Author: Nidhiresh A Raval
નેત્રાથી બડિયારા પાંચ કિમી અંતર ધરાવતો રોડ અંત્યંત ખરાબ હાલતમાં હોઈ તેને પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવામાં આવે તો મુખ્યત્વે માલધારી વર્ગ તેમજ ખેત મજૂરની વસ્તી ધરાવતા બડિયારાને સવલત મળી રહે વળી આ ગામ નાનું હોઈ જીવન જરૂરિયાત વસ્તુ લેવા કે દવાખાને જવા નેત્રાનો જવું જ પડતું હોય છે ત્યારે લાંબા સમયથી આ અત્યંત બિસ્માર માર્ગ પર ચાલવું ગ્રામજનોને જાણે કંટક પર ચાલવા સમાન લાગી રહ્યું છે. વળી અત્યાર સુધીમાં આ રોડ એક જ વખત બન્યો છે ત્યારે આ રોડ ને ફરી ડામરથી મઢી લોકોની તકલીફ દૂર કરવા તેને પ્રધાન મંત્રી સડક યોજના માં આવરી લેવામાં આવે એવી માંગણી નખત્રાણા…
લોકભાષા-ગાંધીધામ :કચ્છના સુરજબારી બ્રિજ પર ટ્રેલર પર રહેલું પવનચક્કીનો મહાકાય પાર્ટ્સ કાર પર ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી પાર્ટ્સ કાર પર પડતા કારમા રહેલા લોકો કારમાં દબાયા હતા ગાડીમાં રહેલા લોકોમાંથી એકનું મોત થયું હોવાનુ જાણવા મળ્યુ છે જ્યારે છ લોકોને સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટના બાદ ક્રેનો વડે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી અને પવનચક્કીનો પાર્ટ્સ કાર ઉપરથી હટાવવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ પોલિસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમોએ ઘટના બાદ બચાવ કામગીરી હાથ ધરી હતી
લોકભાષા-ગાંધીધામ :અગ્રવાલ સમાજ ગાંધીધામની પાંખ અગ્રવાલ સમાજ મહિલા સંગઠન અને અગ્રવાલ યુવા સંઘની વર્ષ 2025 થી 2027 સુધીની નવી કારોબારી સમિતિની રચના સર્વ સંમતિથી કરવામાં આવી તેમાં પ્રમુખ કિરણ ગોયલ, ઉપપ્રમુખ ઉષા બંસલ, મંત્રી રેખા ગોયલ, સહ મંત્રી મિતુ ગોયલ, કોષઘ્યક્ષ કિંજલ બંસલ અને યુવા સંગઠનના પ્રમુખ દેવેન્દ્ર ગોયલ, ઉપપ્રમુખ અભિમન્યુ ગર્ગ, મંત્રી માનવ ગોયલ, સહમંત્રી ગીરીશ અગ્રવાલ, સંદીપ અગ્રવાલને કોષઘ્યક્ષ અમિત અગ્રવાલ, મીડિયા કોરડીનેટર આદિત્ય અગ્રવાલ નિમાયા હતાં સોંને અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ, સંજય ગર્ગ, પાયલ બિન્દલએ શુભઆશિષ આપ્યા હતાં અને સમાજ માટે તન મન ધનથી સમાજની સેવા કરશો આવી આશા વ્યક્ત કરી હતી તેવું સમાજના મીડિયા ઇન્ચાર્જ…
લોકભાષા-ભુજ :મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે આવતી કાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા.મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની ૮૫ બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું.૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને ૨૧માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ. ૮૫ બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને ૧૯૭૧ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું…
લોકભાષા-ભુજ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપૂલ તકોનો શ્રૈય વડાપ્રધાનના વિઝનને આપ્યો હતો. મુખ્યમંત્રીએ ગામજનો સાથે મુક્તમને સંવાદ કરીને ગ્રામ્યજીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીએ વડાપ્રધાનને…
ગાધીધામ મહાનગરપાલિકા બન્યાને છ મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી. ગાધીધામ મહાનગરપાલિકામાં કિડાણા, ગ્રામપંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી. જ્યાં જોવો ત્યાં ગટર ઉભારેલ જોવા મળે છે. રસ્તામાં ખાડાઓ જોવા મળે છે. કાચા રસ્તાઓ હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે જે ખાડાઓ હરવખતે ગ્રામ પંચાયત વરસાદ બાદ મલબાથી ખાડા ભરી નાખતી હતી. હવે મહાનગરપાલિકા આવુ કંઈ કરવામાં આવ્યું નથી એના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી ભરેલુ રહેતું હોવાથી…
કચ્છી નવા વર્ષની સવારે જ નખત્રાણામા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને કારણે લોકો ત્રસ્ત બન્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા આ સમસ્યાનુ કાયમી સમાધાન લાવે તે જરૂરી છે.
ઓપરેશન શિલ્ડ’ના ભાગરૂપે રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ કલાક દરમિયાન સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કચ્છના ભુજમાં સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૫ ના સાંજે ૦૫.૦૦ કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.ભુજ ખાતે આયોજિત નાગરિક સંરક્ષણ મોકડ્રિલમાં આર્મી/હોમગાર્ડ બોર્ડર કોન્વોયને સલામત રીતે ટ્રાફિક મેનેજ કરીને પસાર કરવાની એક્સરસાઇઝ અંતર્ગત રૂદ્રમાતા બ્રીજ ખાતે મોકડ્રીલનું આયોજન કરાશે. સાંજે ૪.૦૦ કલાકે ભુજના મિલિટ્રી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રોન એટેક મોકડ્રિલનું આયોજન કરાયું છે. જેમાં આર્મી સ્ટેશન ખાતે સ્વોર્મ ડ્રેન એટેકથી ઘાયલોને સારવાર માટે લઈ જવા એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ દળની મદદ માંગવામાં આવશે. જે બાદ ઘાયલોને જી.કે.જીનરલ હોસ્પિટલ ખાતે…
લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની પેટા કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક આજે ચેમ્બર કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં કચ્છના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની બિસ્માર સ્થિતિ અને આવનારા ટોલ વધારાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠક ની વિગત પાઠવતાં, ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર ૨૦૨૪માં’નો રોડનો ટોલ’ આંદોલન દરમિયાન એનએચએઆઇ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓનું હજુ સુધી પાલન થયું નથી. અગાઉ અપાયેલ ખાતરીઓ ને છ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં, રસ્તાઓની સ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. તેમ છતાં એનએચએઆઈ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ટોલ ચાર્જ વધારવાની યોજના…

