Author: Nidhiresh A Raval
લોકભાષા-ભુજ : ૩૧ જાન્યુઆરી તેમજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ભારતીય વાયુ સેનાની સૂર્ય કિરણ એરોબૈટિક ટીમ દ્વારા શાનદાર એર શો યોજવામાં આવનાર છે. મંત્ર મુગ્ધ કરી દેતા આ શો માં ભારતીય વાયુ સેનાના પાયલોટોના કૌશલ, વ્યાવસાયિક્તા અને ક્ષમતાનું પ્રદર્શન કરતા સ્ટીક ઉડાનનું શાનદાર પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધનૌ હોક વિમાનો ધરાવતી સૂર્ય કિરણ એરોબેટિક ટીમ જે ભારતીય વાયુ સેનાની એક ઓળખ છે તેની સાથે સુખોઈ ૩૦ અને જગુઆર વિમાનોનું પણ પ્રદર્શન યોજાશે.ભુજ વાયુ સેનાના ઓફિસર કમાંડિંગએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરો બેટિકટીમની રચના ૧૯૯૬ માં કરવામાં આવી હતી.જે દુનિયાની એરો બેટીકટીમ…
લોકભાષા-ભુજ : નખત્રાણા કોટડા(જ) ગામે સોની વેપારીને લુંટવામા સામેલ શખ્સો પોલીસને હાથે લાગ્યા છે. 18 તારીખે કારમાં આવેલા અજાણ્યા શખ્સો છરી મારી લુંટ કરી ફરાર થઇ ગયા હતા નિલેશ સોની દુકાનેથી ઘરે જતા હતા ત્યારે છરી મારી કિંમતી 30 લાખથી વધુ રૂપીયાના દાગીનાની બેગ લુંટી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા હતા.જો કે બાદમાં હોસ્પિટલમા ખસેડાયેલા વેપારીની ફરીયાદ લઇ નખત્રાણા પોલીસે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી હતી દરમ્યાન ૩૦.૭૨ લાખના કિંમતના ૪૮ તોલા સોનાના ઘરેણાંની લૂંટના ચકચારી બનાવમાં પોલીસની અન્ય ટીમો તથા મહત્વની બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઇ હતી જેમાં મળત્વની સફળતા મળી છે.સીસીટીવી ફુટેજ તથા કારના વર્ણનના આધારે પોલીસે લુંટમાં…
લોકભાષા-ભુજ : તાલુકાના અજરખપુર ખાતે યોજાયેલા વિન્ટર ફેસ્ટિવલમાં ઓડિસાના કલાકારો વિવિધ કલા કારીગરી રજૂ કરે છે. ઓડિશાની પ્રખ્યાત કળા પટ્ટચિત્ર એ પરંપરાગત, કાપડ-આધારિત સ્ક્રોલ પેઇન્ટિંગ છે. જે પૂર્વ ભારતીય રાજ્યો ઓડિશા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના ભાગોમાં આધારિત છે. પટ્ટચિત્ર આર્ટફોર્મ તેની જટિલ વિગતો તેમજ તેમાં અંકિત પૌરાણિક કથાઓ અને લોકવાર્તાઓ માટે જાણીતું છે. પટ્ટચિત્ર એ ઓડિશાની પ્રાચીન કલાકૃતિઓમાંની એક છે , જે મૂળરૂપે ધાર્મિક ઉપયોગ માટે અને પુરીના યાત્રાળુઓ તેમજ ઓડિશાના અન્ય મંદિરો માટે સંભારણું તરીકે બનાવવામાં આવે છે. વિવિધ સામગ્રી પર ચિત્રો આલેખવાની ઓડિશાની જૂની પરંપરા પટ્ટચિત્ર કાપડ, કાગળ, પાંદડા, તાડપત્રી જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની ઓડિશાની જૂની પરંપરા…
લોકભાષા-ભુજ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી. વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારના કાર્યો કર્યા છે. અન્ય ગુરૂકુળોથી આ વૈદિક ગુરૂકુળને વિશિષ્ટ ગણાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાંથી ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સમાજને પ્રેરણા આપશે. રાજ્યપાલએ સંસ્કૃતિને ટકાવી રાખવા ઉપર ભાર મૂકીને ઉમેર્યું હતું કે, આ ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. સંસ્કૃતિના મુખ્ય…
