોર્ટની ગત વર્ષે પીછેહઠ થઈ હતી જ્યારે આ વર્ષે ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે મહાબંદર કંડલાએ ટ્રાફિક હેન્ડલિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. દેશના મહાબંદરોની હરીફાઈમાં ગત વર્ષે પારાદ્વીપ પોર્ટ ટ્રાફિક હેન્ડલિંગમાં પ્રથમ આવ્યા બાદ નાણાકીય વર્ષ 2024/25માં પોર્ટના ડાયનેમિક ચેરમેન સોશિયલ કુમાર સિંગની કુનેહથી દિન દયાલ પોર્ટ ફરીથી નંબર વનનું સ્થાન જાળવી રાખવામાં સફળ થઈ છે કંડલા પોર્ટલ 150 મિલિયન મેટ્રિક ટનનો લેન્ડમાર્ક ક્રોસ કરી નંબર…

Read More

લોકભાષા-ભુજ : લખપત તાલુકાના સુભાષપર પાસેના સાન્ધ્રો ડેમમાં નાહવા પડેલા દયાપર ગામના બે કિશોરો પૈકી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગામ લોકોએ બચાવી લીધો હતો. તો, બીજીતરફ ભુજ તાલુકાના સુખપર ગામના યુવકે તેના કબ્જાના ટેમ્પોના એંગલ પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે મૃતકોના પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે ઇદના દિવસે દયાપર ગામે રહેતા નોમાન રફીકભાઇ લુહાર (ઉ.વ.17) નામનો કિશોર અને તેના ફઇનો દિકરો ભાઇ અયાન મામદ લુહાર (ઉ.વ.15) બન્ને જણાઓ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સુભાષપર પાસે આવેલા સાન્ધ્રો ડેમમાં નાહવા ગયા હતા. બન્ને કિશોર ડૂબવા લાગતાં આસપાસથી લોકો…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના ગોડપર ગામ નજીક હોટલ પાસે મંગળવારે બપોરે બલેનો કાર અને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં કાર રોડની સાઇડમાં પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં માંડવી તાલુકાના બાયઠ ગામના યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર નાના વરનોરાના ચાર યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઇ મૃતક અને ઘાયલના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. માંડવી તાલુકાના બાયઠ ગામે રહેતા સિધિક સતાર માંજોઠી (ઉ.વ.24) નામનો યુવક પોતાની મોટર સાયકલથી ભુજ આવી રહ્યો હતો. ત્યારે ગોડપર નજીક પ્રાઇડરોક નામની હોટલની સામેના…

Read More

લોકભાષા-ભુજ : ભુજના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવી લેવાના ચકચારી કેસમાં ગાંધીધામના કિડાણાના દંપતિને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અગાઉ મુખ્ય સુત્રધાર એવા કોંગ્રેસના નગરસેવક સહિત પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ત્રણની ધરપકડ કરી લેવાઇ હતી. જ્યારે પોલીસ પકડથી દુર નાસતા ફરતા આરોપી પતિ પત્નીની પકડાઇ જતાં પોલીસે વધુ તપા શરૂ કરી છે. કેસની હકીકત મુજબ બનાવ ગત 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમ્યાન બન્યો હતો. ભુજના ખાટકી ફળીયામાં રહેતા મહેબુબ શબ્બીર ખાટકી નામના યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર ગાંધીધામના કિડાણા ગામની શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમદ નોડે નામની યુવતીએ સાથે પરિચય…

Read More

લોકભાષા-ગાંધીધામ : પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં રાત્રે મહા આરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહા છંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રી પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં યાત્રિકોમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હોવાથી અહીં મીની મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને માં આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો વડે શણગાર…

Read More

લોકભાષા-ભુજ : સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવાર ના રોજ શ્રી.હનુમાનજી, ભગવાન શ્રી. રામચંદ્રજી જ્યારે સોમવાર ના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુપ્ષવર્ષા કરી અન્નકુટ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. સોમવાર ના રોજ સવાર થી કૃષ્ણ જન્મોત્સવ ની તાડમાર તૈયારી હજારો હરિભકતો ના આવનજાવન વચ્ચે ચાલી રહી હતી. કથા ના બીજા સત્ર માં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી.વેદાંતસ્વરૂપદાસજી એ લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલા ની અવરણ કથા વર્ણવતા ની સાથે આખો સભા મંડપ જાણે ગોકુળ મય બની જતાં, નંદબાબા બાળ ગોપાલ ને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે…

Read More

લોકભાષા-ભુજ : ભુજ એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભુજ એસટી બસ પર પણ લોકોને હેરાનગતિ નહીં હોય એટલી એરપોર્ટ પર છે. એક જ સિક્યોરિટી ચેક ઇન મશીન હોવાને કારણે ખાસ કરીને સવારના સમયે મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની છે. મુંબઈ માટેની બે ફ્લાઇટ્સ એક જ સમયગાળા દરમિયાન હોવાને કારણે એરપોર્ટ પર વ્યાપક ભીડ જોવા મળી છે, જે મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની છે. ત્યારે મુસાફરો ફ્લાઈટ્સમાં બેસે એ પહેલાં હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, કચ્છ આવેલા વિદેશી મુસાફર પણ અગવડતાથી ત્રાહિમામ્ પોકારી ગયા છે સિક્યોરિટી ચેક ઇન પ્રક્રિયા બોર્ડિંગ પાસ મેળવતા…

Read More

લોકભાષા-ભુજ : તાજેતરમાં લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે મહાન યોદ્ધા મહારાણા સંગ્રામસિંહ (શ્રી રાણા સાંગા) અંગે અપમાનજનક ટિપ્પણી કરી, જેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઐતિહાસિક મહાનાયકને અપમાનિત કરવા પ્રયાસ કરનાર આ નિવેદન સામે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને લઈને રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અને કચ્છ જિલ્લા શાખા દ્વારા ભુજ ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આ નિવેદનનો કડક વિરોધ દર્શાવાયો અને તાત્કાલિક માફી માગવાની માગણી કરવામાં આવી. આ વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું અને સંગઠનના અનેક કાર્યકરો રાષ્ટ્રીય ગૌરવ અને ઐતિહાસિક વીર પુરુષોના સન્માન માટે એકઠા થયા હતા સાંસદના નિવેદનનો કડક વિરોધ અને…

Read More