લોકભાષા-ભુજ : અબડાસા તાલુકા વિસ્તારમા ફ્લાઈંગ સ્કવોડની ટીમે ગેરકાયદેસર બેંટોનાઈટની ગાડીઓ જપ્ત કરીને કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે ભૂસ્તરશાસ્ત્રી અને ભુજ ફ્લાઈંગ સ્કવોડની સંયુક્ત તપાસટીમ દ્વારા મધ્ય રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજ નું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટોનાઈટ ખનિજ વહન કરવાના ઇરાદે આવેલ 4 ટ્રક જપ્ત કરવામાં આવી હતી.જે પૈકી એક ટ્રકમાં આશરે 25 મેટ્રિક ટન બેન્ટોનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે .આ બનાવમાં…
લોકભાષા-ગાંધીધામ : જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાતી હતી અને જેની તૈયારી રાત દિવસ કરાતી હતી તેની આતુરતાનો અંત આવી ગયો. તારીખ 22 જાન્યુઆરી 2025 ના રોજ 43મો ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સીંહ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ઓથોરિટી ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ નવ ટીમો વિશાખાપટનમ પોર્ટ, પારાદીપ પોર્ટ, મુંબઈ પોર્ટ, શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકતા, જવાહરલાલ નહેરૂ પોર્ટ, ચેન્નાઇ પોર્ટ, ન્યૂ મેંગ્લોર પોર્ટ, વી ઓ ચિદમ્બરમ્ પોર્ટઅને યજમાન ટીમ, દીનદયાલ પોર્ટ ની ટીમો ભાગ લેવા માટે આવી પહોંચી હતી અને બધી ટીમોના ખેલાડીઓનું સંગીતના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં પોર્ટના સચિવ હરિચંદ્રને કહ્યું હતું કે ચેરમેનના નિરંતર પ્રયત્ન દ્વારા ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને બધા ખેલાડી ખેલદિલીની ભાવનાથી રમે તેવી શુભેચ્છા પાઠવી હતી. પોર્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુક્લા એ પ્રવચનમાં કહ્યું આપ બધા ખેલદીની ભાવનાથી રમો અને સારી યાદો લઈ જાઓ તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પોર્ટના અધ્યક્ષ સુશીલકુમાર સિંહે, ખેલાડીઓને સંબોધીને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપના બધાનું દીનદયાલ પોર્ટ પરીવાર દ્વારા હાર્દિક સ્વાગત કરું છું અને આપને બધા પ્રકારની સુવિધા આપવામાં આવશે રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ ખેલદિલીની ભાવનાથી થાય છે અને આપણા પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે ખેલોગે તો ખિલોગે આ સ્લોગન ને આપણે ચરિતાર્થ કરવાનું છે અને તમામે ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટમાં રમવાનું છે ને એક નવા સંબંધનો વિકાસ કરવાનો છે. ત્યાર બાદ ઓલ ઇન્ડિયા મેજર સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ધ્વજનું પોર્ટના અધ્યક્ષ દ્વારા આવરણ કરવામાં આવ્યું અને પછી બથી ટીમના કેપ્ટનો નો સમૂહ માર્ચ પાસ કાઢવામાં આવ્યું હતું અને ખેલાડીયો એ ખેલદીની ભાવના થી રમવા માટેનાં શપથ લીધા હતા અને પછી ચેમ્પિયનશિપને ખુલ્લી મુકવામાં આવી હતી. આરંભિક મેચ દીનદયાલ પોર્ટ અને જવાહરલાલ નહેરૂ પોર્ટ વચ્ચે રમવામાં આવી હતી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૩ મેચો રમાશે અને 25 તારીખના સેમિફાઇનલ ની બે મેચો રમાશે અને 26 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ રમાશે અને બીજી મેચ ત્રીજા ટેન્ક માટે રમાડવામાં આવશે. ગોપાલપુરી ના શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પેવેલિયન મા સવારની અને રાતની અને મેઘપર બોરીચીના “કૃષ્ણનમ- ગ્રાઉન્ડમાં બપોરની મેચ રમાશે, એમ ડી.પી.એ.ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
લોકભાષા-ગાંધીધામ : કચ્છમા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી કરી ભચાઉ, બોરાણા અને કાઢવાઢ ખાતેથી ડમ્પર, એકસકેવેટર, ટ્રેકટર, ટ્રેલર સહીતના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મદદનીશ નિયામક ફ્લાઈંગ સ્ક્વોર્ડ ભુજની કચેરીની તપાસટીમ ધ્વારા બે દરમ્યાન ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે કાર્યવાહી હાથ ધરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમા ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે આકસ્મીક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટીપાસ વિના ચાઈનક્લે ખનિજ ભરેલ પાંચ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે મુન્દ્રાના બોરાણા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી સાદીરેતી ખનીજના ગેરકાયદે ખનન વહન કરતા એક લોડર એક ટ્રેક્ટર અને બે ડમ્પર ઉપરાંત એક બ્લેકટ્રેપ ખનીજના અધીકૃત રોયલ્ટી કરતા…
લોકભાષા-ભુજ : માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ કાઢવા મુદે ઈસમોએ યુવાન પર હુમલો કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદી અર્જુન જીવણભાઈ મદારી સોલાર કંપનીમાં નોકરીએથી પરત આવી રહ્યો હતો ત્યારે સામાવાળા કરણસિંહ ભરતસિંહ જાડેજાએ ઈન્સ્ટાગ્રામનુ સ્ટેટસ મુકેલ જે ડીલીટ કરવા જણાવેલ તેમજ ગાળાગાળી કરી હાથમાં પહેરવાનુ કડુ માથાના ભાગે મારી ધકબુસટનો માર પણ માર્યો હતો. આ બનાવમાં કરણસિંહ તેમજ અર્જુનસિંહ જાડેજા અને અજાણ્યા બે ઈસમો સામે માંડવી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
લોકભાષા-ભુજ :ભુજ પ્રસાદી મંદિર શ્રી ઘનશ્યામ મહારાજના 15માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે્ ભુજ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિતશ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એવમ મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠા નામ ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદેવષીય ક્ષેત્રીય વૈદિક સંમેલન ના ત્રીજા દિવસ ના મંગલમય પ્રભાતે સર્વે વૈદિકો એકત્રિત થઈને વેદના ધ્વનિનો ગુંજારવ મંત્રોચ્ચાર થી શરૂઆત થયેલ એ દરમિયાન ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સદગુરુ પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી પધારતા પ્રસાદી મંદિર ના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજીએ આવકાર ની સાથે વેદ શાળા ના સર્વે વૈદિકો પૂજ્ય સ્વામીજીનું વેદના મંત્રો ઉચ્ચાર સાથે મંગલ અભિવાદન કર્યું હતુંઅને વેદની દરેક શાખાઓની કુટીરોમાં જઈને મહંત સ્વામી…
લોકભાષા-ભુજ : નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે તેવામાં ભુજની એક મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 4.45 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી આ કેસમાં ભુજ બી, ડિવિજન પોલીસ બે આરોપીની સુરતથી ધરપકડ કરી છે. ભુજમાં રહેતા રીમાબેન વિકાસ મહેતા નામની ગૃહિણીને ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી 30 ડિસેમ્બરના ફરિયાદી રીમા બેનને અજાણ્યા નંબર પરથી ફોન આવેલો અને પોતે કુરિયર માંથી બોલતો હોવાની ઓળખ આપી હતી તેમના આધાર કાર્ડ નંબર પરથી તાઇવાનમાં એક કુરિયર મોકલાયું હોવાનું જણાવ્યું…

